SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શાસનપ્રભાવક હોવાથી નિર્બાધપણે ભાવ વ્યક્ત થઈ શકે છે. આગમગ્રંથા પર વિશાળ પ્રમાણમાં ચૂર્ણિ સાહિત્ય રચાયું છે. વમાનમાં આગમસાહિત્ય પર જે ચૂર્ણ આમળે છે તેનાં નામ આ પ્રમાણે છે : ૧. નન્દી, ૨. અનુયેાગદ્વાર, ૩. આવશ્યક, ૪. દશવૈકાલિક, ૫. ઉત્તરાધ્યયન, ૬. આચારાંગ, ૭. સૂત્રકૃતાંગ, ૮. નિશીથ, ૯. વ્યવહાર, ૧૦. દશાશ્રુતસ્ક'ધ, ૧૧. ભગવતી, ૧૨. જીવજીવાભિગમ, ૧૩. પ્રજ્ઞાપનાસૂત્ર-શરીરપદ, ૧૪. જમૂદ્દીપપ્રજ્ઞપ્તિ, ૧૫. ૫, ૧૬. કલ્પવિશેષ, ૧૭. પાંચકલ્પ, ૧૮. જીતકલ્પ, ૧૯. એઘનિયુક્તિ, ૨૦. કમ પ્રકૃતિ, ૨૧. શતક, ૨૨. અધ શતક, ૨૩. સપ્તતિકા વગેરે. 1 આમાંની પ્રથમ આઠ ચૂણિએ જિનદાસગણુ મહત્તરની બતાવવામાં આવે છે. અગસ્ત્યઋષિની એક બીજી દશવૈકાલિક ચૂણિ મળે છે. અગસ્ત્યઋષિ વિક્રમની ત્રીજી શતાબ્દીમાં થયા છે. આથી આ ચૂણિની રચના વલભીવાચના પહેલાં થયેલ છે. શ્રી જિનદાસગણિરચિત ભ્રૂણ-નંદી : આ ચૂર્ણ'ની રચના મૂળ સૂત્રેા પર થઈ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ચૂર્ણિ મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણમાં માથુરી આગમવાચનાના ઇતિહાસ છે. ચૂ`િની શરૂઆતમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીના ઉત્તરવતી આચાર્યની નામસૂચિ જૈનશાસનના ક્રમબદ્ધ ઇતિહાસ જાણવામાં અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આ નદીચૂર્ણિ` વિ. સ. ૭૩૩માં રચાઈ છે. અનુયાગદ્વાર ચૂર્ણ : આ ચૂર્ણિની રચના પણ મૂળ સૂત્રાને આધારે થઇ છે. આમાં આરામ, ઉદ્યાન, શિખિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. સાત સ્વર અને નવ પ્રકારના રસાનું વર્ણન પણ આમાં છે. જૈનશાસ્ત્રમાન્ય આત્માંશુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ આદિ સમજવા માટે આ ગ્રંથવિશેષ ઉપયોગી છે. આવશ્યકચૂણિ : આ ચૂર્ણની રચનામાં નિયુક્તિની ગાથાઓનું અનુસરણ છે. ભાષ્યની ગાથા અને સંસ્કૃત શ્લોકાના પણ ઉપયાગ કર્યો છે. કથાસામગ્રીની દૃષ્ટિથી આ અધિક સમૃદ્ધ છે. શ્રી ઋષભદેવ પ્રભુનું સ’પૂર્ણ જીવનવૃત્તાંત, ભગવાનની વિહારચર્યા, વાસ્વામી, આરક્ષિત, વજ્રસેનસૂરિ આદિ પ્રભાવક આચાર્ડના વિવિધ પ્રસ`ગ, ચેટક અને કણિકના મહાસગ્રામ સાત નિતૃવાનો પ્રામાણિક ઇતિહાસ આ ચૂર્ણિમાં મળે છે. દશવૈકાલિકસૃષ્ણુિ : આ ચૂર્ણિમાં મુખ્યત્વે નિયુક્તિના પદેનુ અનુસરણ છે. ધમ`દ્રુમ આદિ પદોની વ્યાખ્યા નિક્ષેપ પદ્ધતિને આધારે કરી છે. આચાય શય્યભવસૂરિનું જીવનવૃત્તાંત આમાં મળે છે. મુનિચર્યા સબધી વિવિધ વિષયાનું વિવેચન આમાં છે. ચૂર્ણની કથાએ વિશેષ પ્રભાવક છે. અને જોણિપાહુડ ગ્રંથનો ઉલ્લેખ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ઉત્તરાધ્યયન ણિ : આ ચૂર્ણની રચના નિયુક્તિના પદોને આધારે કરી છે. આ ચૂર્ણમાં અનેક શબ્દોની નવીન ઉત્પત્તિ પ્રાકૃત ભાષામાં મળે છે. કથાનકા હૃદયસ્પર્શી છે. ચૂર્ણના અંતમાં ચૂર્ણિકારે વાણિજ્યકુલીન કાટિકગણીય વજાશાખી ગાપાલગણ મહત્તરના ગુરુ રૂપે ઉલ્લેખ કર્યાં છે. આચારાંગ સૃણિઃ આ ણિની રચના આચારાંગ નિયુક્તિના પદ્યોને આધારે કરી છે. ચૂર્ણ પ્રાકૃત ગદ્યાત્મક હોવા છતાં સ્થાને સ્થાને સ’સ્કૃતના મહત્ત્વપૂર્ણ શ્લોકા ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. દરેક શબ્દની વ્યાખ્યામાં ચૂર્ણિની વિશિષ્ટ શૈલી છે. નાગાર્જુનીય આગમવાચનાના પાડભેદેશની પણ સપ્રમાણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy