SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧૭, પ્રત્યેક આગમ આદિ શાસ્ત્રને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવનારા જેનાગમનિધિસંરક્ષક આચાર્યશ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચક) ( આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જૈન ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર રેખાંકિત અને અમર છે. તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમેને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવી આગને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને સ્તુત્ય કાર્ય કર્યું હતું. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી દેવગિણિએ શ્રી લેહિત્યાચાર્યની સુંદર શબ્દોમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને અન્ય એક કથાથી તેઓ શ્રી લેહિત્યાચાર્યના શિષ્ય હોવાની પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી દેવદ્ધિગણિ – બંનેના ગણિ” પદાંત નામ ગુરુ-શિષ્ય હોવાની સંભાવના પ્રગટ કરે છે. ). શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રામાણિત માહિતી ખાસ મળતી નથી. પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં હરિણગમેષ નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂક્યો હતો. આ હરિણગમેષ દેવે પિતાના આયુષ્યના અંતિમ સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા પોતાના નવા ભવમાં પ્રતિબોધ પમાડવાની વિનંતિ કરી હતી અને આ દેવે તેમને પ્રતિબોધ પમાડી જેનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા હતા. શ્રી દેવગિણિને જન્મ સૌરાષ્ટ્ર (પ્રાય: વેરાવળ કે પ્રભાસપાટણ)માં થયો હતે. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કાશ્યપગેત્રીય કામધિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ત્રાદ્ધિસંપન્ન દેવને જે હતું, તેથી પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું હતું. દેવદ્ધિએ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય લેહિત્યસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. દેવદ્ધિમુનિએ ગુરુ પાસે આગમોને અભ્યાસ કરી ગણિપદ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગચ્છીય આચાર્ય દેવગુણસૂરિ પાસે રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણ ક્ષમાશ્રમણપદ પ્રાપ્ત કર્યું હતું. ( આગમકાર્ય આચાર્ય સ્કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચના કરીને જે આગ લખ્યાં હતાં તેને વારે આચાર્ય દેવગિણિ પાસે હતું અને આચાર્ય નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગ લખ્યાં હતાં તેને વારે આચાર્ય ભૂતદિન્નસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (થા) પાસે હતો. આ બંને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું આવશ્યક હતું. આથી એ બંને પાઠેના વારસદાર આચાર્યોએ વીર સં. ૯૮૦માં વલભીમાં મેટું શ્રમણ સંમેલન મેળવ્યું અને એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવગિણિ હતા. તેઓ પિતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy