SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો ૧૭૧ ત્યાં ઉપસ્થિત દેવીઓ-સૂરિજી તક્ષશિલા જવાના મતના ન હતા, તેથી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” તેંત્ર બનાવી આપી કહ્યું કે—“આ તેત્રપાઠ ભણી, પાણી છાંટવાથી મરકીને ઉપદ્રવ શાંત થઈ જશે.” શ્રાવક વરદત્ત આ ત્ર લઈ તક્ષશિલા પાછો આવ્યું. સંઘે સૂરિજીના કહેવા પ્રમાણે નગરમાં સર્વત્ર સ્તોત્રપાઠપૂર્વક પાણીને છંટકાવ કરાવતાં ઉપદ્રવ દૂર થેયે અને પુનઃ શાંતિ પ્રવર્તવા લાગી. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે “તિયપત્તિ” સ્તોત્ર બનાવ્યું હતું. ઉપદ્રવ શાંત થયા પછી થોડા જ સમયમાં તક્ષશિલાને ધ્વંસ થયે. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો પછી તેને પણ વિનાશ થયે. છેલ્લા વિનાશમાં અનેક મંદિરે નાશ પામ્યાં. આજે પણ એ નગર દટ્ટનપટ્ટન છે. શ્રી માનદેવસૂરિએ સિંધ અને પંજાબમાં વિહાર કર્યો હતો અને ત્યાંના સાંઢા રજપૂતને પ્રતિબંધ આપી, જેન બનાવ્યા હતા. વીરનિર્વાણ સં. ૭૩૧માં ગિરનાર તીર્થે અનશનપૂર્વક તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. ચોથી આગમવાચના દ્વારા શ્રુતજ્ઞાનને રક્ષિત અને અખલિત બનાવનારા આચાર્યશ્રી સ્કંદિલસૂરિ અને આચાર્યશ્રી નાગાર્જુનેસૂરિ તથા પૂર્વેના જ્ઞાતા અને ઉપસર્ગોના અવિચલિત વાચનાચાર્ય આચાર્યશ્રી હિમવંતસૂરિ ક્ષમાશ્રમણ આચાર્ય સ્કંદિલસૂરિ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને શ્રી નાગાર્જુનસૂરિ વાચકવંશપરંપરાના પ્રભાવી વાચનાચાર્યો અને આગમકૃતના સમર્થ જ્ઞાતા હતા. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આ ત્રણે વાચનાચાર્યોને અનુક્રમે ઉલલેખ છે. આચાર્ય કંદિલ અને આચાર્ય નાગાર્જુન આગમવાચનાકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી હિમવંત ક્ષમાશ્રમણ પણ પૂર્વના જ્ઞાતા હતા. આચાર્ય દિલ ઃ તેમનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ મેઘરથ, માતાનું નામ રૂપરેખા અને પિતાનું નામ સમરથ હતું. તેમનાં માતા-પિતા અને બ્રાહ્મણ, પણ ધર્મ જૈન ઉપાસક હતાં. પુત્ર સમરથે આચાર્ય વજીસ્વામી અને આર્ય રથસૂરિની પરંપરાના કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્ય સિંહસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્ય ધર્મસૂરિ પાસે દીક્ષા લઈ કંદિલ મુનિના નામે ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો હતો અને બ્રહ્મક્રીપિકા શાખાના આચાર્ય સિંહસૂરિ પાસે આગમ અને પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય હતા. તેમના સમયમાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈનધર્મ વચ્ચે સંઘર્ષ ચાલ્યો, ઉત્તર ભારતમાં હૂણે અને ગુપ્તાનું ખૂનખાર યુદ્ધ ચાલ્યું અને તેમાં વળી બાર વર્ષને ભયંકર - Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy