SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૮૫ ત્યાર બાદ આચાર્ય સિદ્ધસેને ત્યાંથી ચિત્રકૂટની પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. તે વિહાર કરતાં કરતાં કૂર્માર દેશમાં પહોંચ્યા. તે વખતે કૂર્માંર દેશના રાજા દેવપાલ હતા. આચાર્ય સિદ્ધસેન પાસે ધના ખાધ પામી તે તેમના પરમ ભક્ત બની ગયા. રાજસન્માન પામી આચાર્ય સિદ્ધસેનનું મન મુગ્ધ બન્યું અને તે ત્યાં જ રહેવા લાગ્યા. આ સમયે રાજા દેવપાલની સામે પરચક્રના ભય ઉપસ્થિત થયા. કામરૂપ ( આસામ ) દેશના રાજા વિજય વર્માએ સૈન્ય સાથે કૂર્માંરદેશ પર આક્રમણ કર્યુ. રાજા દેવપાલના સૈન્યને તેમની સામે ટકવાનું કઠિન થઈ પડયું. આચાય સિદ્ધસેનની પાસે રાજા દેવપાલે પોતાની પરિસ્થિતિ પ્રગટ કરી અને કહ્યું કે— ગુરુદેવ! હવે આપના જ આશ્રય છે. '' રાજા દેવપાલને ધૈય આપતાં આચાય સિદ્ધસેને કહ્યું કે રાજન્ ! ચિંતા ન કરો. હું જેને મિત્ર હોઉં તેને જ વિજય હાય. ” સિદ્ધસેન પાસેથી સાંત્વન મેળવી દેવપાલ પ્રસન્ન થયા. શત્રુનો પરાભવ કરવામાં તેમને આચાર્યશ્રી સિદ્ધસેનના સહયોગ મળ્યેા. (6 યુદ્ધની સંકટકાલીન સ્થિતિ વખતે આચાર્ય સિદ્ધસેને સુવર્ણ સિદ્ધિયેગ ' વિદ્યાથી પુષ્કળ ધન ઉત્પન્ન કયુ .. સ પમંત્રના પ્રયોગથી વિશાળ સંખ્યામાં સૈન્ય નિર્માણ કર્યુ. યુદ્ધમાં દેવપાલને વિજય થયા. વિજય પ્રાપ્ત થયા પછી રાજા દેવાપાલે આચાય શ્રી સિદ્ધસેનસૂરિએ કહ્યું —“ ભવતારક ગુરુદેવ! હું શત્રુથી ઉપસ્થિત થયેલા ભયરૂપી અંધકારમાં ભ્રાંત થયા હતા. આપે સૂર્યની જેમ મારા માને પ્રકાશિત કર્યાં. આથી, હવે પછી આપની પ્રસિદ્ધિ ‘ દિવાકર ’ નામથી થાઓ. ” ત્યારથી આચાર્ય સિદ્ધસેનના નામની સાથે દિવાકર વિશેષણ જોડવામાં આવ્યું. તે લેાકમાં સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધ થયા. નિશીથચૂણી પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિએ અર્ધચના પણ કરી હતી. આચાય સિદ્ધસેન દેવપાલ રાજાના ભાવભીના સત્કાર અને સુવિધાઓના મુક્તપણે ઉપયેગ કરવા લાગ્યા. તે હાથી પર બેસવા લાગ્યા અને શિબિકાના ઉપયાગ પણ કરવા લાગ્યા. તેમના સાધનાશીલ જીવનમાં શિથિલતા આવવા લાગી. ધ સધમાં ચર્ચા થવા લાગી કે, સચિત્ત જળ, પુષ્પ, ફળ, અનેષણીય આહારનું ગ્રહણ અને ગૃહસ્થનાં કાર્યોનું અજયણાપૂર્ણાંક સેવન તે સાધુવેશની પ્રત્યક્ષ વિડંબણા છે. આચાય સિદ્ધસેનની આ શિથિલતાની વાત આચાય વૃદ્ધવાદીના કાને પહોંચી. તેએ ત્યાંથી એકલા વિહાર કરી, કૂર્માર દેશ પધાર્યા. ત્યાં રાજાની જેમ પાલખીમાં એસી સે’કડા માણસાથી ઘેરાયેલા શિષ્ય સિદ્ધસેનને જોયા. વેશપરિવર્તન કરી આચાય વૃદ્ધવાદી સિદ્ધસેનની સામે આવ્યા અને ખેલ્યા કે— આપ મેાટા વિદ્વાન છે. આપની ખ્યાતિ સાંભળી હું દૂર દેશાંતરથી આવ્યો છુ. મારા મનના સંદેહ આપ દૂર કરો. ” આ સાંભળી આચાય સિદ્ધસેને અભિમાનથી મસ્તક ઊંચું કરી કહ્યું કે— તમારે જે પૂછવુ હોય તે પૂછે. ' "" આચાય વૃદ્ધવાદી આસપાસ ઊભેલાં લેાકેા સામે જોઇ ઊચા સ્વરે ખેલ્યા કે— अलीफुल म तोsहु मन आमा म Is I मणकुसुमेहि अच्चि निरंजणु हिंडह काइ वणेण वणु ॥ " . ૨૪ t. Jain Education International 2010_04 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy