SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo શાસનપ્રભાવક નિર્વાણની છઠ્ઠી–સાતમી અને આઠમી શતાબ્દી સંભવે છે. આચાર્ય સિંહસૂરિ પછી આચાર્ય સ્કંદિલ થયા. તેમની આગમવાચનાને સમય વીરનિર્વાણ સં. ૮૨૭ થી ૮૪૦ વચ્ચેનું મનાય છે. આથી એ પૂર્વે આ આચાર્યો થયાનું સંભવે છે. મંત્રાધિરાજગર્ભિત “શાનિસ્તેત્ર” તથા “વિજ્યપહુત્તિસ્તોત્ર'ના રચિયતા આચાર્ય શ્રી માનદેવસૂરિજી મહારાજ (પહેલા) આચાર્ય માનદેવસૂરિ મહાન ત્યાગી, જ્ઞાની તથા સમર્થ ચારિત્રધારી, મંત્રવિદ્યાના જાણકાર અને “શાંતિસ્તવ” તથા “વિજયપહત્ત સ્તોત્રના રચયિતા હતા. શ્રી માનદેવસૂરિ શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે થયા અને શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરાએ ૧લ્મા પટ્ટધર થયા હતા. શ્રી માનદેવસૂરિને જન્મ મારવાડમાં આવેલા નાડોલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનેશ્વર અને માતાનું નામ ધારિણી હતું. એક વાર શ્રી પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં નાડેલ પધાર્યા ત્યારે તેમને ઉપદેશ સાંભળી તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ટૂંક સમયમાં જ શાસ્ત્રાભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં વિદ્વત્તા પ્રાપ્ત કરતાં, શ્રી પ્રદ્યોતનસૂરિએ તેમને આચાર્યપદે આરૂઢ કરી શ્રી માનદેવસૂરિ નામથી ઉદૂષિત કર્યા હતા. આ સમયે ગુરુમહારાજે તેમના ખભા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીનાં ચિહ્નો જેમાં વિચાર કર્યો કે, આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ? આનું ચારિત્ર અખંડ રહેશે કે કેમ?—ગુરુદેવની આ મને વેદના નિહાળીને શ્રી માનદેવસૂરિએ તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે—“આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહેરીશ નહીં અને દરેક વિગઈને ત્યાગ કરીશ.” સૂરિજીએ આ પ્રતિજ્ઞા આજીવન ચુસ્તપણે પાળી. આચાર્ય માનદેવસૂરિનું તપ અત્યંત ઉજ્જવળ હતું. તેમના અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજસથી પ્રભાવિત થઈ જ્યા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ નિરંતર વંદન કરવા આવતી હતી. આથી પણ સૂરિજીને યશ સવિશેષ ફેલાય હતે. આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર ભારતના જેનેના કેન્દ્રરૂપ ગણાતી હતી. ત્યાં સેંકડે જૈનમંદિરે હતાં. આ નગરમાં અચાનક મહામારીને રેગ ફેલાયે. હજારો માણસ મર્યા. આખું નગર સ્મશાનવત્ બની ગયું. મેર કપાત વ્યાપી વળે. આવી વિકટ આપત્તિ સમયે ભક્તિવાન શ્રાવકોએ નગરની રક્ષા કરવા શાસનદેવીને આરાધી. દેવી પ્રત્યક્ષ થતાં જણાવ્યું કે “નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ છે, તેમનાં ચરણનું જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે. પણ આ ઉપદ્રવ શાંત થતાં તમે આ નગરને ત્યાગ કરીને બીજે ચાલ્યા જજે, કારણ કે આજથી ત્રણ વર્ષ પછી સ્વેચ્છના હાથે આ નગરને ભંગ થવાને છે.” આ સાંભળી બધા શ્રાવકેએ ભેગા થઈ, વિરદત્ત નામના શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર આપી નાડેલ મોકલ્ય. વરદત્ત નાડોલ પહોંચે. શ્રી માનદેવસૂરિને સર્વ હકીક્ત જણાવી વિજ્ઞપ્તિપત્ર આપ્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy