SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શાસનપ્રભાવક પરંપરામાં ઉમાસ્વાતિ અને ઉમાસ્વામી બને નામ પ્રચલિત છે. શ્વેતાંબર પરંપરામાં ફક્ત ઉમાસ્વાતિ નામ જ પ્રસિદ્ધ છે. દિગંબર ગ્રંથમાં ગુબ્રપિચ્છ ઉમાસ્વાતિને તત્વાર્થના કર્તા બતાવ્યા છે. ન્યોધિકા ગામમાં કૌભીષણિ ગોત્રિય બ્રાહ્મણ પરિવારમાં શ્રી ઉમાસ્વાતિને જન્મ થયો હતા. તેમનાં માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું અને બંને નામને જોડતું ઉમાસ્વાતિ” તેમનું પિતાનું નામ હતું. તેઓએ જન્મસંસ્કારના બળે વેદ-વેદાંગ–પુરાણને ઊંડો અભ્યાસ કર્યો હતે. વેદ સાહિત્યના તેઓ સમર્થ વિદ્વાન હતા. એક વાર આકસ્મિક તેમને જિનપ્રતિમાજીના દર્શન થતાં અપાર ભાલ્લાસ જાગે અને જિજ્ઞાસાપૂર્વક જૈનધર્મને પરિચય પ્રાપ્ત કરી, શ્રદ્ધાવંત બની, જૈનધર્મના ત્યાગમાગે જવા તત્પર થઈ દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી ઉમાસ્વાતિ એવા યુગમાં જન્મ્યા કે જ્યારે સંસ્કૃત ભાષાનું મૂલ્ય વધી રહ્યું હતું. જૈનશાસનમાં પણ જેને સંસ્કૃત ગ્રંથનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનશાસનમાં પણ દિગ્ગજ જૈન સંસ્કૃત વિદ્વાની અપેક્ષા હતી. આ આવશ્યકતાની પૂર્તિમાં ઉમાસ્વાતિ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનની પ્રાપ્તિ જૈન સંઘને થઈ. શ્રી ઉમાસ્વાતિના જીવનમાં ઘણી વિશેષતાઓ હતી. બ્રાહ્મણવંશમાં ઉત્પન્ન થવાને કારણે શરૂઆતથી જ તેમનામાં સંસ્કૃત ભાષાનું વિશદ જ્ઞાન હતું. જેના આગમને પ્રતિનિધિ ગ્રંથ તત્ત્વાર્થસૂત્ર તેમના આગમસંબંધી જ્ઞાનના તલસ્પર્શીપણાને પ્રગટ કરે છે અને તેમના ભારતીય દર્શનના ગંભીર અધ્યયનની ઝાંખી કરાવે છે. શ્રી ઉમાસ્વાતિના વાચકપદને જોતાં વેતાંબર પરંપરા તેમને પૂર્વધર માને છે – અને દિગંબર પરંપરા તેમને શ્રતકેવલતુલ્ય સન્માન આપે છે. વાચક ઉમાસ્વાતિ સમર્થ સંગ્રહકાર હતા. જૈન તોના સંગ્રાહક આચાર્યોમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આગળ પડતું છે. તેમના “તત્વાર્થસૂત્રમાં જૈનદર્શન સંબંધી સર્વ વિષયને અનુપમ સંગ્રહ પ્રાપ્ત થાય છે. આગમવાણીને આ અપૂર્વ સારસંગ્રાહક ગ્રંથ છે. આચાર્ય ઉમાસ્વાતિ સંગ્રાહક બુદ્ધિથી પ્રભાવિત થઈ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કેપોમાસ્વાતિ સંતાઃ —જેનતત્ત્વના સંગ્રાહક આચાર્યોમાં ઉમાસ્વાતિ અગ્રણી છે. સમસ્ત જૈન સમાજમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આદરભાવે લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ “તત્વાર્થસૂત્ર” જેવા ઉચ્ચ કોટિના ગ્રંથનું નિર્માણ છે. શ્રી ઉમાસ્વાતિએ આ “તત્વાર્થસૂત્ર'માં જીવવિજ્ઞાન, જડવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન, માનવિજ્ઞાન, લેકવિજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, ખગોળ, સ્થિતિસ્થાપકતા, કર્મવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમ શાન્તિ, મેક્ષ ઇત્યાદિ અનેક વિષયને સંગ્રહ કર્યો છે. આવા વિષયને સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ વેતાંબર-દિગંબર સમાજોમાં અત્યલ્પ પાડભેદ સાથે સમાનરૂપે આદર પામ્યો છે. મોક્ષમાર્ગરૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રનું યુક્તિપૂર્વક નિરૂપણ, દ્રવ્યો અને તેનું વિવેચન, જ્ઞાન અને રેયની સમુચિત વ્યવસ્થા તથા જૈનદર્શન સમ્મત બીજી અનેક માન્યતાઓનું પ્રતિપાદન આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથની ઘણી ઉપયોગિતા સિદ્ધ થઈ છે. આત્મા, બંધ અને મોક્ષનું સાંગોપાંગ વર્ણન પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. સૂત્રગ્રંથમાં “તત્ત્વાર્થસૂત્ર” જેનસાહિત્યને પ્રથમ સૂત્રગ્રંથ છે. તેમાં દસ અધ્યાય છે. આ દસ અધ્યાયમાં સૂત્રસંખ્યા ૩પ૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy