________________
શ્રમણભગવંત
૧૮૭ અવંતિમાં આવી વિક્રમાદિત્ય રાજાને પિતાની અદ્દભુત કાવ્યશક્તિથી પ્રભાવિત કર્યો. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સોનામહેર સ્વીકારવા વિનંતિ કરી. સૂરિજીએ કહ્યું કે, “અમે તે અકિંચન સાધુ છીએ. અમારે એ ન ખપે.” રાજા વિક્રમાદિત્યે આ સાંભળી ખૂબ આનંદ અનુભવ્યું અને સ્થિરતા કરવા વિનંતિ કરી. પરંતુ સૂરિજી મહારાજ સ્થિરતા ન કરતાં વિહાર કરી ગયા.
થોડા સમય પછી શ્રી સિદ્ધસેનસૂરિ અવધૂતશે પુનઃ અવંતિમાં પધાર્યા અને મહાકાલેશ્વર મંદિરમાં ગયા. ત્યાં મહાદેવજી પાસે પગ લાંબા કરી સૂઈ ગયા. પ્રાતઃકાળે પૂજારીએ તેમને મંદિરમાં સૂતેલા જોઈ ઉઠાડવાના વિવિધ પ્રયત્ન કર્યા પણ બધા પ્રયત્ન નિષ્ફળ જતાં પૂજારી રાજાને ફરિયાદ કરવા ગયે.
રાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે, “જાઓ જલદી જાઓ, એ જોગીને ઉડાડી મૂકે ને ન ઊઠે તે કેરડા મારીને પણ તેને ઉઠાડીને કાઢી મૂકે.” સિપાહીઓએ ત્યાં જઈને સૂરિજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કેરડા મારવાનું શરૂ કર્યું. પરંતુ બધાનાં આશ્ચર્ય વચ્ચે એક પણ કેરડો સૂરિજીને લાગતું નથી! ઊલટું, રાજાના અંતઃપુરમાં રહેલી રાણુઓને આ કેરડા વાગતા હતા. ત્યાં ચીસાચીસ અને રડારોળ થવા લાગી. આ ખબર મળતાં રાજા વિક્રમાદિત્યે કેરડાને માર બંધ કરાવી, પિતે મહાકાલેશ્વર મંદિરમાં પહેંચે. તેની સાથેના પ્રશ્નોત્તર રૂપે આચાર્ય સિદ્ધસેનસૂરિ સ્તુતિપૂર્વક “કલ્યાણમંદિર” તેત્રની રચના કરી ગાવા લાગ્યા. સ્તોત્રના અગિયારમા લેકે શિવલિંગમાંથી ધૂમ્રસેર નિકળવા લાગી. પછી દિવ્યત પ્રગટી. સોળમા લેકે તેમાંથી મહાચમત્કારી પાર્શ્વજિનબિમ્બ નીકળે છે. એ જોઈને રાજા તથા સૌ કઈ દંગ થઈ જાય છે! બત્રીસમા લેકે પ્રતિમાજી સ્થિર થયાં. આમ, શ્રી સિદ્ધસેનસૂરિએ “કલ્યાણમંદિર”ના ૪૪ લેક રચ્યા. આ મહાપ્રભાવક સ્તોત્રનું આજે પણ ઘણા ભાવભેર સ્મરણ અને રટણ થાય છે.
રાજા વિક્રમાદિત્ય આ પ્રભાવક પ્રસંગથી પ્રતિબોધ પામ્યા. પૂર્વે આર્ય સુહસ્તિસૂરિના સમયમાં અવંતિસુકમાલના પુત્ર મહાકાળે અહીં પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યાને ઇતિહાસ આચાર્ય સિદ્ધસેનસૂરિ દ્વારા જાણી, રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બંધાવી તેમાં અવંતિ પાર્શ્વનાથ ની પ્રતિષ્ઠા કરી. વળી, રાજાએ પોતે અને તેના ૧૮ માંડલિક રાજાઓએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો. આચાર્ય સિદ્ધસેનને આમ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરતાં, તેમનાં પ્રાયશ્ચિતનાં બાકી પાંચ વર્ષને ક્ષમ્ય ગણી, શ્રમણસંધમાં પુનઃ માનભેર સંમિલિત કરવામાં આવ્યા.
સાહિત્યરચના : આચાર્ય સિદ્ધસેનસૂરિએ અનેક મૌલિક ગથે રહ્યા છે. તેઓ જૈન ન્યાયસાહિત્ય આદિના પુરસ્કર્તા હતા. તેમની પહેલને યુગ આગમપ્રધાન હતા. શ્રી ગૌતમઋષિનું ‘ન્યાયસૂત્ર’ બન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપગિતા વધી. આથી જૈનદર્શનનાં તમને તકણની કસોટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું પરમ સૌભાગ્ય આ આચાર્યશ્રીને પ્રાપ્ત થયું. પરપક્ષને વાસ્તવિક રીતે બતાવી તેનું પ્રતિ અને તર્કથી ખંડન અને સત્યનું મંડન, આ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org