SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શાસનપ્રભાવક આઠ નાગકુલોને જૈનધર્મી બનાવનારા અને સાડા નવ પૂર્વના જ્ઞાતા આચાર્યશ્રી આર્ય નંદિલસૂરિજી મહારાજ છવાદિ પદાર્થોના વ્યાખ્યાતા અને ચરણકરણનુયોગમાં નિષ્ણાત આચાર્યશ્રી નાગહસ્તિસૂરિજી મહારાજ વાચકવંશને સવિશેષ વૃદ્ધિવંત બનાવનાર વાચનાચાર્ય આચાર્યશ્રી રેવતી નક્ષત્રસૂરિજી મહારાજ કાલિકકૃતના પ્રખર જ્ઞાતા અને અનુયાગકુશલ આચાર્યશ્રી સિહસૂરિજી મહારાજ પ્રબંધકોશમાં આર્ય નંદિલ, આચાર્ય નાગહસ્તિ, આચાર્ય રેવતી નક્ષત્ર અને આચાર્ય સિંહસૂરિ—એ ચારેયનું વર્ણન કરવામાં આવે છે. તે ચારેય વાચનાચાર્ય પરંપરાના છે. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આર્ય મંગૂસૂરિ પછી આચાર્ય ધર્મસૂરિ, ભદ્રગુપ્તસૂરિ, આચાર્ય વજીસ્વામી અને આર્ય રક્ષિતસૂરિને કમ છે. તેમની પછી આર્ય નંદિલને ઉલ્લેખ છે. આ મંદિલને યુગપ્રધાનકાળ વીરનિર્વાણ સં. ૧૯૭થી શરૂ થાય છે. આય નંદિલ પછી આચાર્ય નાગહસ્તિને ઉલ્લેખ છે. પ્રભાવક ચરિત્ર પ્રમાણે ગગનગામિની વિદ્યાના પારગામી આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુનું નામ નાગહસ્તિ છે. આચાર્ય નાગહસ્તિ પછી રેવતી નક્ષત્ર તેમ જ સિંહસૂરિને ક્રમશઃ ઉલ્લેખ છે. | આચાર્ય સિંહસૂરિને સંબંધ બ્રહ્મઢીપિકા શાખાવતી માનવામાં આવ્યો છે. બ્રહ્મઢીપિકા શાખાની ઉત્પત્તિ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થયેલા આચાર્ય સિંહગિરિસૂરિના શિષ્ય આચાર્ય સમિતથી થઈ હતી. આર્ય મંદિલ, આચાર્ય નાગહસ્તિ, આચાર્ય રેવતી નક્ષત્ર અને આચાર્ય સિંહસૂરિ—એ ચારેયની આચાર્ય દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભાવપૂર્ણ શબ્દોથી સ્તુતિ કરી છે. આર્ય નંદિલના વિષયમાં તેઓ લખે છે કે— णाणम्मि दसणाम्मि य तव विणए णिच्चकालुजुत्तम् । अज्जाणंदिल खमणं सिरसा वन्दे पसण्णमर्णम् ॥ અર્થાત્ જ્ઞાન, દર્શન, તપ, વિનયમાં નિરંતર ઉદ્યમવાળા, પ્રસન્ન મનવાળા, આર્ય દિલમુનિને હું મસ્તકથી વંદન કરું છું. પ્રભાવકચરિત'ના વર્ણન પ્રમાણે સાડા નવ પૂર્વના જ્ઞાતા આર્ય નંદિલે સાસુના વ્યવહારથી દુઃખી વૈરાસ્યા નામની એક બહેનને ક્ષમાધર્મને ઉપદેશ આપી, તેના મનના આવેગને શાંત કર્યો હતો અને તેના મનોરથ પૂર્ણ થતાં તે વૈરાગ્ય પામી, સાધ્વી બની, સમતાભાવથી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy