SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શાસનપ્રભાવક સાથે જ સનિષેધદ્ધિ પર સિદ્ધસેને આપેલું પાંડિત્યપૂર્ણ પ્રવચન ગાવાળાની દૃષ્ટિમાં વ્ય સિદ્ધ થયું. તે પછી વૃદ્ધવાદીએ યુક્તિપૂર્વક સત્ય સાબિત કર્યુ. સર્વજ્ઞસિદ્ધિ પછી વૃદ્ધવાદી કણપ્રિય થિંદણી છંદમાં નૃત્યમુદ્રામાં ખેલ્યા કે નવિ મારિયઇ, નવિ ચેરિયઇ, પરદારહ ગમણુ નિવારિય; થાવા થાવ' દાઈયઇ સિગ્ન ટુક ટુકુ જાયઈ. ( પ્રખ`ધકોષ ). ’” ( હિંસા ન કરવાથી, ચારી ન કરવાથી, પરદાર-સેવન ન કરવાથી, ઘેાડામાંથી થોડું આપવાથી ધીમે ધીમે સ્વર્ગ માં જવાય છે. ) અને “ કાલઉ કંબલુ અનુની ચાહુ છાસિદ્ધિ ખાલડુ ભકિ નિપાડુ, અઈ વડુ ડેિયઉ નીલઈ ઝાડી અવર ક સરગટ સિગ નિલાડિ. (ઠંડી દૂર કરવા માટે કાળી કાંબળ પાસે હાય, હાથમાં અરણીની લાકડી હાય, છાશથી ભરેલું માટલું હોય તે એનાની માટું સ્વર્ગ કયું? ) ?” સરળ અને મધુર ગ્રામભાષામાં આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ કરેલ સ્વની વ્યાખ્યા સાંભળી ગેાવાળા જય જય શબ્દના ઘેષ કરી નાચી ઊઠયા અને તેમણે કહ્યું કે— વૃદ્ધવાદી સજ્ઞ છે. કાનને સુખ આપનાર ઉપદેશ ખેાલનાર છે. સિદ્ધસેન અ ંહીન બેલનાર છે. આમ, ગાવાળાની સભામાં આચાર્ય વૃદ્ધવાદી વિજયી થયા. તેમણે પાંડિત્યનું પ્રદર્શન કર્યાં વિના વખત વરતીને કામ કર્યું. સમયજ્ઞ સર્વજ્ઞ હોય છે. આથી વૃદ્ધવાદીની આગળ પોતાને અલ્પજ્ઞ માની પડિત સિદ્ધસેને પેાતાની પૂર્વી પ્રતિજ્ઞા પ્રમાણે તેમનું શિષ્યત્વ સ્વીકાયું. આચાય વૃદ્ધવાદીસૂરિએ તેમને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા. તેમનું દીક્ષા નામ કુમુદ્ર દ્ર રાખવામાં આવ્યું. મુનિ કુમુદચંદ્ર પહેલાં પણ વેદ-વેદાંગ–પુરાણના મહાપડિત હતા, તેમાં ગુરુદેવ પાસે જિનાગમને ઊંડા અભ્યાસ વિનીતભાવે કરતાં વિદ્યા વિનયન શાભતે ’ મુજબ તેમની પ્રતિભા આર ઝળકી ઊઠી. શ્રી વૃદ્ધવાદીસૂરિ પણ આવા ઉત્તમ શિષ્યને પ્રાપ્ત કરી પ્રસન્નતા પામ્યા. જૈનશાસનની સાર્વભૌમ પ્રભાવના કુમુદચંદ્રથી સંભવિત છે એમ સમજી એક દિવસ શ્રી વૃદ્ધવાદીસૂરિએ તેમને આચાય પદથી અલંકૃત કરી પૂર્વેનું ‘ સિદ્ધસેનસૂરિ' એવું નામ જાહેર કર્યુ. 6 આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ ત્યારબાદ શ્રી સિદ્ધસેનસૂરિને સ્વતંત્ર વિચરવાના આદેશ આપી પેાતે ખીજે સ્થાને વિહાર કર્યાં. પ્રખર વિદ્વત્તાના કારણે આચાર્યશ્રી સિદ્ધસેનના સાન્નિધ્યે પણ અપૂર્વ શાસનપ્રભાવના પ્રવવા લાગી. એક વાર આચાય સિદ્ધસેનસૂરિ ચિત્રકૂટ (ચિત્તોડગઢ ) પધાર્યાં. ત્યાં તેમણે વિવિધ ઔષધિઓના ચૂર્ણથી બનેલા એક સ્તંભ જોયા. પ્રતિપક્ષી ઔષધિના પ્રયોગ કરી આચાય સિદ્ધસેને તેમાં એક છિદ્ર કર્યુ. સ્તંભમાં હજારો પુસ્તકે હતાં. ઘણા પ્રયત્ન કર્યાં પછી એ છિદ્રમાંથી તેમને એક જ પુસ્તક મળ્યુ. તે પુસ્તકનુ પ્રથમ પૃષ્ઠ વાંચવાથી જ તેમને સ`પમ`ત્ર ( સૈન્યસર્જનવિદ્યા ) અને સુવર્ણસિદ્ધિયોગ નામની બે મહાન વિદ્યાએ પ્રાપ્ત થઈ. સપવિદ્યાથી માંત્રિક દ્વારા જળાશયમાં નાખેલા સરસવનાં કણાના અનુપાતથી ચાવીશ પ્રકારના ઉપકરણસહિત સૈનિકો નીકળતા હતા અને પ્રતિપક્ષીઓને પરાભવ કરી ફરી જળમાં અદૃશ્ય થઈ જતા હતા. સુવણ વિદ્યાથી માંત્રિક કોઈપણ ધાતુને સહજપણે સોનામાં પિવિતત કરી શકાતી હતી. આ બ ંને વિદ્યાઓની પ્રાપ્તિથી આચાય સિદ્ધસેનના મનમાં ઉત્સુકતા વધી. તેઓ પૂરુ' પુસ્તક વાંચી લેવા ઉત્સુક હતા, ત્યાં દેવીએ આવીને તેમના હાથમાંથી પુસ્તક ખે...ચી લીધું અને તેમના મનની ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy