SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૧૭૭ ત્રિભુવન સ્વયંભૂએ અપભ્રંશમાં “પઉમચયિ” અને “હરિવંશચરિય, તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃતમાં “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” અન્તર્ગત “રામચરિત્ર” તથા “નેમિનાથચરિત્ર” રચ્યાં છે. આચાર્ય વિમલસૂરિ “પઉમચરિય”માં પિતાનો સમય વીરની છઠ્ઠી શતાબ્દી દર્શાવે છે. જ્યાં ગ્રંથકાર પોતે જ આ સ્પષ્ટ સમયનિર્દેશ કરે, ત્યાં શંકાને સ્થાન ન હોય, પરંતુ નાઈલ (નાગિલ) કુળ વીરનિર્વાણ સં. ૬૦૦ પછી સ્થપાયું તે પછી વીરનિર્વાણ સં. પ૩૦માં પઉમચયિં ની રચના કેમ સંભવે? એટલે કે તેને સમયનિર્ણય ઘણું સંશોધન માગી લે છે. તેઓ પૂર્વધર હતા અને પૂર્વધરને કાળ વિ. સં. ૧૯૦ સુધી છે. એટલે તેઓ વિ. સં. ૧૯૦ પહેલાં થયા છે, એ નિર્વિવાદ વાત છે. વિશેષ શ્રતસંપન્ન આચાર્ય વાચનાચાર્યશ્રી ભૂતદિન્નસૂરિજી મહારાજ, સૂત્ર અને અર્થના યથાર્થ ધારક આચાર્યશ્રી લોહિત્યસૂરિજી મહારાજ તથા ગુણગણાલંકૃત અને અનુગધર આચાર્યશ્રી દુષ્યગણિસૂરિજી મહારાજ શ્રી ભૂતદિન, શ્રી લહિત્ય અને શ્રી દુષ્યગણિ–એ ત્રણેય વિશેષ શ્રતસંપન્ન આચાર્યો હતા. આગમગ્રંથમાં આ ત્રણેયને સન્માનપૂર્વક ઉલ્લેખ થયો છે. વાચકવંશ પરંપરામાં ત્રણેએ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આગમવાચનાકાર નાગાર્જુન પછી પછી ભૂતદિન, લેહિત્ય અને દુષ્યગણિને અનુક્રમે ઉલ્લેખ છે. આથી નંદીસૂત્ર સ્થવિરાવલીની વાચકવંશ પરંપરા મુજબ નાગાર્જુન પછી વાચનાચાર્ય ભૂતદિન્ન, વાચનાચાર્ય લેહિત્ય અને વાચનાચાર્ય દુષ્યગણિ કમશઃ થયા. આ ત્રણેના જીવનપ્રસંગે ગ્રંથમાં મળતા નથી. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આચાર્ય શ્રી દેવદ્ધિગણિ રચિત સ્તુતિપદમાં આ આચાર્યોના વિવિધ ગુણ જાણવા મળે છે અને તેના આધારે જ આ ત્રણે આચાર્યોને અલ્પ પરિચય જાણી શકાય છે. નંદીસૂત્રના એ સ્તુત્યાત્મક પદે આ પ્રમાણે છે – तवियवरकणगचंपय - विमउलबरकमलगभ सरिसवण्णे । भविय जणहियवदए दयागुणविसारए धीरे ॥ ३६ ॥ अड्ढभिर हप्पहाणे बहुविहसज्झायसुमुणियपहाणे । अणुओगिवरवसहे णाइलकुलवंसणंदिकरे ॥ ३७ ॥ . ૨૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy