SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શાસનપ્રભાવક દુષ્કાળ પડ્યો. સર્વત્ર વિષમ અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેન શ્રમણોના વિહાર અને પઠન-પાઠન બંધ થવા લાગ્યા હતા. મૃતધરેની સંખ્યા ઘટવા લાગી હતી. આગને વિચ્છેદ થવાની કે મોટી ક્ષતિ પહોંચવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી ગંભીર સમસ્યાના કારણે, દુષ્કાળ ઊતરતાં, વિરનિર્વાણ સં. ૮૨૦ થી સં. ૮૪૦ લગભગમાં આચાર્ય સ્કંદિલસૂરિએ ઉત્તરપથમાં વિચરતા સાધુઓને મથુરામાં એકત્ર કરી અને આચાર્ય નાગાર્જુનસૂરિએ દક્ષિણપથમાં વિચરતા સાધુઓને વલભીમાં એકત્ર કરીને એથી આગમવાચના કરી હતી. આચાર્ય સ્કંદિલસૂરિના સાન્નિધ્યે મળેલ આ ચેથી આગમવાચનામાં આર્ય જબૂસૂરિ અને આચાર્ય હિમવંત ક્ષમાશ્રમણને સારે એ સહગ હતે. વળી, ગુરુભાઈ આચાર્ય મધુમિત્ર, તેમના શિષ્ય આચાર્ય ગંધહસ્તિસૂરિ અને અન્ય અનેક સ્થવિર શ્રમણને યાદ રહેલા પાઠો મુજબ આ આગમવાચનામાં મૃતનું સંકલન થયું હતું. આચાર્ય રકંદિલની પ્રેરણાથી આચાર્ય ગંધહસ્તિસૂરિએ ૧૧ અંગો ઉપર નિયુક્તિને અનુસરતાં વિવરણ બનાવ્યાં હતાં. મથુરાનિવાસી એસવાલવંશજ શ્રાવક પિશાલકે આ અંગે, વિવરણ અને આચાર્ય ગંધહસ્તિઓ શ્રી ઉમાસ્વાતિરચિત “તત્ત્વાર્થસૂત્ર” પર લખેલું ૮૦,૦૦૦ કનું મહાભાષ્ય તાડપત્ર ઉપર લખાવી શ્રમણને વાચનાથે અર્પણ કર્યું હતું. આચાર્ય ગંધહસ્તિસૂરિ બ્રહ્મદીપિકા શાખામાં મુકુટમણિતુલ્ય માનવામાં આવે છે. શ્રી હિમવંત ક્ષમાશ્રમણ તેઓ આચાર્ય સ્કંદિલ પછી અને આચાર્ય નાગાર્જુન પહેલાં, અર્થાત્ તે બંનેની વચ્ચે થયેલા વાચનાચાર્ય હતા. તેઓ પૂર્વના જ્ઞાતા, ધૃતિસંપન્ન અને પરમ સ્વાધ્યાયી અનુગધર વાચનાચાર્ય હતા અને ઉપસર્ગાદિ પ્રતિકૂળતાઓ સામે હિમાલય જેવા અચલ હતા. તેઓએ “હિમવંત સ્થવિરાવલિની રચના કરી હતી. આચાર્ય નાગાર્જુનસૂરિ : વિરનિર્વાણ સં. ૭૯૩માં જન્મ, સં. ૮૦૭માં દીક્ષા, સં. ૮૨૬માં યુગપ્રધાનપદ અને સં. ૯૦૪માં ૧૧૧ વર્ષની વયે તેમને સ્વર્ગવાસ થયો હતે. તેઓ નાગેન્દ્રવંશના અને આચાર્ય સ્કંદિલસૂરિના સમકાલીન આચાર્ય હતા. આચાર્ય સ્કંદિલની જેમ, આચાર્ય નાગાર્જુનસૂરિએ પણ, તે સમયની વિષમ પરિસ્થિતિ જોઈ-જાણી શ્રુતની રક્ષા કરવા દક્ષિણપથના શ્રમણભગવંતને એકત્ર કરી જેથી આગમવાચના કરી હતી. આ કાર્યમાં આચાર્ય ગેવિંદ અને આચાર્ય મત્સ્યવાદી વગેરેને સારો એવો સહગ પ્રાપ્ત થયે હતે. મથુરા અને વલભીમાં વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૦૦ દરમિયાન જે આગમવાચના થઈ તે બંનેને ચેથી આગમવાચના લેખવામાં આવે છે. આ બંને આચાર્યો દ્વારા જુદા જુદા સ્થળે જે બે પાઠ તૈયાર થયા, તે બંને પાઠ મેળવી એક ચોક્કસ પાઠ નક્કી કરવાનું બાકી હતું પરંતુ કાળના પ્રભાવે તે યોગ થયો નહીં. એટલે તેઓએ એ વાર પિતાપિતાના શિષ્યોને આપ્યું. આચાર્ય નાગાર્જુન અને આચાર્ય સ્કંદિલ દ્વારા આ ચોથી આગમવાસનાને વલભીવાચના કે નાગાજુનીયવાચના અને માથુરીવાચના કે સ્કદિલીવાચના પણ કહેવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને જે પાઠો તૈયાર કર્યા તેને વારસે આચાર્ય ભૂતદિન્નસૂરિ તથા આચાર્ય કાલકસૂરિ (થા) પાસે હતું અને આચાર્ય સ્કંદિલે જે પાઠ તૈયાર કર્યા તેને વારસો આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પાસે હતે. આચાર્ય દેવદ્ધિગણિએ આ બંને પાઠેના આધારે જ વલભીમાં પાંચમી આગમવાચના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy