SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા વૃદ્ધાવસ્થાએ દીક્ષા-શિક્ષા પ્રાપ્ત કરી વિદ્યામાં પારગત અને વાદમાં વિજેતા એવા આચાર્ય શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજ આચાર્ય શ્રી વૃદ્ધવાદી વૃદ્ધાવસ્થામાં દીક્ષિત થઈ, વિદ્વાનેામાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર હતા. તેમના ગુરુ આચાય સ્ક'દિલ હતા. આચાર્ય લિ વિદ્યાધરગચ્છના હતા. મહાન તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકર આચાય વૃદ્ધવાદીના શિષ્ય હતા. ૧૮૧ શ્રી વૃદ્ધવાદી બ્રાહ્મણપુત્ર હતા. તેમના જન્મ ગૌડદેશના કૌશલગામમાં થયેા હતેા. ગૃહસ્થજીવનમાં તેમનું નામ મુકુન્દ હતું. બ્રાહ્મણુ મુકુન્દને વૃદ્ધાવસ્થાએ વૈરાગ્યભાવ જાગ્યા. સંસારથી વિરક્ત થઈ, કામભોગાના ત્યાગ કરી તેમણે સુપ્રસિદ્ધ અનુયાગાચાર્ય આય. સ્કંદિલ પાસે મુનિઢીક્ષા અ’ગીકાર કરી. વિકાસના અનુબંધ વય કરતાં હાર્દિક ઉત્સાહ સાથે જોડાયેલે હાય છે.', ‘ વ્યક્તિના અદમ્ય ઉત્સાહ દરેક અવસ્થામાં સર્વ પ્રકારનાં વિકાસનાં દ્વાર ઉઘાડી શકે છે. 'મુનિવશ્રી મુકુન્દેનું જીવન આ વાત સાબિત કરવાનું સબળ ઉદાહરણ છે. ઘટના ભરૂચની છે. નવદ્ગીક્ષિત વૃદ્ધમુનિ મુકુન્દને જ્ઞાનેાપાન માટેની તીવ્ર ઉત્કંઠા હતી. તેએ પ્રહરરાત્રિ વીત્યા પછી પણ અપ્રમત્તભાવે સ્વાધ્યાય કરતા હતા. તેમની આ સ્વાધ્યાયપ્રવૃત્તિ ખીજાઓની નિદ્રામાં અંતરાયભૂત થતી હતી. તેમને એક વખત એક તીવ્ર બુદ્ધિવાળા યુવાન મુનિએ કહ્યું કે“ તમારે આ ઉચ્ચવનિવાળા સ્વાધ્યાય ખાએની નિદ્રામાં અ`તરાયભૂત થવાથી કર્મ બંધનું કારણ અને છે. હિંસક પશુઓ જાગી જવાથી અન દંડનાં પાપાની પણ સભાવના છે. આથી નમસ્કારમંત્રનો જાપ અથવા ધ્યાનમય અભ્યંતર તપ કરવા એ શ્રેષ્ઠ માર્ગ છે, ” સુવિનીત મુનિ મુકુન્દે તેમની શિખામણથી દિવસે સ્વાધ્યાય કરવાની શરૂઆત કરી દીધી. જ્ઞાનની તીવ્ર પિપાસા તેમને વિસામે લેવા દેતી ન હતી. પ્રતિક્ષણ અપ્રમત્તભાવમાં લીન, સ્વાધ્યાયરત મુનિ મુકુન્દને કર્ણભેદક ઉચ્ચ ઘોષ શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ અથડાયા કરતા હતા. કોઈક વ્યક્તિએ મશ્કરીમાં કહ્યું કે“ મુનિ ! તમે આટલા સ્વાધ્યાય કરીને શું મુશળ (સાંબેલા )ને ફૂલ લગાવશે। ? ’’ શ્રાવક દ્વારા કહેવાયેલી આ વાત મુનિ મુકુન્તના હૈયા પર તીરની જેમ ગાઢ પ્રહાર કરી ગઈ. ?? તેમણે બ્રાહ્મવિદ્યાસરસ્વતીમંત્રની આરાધનામાં એકવીશ દિવસનું તપ કર્યું. દેવીએ પ્રગટ થઈ ને કહ્યું - સર્વ વિદ્યા સિદ્ધો મત્ર । ’દૈવિક વરદાનથી મુકુન્દમુનિ કવીન્દ્ર અને વિદ્યાસ...પન્ન બન્યા. જ્ઞાનસામર્થ્ય ને પ્રાપ્ત કરી મુકુન્દમુનિએ પેલાં મશ્કરી રૂપ વનાને સિદ્ધ કરવાની વાતના વિચાર કર્યાં. ચારા ઉપર બેસી, સવની સામે મુરાળ રાખી, જમીન પર ઊભે કરી તેઓ ખેલ્યા : 66 अस्मादशा अपि यदा, भारत ! त्वत्प्रसादतः । भचेयुर्वादिनः प्राज्ञा मुशलं પુષ્યનાં તતઃ ।।” અર્થાત્—— ભારતી ! તમારા પ્રસાદથી અમારા જેવા પણ વાદીજનામાં પ્રાજ્ઞનું સ્થાન પ્રાપ્ત કરી શકયા છે, તેા આ મુશળ પુષ્પિત થાઓ.” આમ કહી મુનિમુકુન્દે અચિ ત જળનું સિંચન કરી, મંત્રમાહાત્મ્યથી મુશળને પુષ્પિત કરી બતાવ્યું. વૃદ્ધાવસ્થામાં નિરંતર અધ્યયન Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy