SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ રાસનપ્રભાવક વાચનાઓ થઈ તે મુખપાઠ રૂપે થઈ હતી. જેથી વાચના લિપિબદ્ધ થયાને ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી દેવગિણિના નેતૃત્વમાં આ પાંચમી આગમવાના સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન અને લિપીકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં ૮૪ આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કરેડ સ્લેપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. આજે આપણને જે આગમ મળે છે તે તેમની એ આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. આગમવાચનાના આ અવસરે નંદીસૂત્રનું નિર્મૂહણ પણ આચાર્ય દેવદ્ધિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રની સૂચિ તથા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથને ઉલ્લેખ પણ થયા છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની યોગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે–૧. આર્ય સુધર્મા, ૨. આ જંબૂ, ૩. આર્ય પ્રભવ, ૪. આર્ય શäભવ, પ. આર્ય યશોભદ્ર, ૬. આર્ય સંભૂતિવિજય, ૭. આર્ય ભદ્રબાહ, ૮. આર્ય શૂલિભદ્ર, ૯, આર્ય મહાગિરિ, ૧૦. આર્ય સુહસ્તિ, ૧૧. આર્ય બલિસ્સહ, ૧૨. આર્ય સ્વાતિ, ૧૩. આર્ય શ્યામ, ૧૪. આર્ય શાંડિલ્ય, ૧૫. આર્ય સમુદ્ર, ૧૬. આર્ય મંગૂ, ૧૭. આર્ય નંદિલ, ૧૮. આર્ય નાગહસ્તિ, ૧૯. આર્ય રેવતી નક્ષત્ર, ૨૦. આર્ય સિંહસૂરિ, ૨૧. આર્ય સ્કંદિલ, ૨૨. આર્ય હિમવંત, ૨૩. આર્ય નાગાર્જુન, ૨૪. આર્ય ભૂતદિન, ૨૫. આર્ય લેહિત્ય, ૨૬. આર્ય દુષ્યગણિ, ૨૭. આર્ય દેવદ્ધિગણિ. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર, ટીકાકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અને આચાર્ય મલયગિરિએ આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજીસ્વામી, આર્ય રક્ષિત, આર્ય ગોવિંદ–એ પાંચ આચાર્યોના નામગત પદેને પ્રક્ષિપ્ત માની તેની ગણના વાચક-પરંપરામાં કરી નથી. ચૂર્ણિકાર અને ટીકાકારે નંદીસૂત્રની રચનાનું શ્રેય આચાર્ય દેવવાચક (દેવદ્ધિગણિ)ને આપેલ છે.] શ્રી જૈનશાસન આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું યુગો સુધી આભારી રહેશે. આગમલેખનનાં કાર્યથી તેમણે વીતરાગવાણુને દીર્ઘકાલીનતા આપી છે અને આગમનિધિનું સમુચિત સંરક્ષણ કર્યું છે. શ્રી દેવદ્ધિગણિના સમયમાં આગમવાચનાનું કાર્ય વીરનિર્વાણ સં. ૯૮૦ (વિ. સં. ૫૧૦ )માં થયું એમ ઉલેખ પ્રાપ્ત થાય છે. તેમના સ્વર્ગવાસને ઉલ્લેખ મળતું નથી, પણ શ્રી દેવગિણિ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનને વિચછેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાનો ઉલ્લેખ આગમમાં છે. એ આધારે પૂર્વધર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ થવાની સાથે પૂર્વજ્ઞાનને લેપ થયે હતે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy