SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૧૭૫ છે. પ્રથમ ચાર અધ્યાયમાં લગભગ ૧૫૮ સૂત્ર છે, જેમાં જ્ઞાન, જીવાદિ ભેદે, નરકભૂમિ, દેવભૂમિ અને ભૌગોલિક જ્ઞાનને ખજાને છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્ર છે, જેમાં ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું પ્રતિપાદન છે. છઠ્ઠા અધ્યાયમાં ર૭ સૂત્ર છે, જેમાં આસવતત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્ર છે, જેમાં સંવરનું વર્ણન છે. આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્ર છે, જેમાં કર્મબંધની વ્યાખ્યા છે. નવમાં અધ્યાયમાં ૪૭ સૂત્ર છે, જેમાં નિર્જરાનું સ્વરૂપ છે. દસમા અધ્યાયમાં મેક્ષમાર્ગનું વિવેચન છે. આ ગ્રંથનું માહાસ્ય જોતાં, ખરેખર, જેનદર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ આચાર્ય ઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્રથી થયું તેમ કહી શકાય. અન્ય ધર્મોમાં જેમ ગીતા, બાઈબલ અને કુરાન છે તેવી જ ગણના જેનધર્મમાં “તત્ત્વાર્થસૂત્ર'ની કહી શકાય. - તત્ત્વાર્થના વ્યાખ્યાગ્રંથમાં તત્ત્વાર્થાધિગમભાગ્ય એ શ્રી ઉમાસ્વાતિ વાચકની પજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિગમભાગ્યની પ્રશસ્તિમાં આચાર્યશ્રી ઉમાસ્વાતિના જીવનને ટૂંકે પરિચય મળે છે. આ કારિકાઓ દર્શાવે છે તેમ, આ તત્વાર્થસૂત્ર ઉપર દિગંબર આચાર્યોએ સર્વાર્થસિદ્ધિ, શ્રતસાગરી, રાજવાર્તિક, લેકવાર્તિક વગેરે ટીકાની રચના કરી છે. તત્વાર્થભાષ્ય પર વેતાંબરચાર્યોએ જે ટીકાઓ રચી છે તેમાં સર્વથી મોટી ટીકા સિદ્ધસેનગણિની છે. ટીકાકાર સિદ્ધસેન તત્વાર્થભાષ્યવૃત્તિની પ્રશસ્તિમાં ભાસ્વામીના શિષ્ય તરીકે પિતાને દર્શાવે છે. ભાસ્વામી આર્યદિન્નસૂરિના પ્રશિષ્ય અને સિંહગિરિસૂરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તત્વાર્થભાષ્ય પર લઘુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાય પર છે. બાકીની વૃત્તિની રચના શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્ય પૂર્ણ કરી છે. તત્વાર્થસૂત્ર અને ભાષ્ય ઉપરાંત જંબુદ્વીપસમાસ, પૂજા પ્રકરણ, શ્રાવક પ્રાપ્તિ, ક્ષેત્રસમાસ, પ્રશમરતિ પ્રકરણ આદિની રચનાઓ શ્રી ઉમાસ્વાતિની બતાવવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિએ પ૦૦ ગ્રંથ રચ્યા હતા, તેવી માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવર્તે છે. પૂર્વેના ગ્રંથ અને વર્તમાન સંશોધન લેખેને આધારે શ્રી ઉમાસ્વાતિ વીરનિર્વાણ સં. ૭૭૦ લગભગમાં થયાનું પ્રતિપાદિત થાય છે. પ્રાકૃત ભાષાનાં પ્રાચીન, પ્રસિદ્ધ અને પ્રથમ ચારિત્રકાવ્ય “પઉમચરિય” (જૈન રામાયણ)ના રચિયતા આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી ઉચકેટિના વિદ્વાન અને કવિ હતા. પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યના શ્રેષ્ઠ રચનાકાર હતા. સાહિત્યિક ભાષામાં ગુંફિત “પઉમચરિય” (જેન રામાયણ) આચાર્ય વિમલસૂરિની ઉત્તમ પદ્યમય રચના છે, જે તેમની કુશળ કવિત્વશક્તિને પરિચય આપે છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy