SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો તરીકે ખ્યાતિ પામ્યું. નિગ્રંથગચ્છનું એ શું નામ છે. આજે જે જે જૈનમુનિઓ છે તે પ્રાયઃ દરેક ચંદ્રકુળના છે અને તેથી દરેક મુનિ દીક્ષા લે ત્યારે દીક્ષિતને “તમારાં કટિકગણ, વજાશાખા અને ચંદ્રકુળ છે” એવો દિગબંધ સંભળાય છે. આમ, શ્રી ચંદ્રસૂરિની પરંપરા બહુ વિસ્તાર પામી છે. શ્રી સમતભદ્રસૂરિના પૂર્વજીવનની માહિતી મળતી નથી, પણ તેમણે પ્રથમ દિગમ્બર મુનિદીક્ષા લીધી હોય અને પછી અન્ય – બૌદ્ધભિક્ષુ કે શવભક્ત કે તપસ્વી થયા હોય અને છેલ્લે શ્વેતાંબર મુનિદીક્ષા લીધી હોવાને સંભવ છે. શ્રી સમતભદ્રસૂરિનું વિહારક્ષેત્ર વિશાળ હતું. વળી તેઓ સમર્થ જ્ઞાની અને વાદવિજેતા પણ હતા. તેમણે પટણા, માળવા, સિંધ, ઠકક, કાંચી, વિદિશા અને કરોડમાં શાસ્ત્રાર્થ કરી વિજ્ય મેળવ્યાના પુરાવાઓ મળે છે. શ્રી સમંતભદ્રસૂરિએ શ્વેતાંબર-દિગંબરના ભેદોને દૂર કરવા અને બંનેને એક કરવા અનેક પ્રયત્ન કર્યા હતા. તેઓ ઉત્કટ ત્યાગી હતા અને વનમાં કે ગામ બહાર યક્ષાદિનાં મંદિરમાં વિશેષ રહેતા હતા, તેથી તેમને શિષ્ય પરિવાર “વનવાસીગચ્છ” તરીકે ખ્યાતિ પામેલ છે. વીરનિર્વાણ સં. ૬૫૦ લગભગમાં આ વનવાસીગચ્છને પ્રારંભ થશે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યોને તેમને સમાગમ સારે એવે થયે હેવાને સંભવ છે અને તે કારણે જ દિગંબરે શ્રી સમંતભદ્રસૂરિને પૂજ્યભાવે માને છે અને તેમના સાહિત્યને પણ આમાગમ તરીકે સ્વીકારે છે. એટલું જ નહિ, દિગંબર વિદ્વાનોએ પાછળથી એ સાહિત્યને વિકસાવેલ પણ છે. શ્રી સમંતભદ્રસૂરિએ “આત્મમીમાંસા' કાવ્ય શ્લેક ૧૪૪ (દેવાંગમસ્તેત્ર), યુકત્યનુશાસન પદ્ય ૬૪, જિનસ્તુતિશતક પદ્ય ૧૧૬, સ્વયંભૂ (મંતભદ્ર) તેત્ર પદ્ય ૧૪૩ (ચૈત્યવંદનસંગ્રહ) જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃત વ્યાખ્યાન, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભત ટીકા વગેરે ગ્રંથની રચના કરી છે. “આત્મમીમાંસા એ તેમનું જીવંત અને ચિરંતન સાહિત્ય છે. ન્યાયને પ્રૌઢ ગ્રંથ છે. આત્મમીમાંસાની અષ્ટસહસી ટીકા પર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૮૦૦૦ શ્લેક પ્રમાણ ટિપ્પણ કરેલ છે. આ આત્મમીમાંસા, કે જેનું બીજું નામ દેવાગમસ્તોત્ર છે, જે પોતાના શિષ્ય-પટ્ટધર શ્રી વૃદ્ધદેવસૂરિને જ્ઞાન કરાવવા બનાવ્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને આચાર્ય મલયગિરિજી મહારાજ પિતાના સાહિત્યમાં શ્રી સમતભદ્રસૂરિને મહાન સ્તુતિકાર તરીકે ઓળખાવે છે. એકંદરે, શ્રી સમંતભદ્રસૂરિ તે યુગના આદર્શ ત્યાગી છે, વેતાંબર અને દિગંબર–બંને સંપ્રદાયમાં માન્ય સમર્થ ગ્રંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખર વાદવિજેતા હતા. શ્રી સમંતભદ્રસૂરિએ કરંટાતીર્થમાં ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી હતી અને કમે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, શ્રી વૃદ્ધદેવસૂરિ નામ આપી, પિતાની પાટે સ્થાપી ત્યારે પછી વિહાર કરતાં કરતાં શત્રુંજય તીર્થ પધારી, ત્યાં જ અનશનપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy