SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯3 શ્રમણભગવંતો કરી હતી. નંદીત્ર સ્થવિરાવલીમાં દેવગિણિ શ્રી નાગાર્જુનની સ્તુતિ કરતાં કહે છે? મૃદુતાદિ ગુણોથી સમ્પન્ન, પરંપરાએ વાચકપદને પામેલા, ઓઘશ્રત સામાચારીમાં કુશળ આચાર્ય નાગાર્જુનને વંદન કરું છું.” આચાર્ય સ્કંદિલ અને આચાર્ય નાગાર્જુનના સાનિધ્યમાં આ રીતે ઉપકારક, ઉપયોગી અને મહત્વપૂર્ણ એવી ચેથી આગમવાચના થઈ. તેમાં અગિયાર અંગશાસ્ત્રો અને પૂર્વોનું જે રીતે સંકલન થયું છે તેમાં આ બંને અનુગધર આચાર્યોની શાસનદાઝ, ભક્તિ અને દીર્ઘદૃષ્ટિના દર્શન થાય છે. આચાર્ય સ્કંદિલ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને આચાર્ય નાગાર્જુન–એ ત્રણે સમકાલીન હતા. આ ચોથી આગમવાચના વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૪૦ દરમિયાન થઈ છે. એ જોતાં વીરનિર્વાણની નવમી શતાબ્દીમાં આ ત્રણે વાચનાચાર્યો થયા તેમ સ્પષ્ટ અનુમાન થાય છે. જેનતના સંગ્રાહક, પાંચસો ગ્રંથોના રચયિતા, તત્ત્વાર્થાધિગમગ્રંથપ્રણેતા દશ પૂર્વધર આચાર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ વાચકનું અતિવિશિષ્ટ સ્થાન છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમને આગમગ્રંથનું ઊંડું જ્ઞાન હતું. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ તત્વાર્થસૂત્ર” તેમની બહુશ્રુતતાનું ઘાતક છે. ઉમાસ્વાતિની ગુરુપરંપરા વેતાંબર અને દિગંબર બંનેના ગ્રંથમાં ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય છે. શ્વેતાંબર વિદ્વાનોએ શ્રી ઉમાસ્વાતિની ગુરુપરંપરાને તાંબર સંમત ગુર્નાવલી સાથે સંબદ્ધ માની છે. શ્રી ઉમાસ્વાતિ વાચક દ્વારા રચિત તત્વાર્થસૂત્રભાષ્યની પ્રશસ્તિ મુજબ ઉમાસ્વાતિના દીક્ષાગુરુ આચાર્ય શેષનંદિ હતા. શ્રી શેષનંદિ ૧૧ અંગશાસ્ત્રના ધારક હતા અને વાચનાચાર્ય શિવશ્રીના શિષ્ય હતા. શ્રી ઉમાસ્વાતિના વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. વાચનાચાર્ય શ્રી મૂલ” મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદના પટ્ટધર હતા. ઉચ્ચ નાગર શાખામાં શ્રી ઉમાસ્વાતિને વાચપદ મળ્યું હતું, શ્રી તત્ત્વાર્થાધિગમ ભાષ્યને વેતાંબર વિદ્વાનોએ એકી અવાજે ઉમાસ્વાતિની રચના માની છે. આ ભાષ્યની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની ગુરુપરંપરા સાથે ઉચ્ચ નાગર શાખાને ઉલ્લેખ છે. કલ્પસ્થવિરાવલી મુજબ આર્ય સુહસ્તિના શિષ્ય સુરિત, સુપ્રતિબદ્ધ, તેમના શિષ્ય ઈન્દ્રદિન, તેમના શિષ્ય આર્યદિન અને આર્યદિનના શિષ્ય શાંતિશ્રેણિક હતા. શાંતિશ્રેણિકથી ઉચ્ચ નાગર શાખાને ઉદ્ભવ થયે. ભાગ્યપ્રશસ્તિમાંના ઉચ્ચ નાગર શાખાના ઉલ્લેખથી આચાર્ય ઉમાસ્વાતિની ગુરુપરંપરા આચાર્ય સુહસ્તિસૂરિની પરંપરા સિદ્ધ થાય છે. પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ એક એવા વિશિષ્ટ કક્ષાના આચાર્ય છે કે જેમને દિગબર અને શ્વેતાંબર બંને સમાનભાવે સન્માન આપે છે અને પિતાની પરંપરાના માનવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy