SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શાસનપ્રભાવક " નામના માળીએ શ્રી વાસ્વામીને જોઇ, વંદન કરીને કહ્યું કે મારા યોગ્ય કંઈ કાય ફરમાવેા. ’ ત્યારે ગુરુએ કહ્યું કે હું આ ! મારે સુંદર પુષ્પોનું કામ છે. ” એટલે માળીએ કહ્યું કે આપ પાછા ફરે ત્યારે પુષ્પા લેતા જજો. ” એમ સાંભળી વાસ્વામી ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્યંત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભ આપી, આશિષથી તેને આન ંદ પમાડી, પેાતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં શાભનું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે તેમને અર્પણ કર્યું. તે લઈ આચાય. વાસ્વામી પિતાના મિત્ર દેવ પાસે આવ્યા. ત્યાં જ઼ભક દેવતાઓએ આકાશમાં રહી સંગીત-મહેાત્સવ કર્યા. દિવ્ય વાજિંત્રા વાગતાં વાતાવરણ સંગીતમય થઈ ગયુ. એચ્છવ કરતા દેવાને પેાતાની ઉપર આવતાં જોઇ બૌદ્ધ લાકે ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે— અહા ! આપણા ધર્મના મહિમા તે જુએ કે દેવતાએ આવે છે!” ત્યાં તા દેવા તેના દેખાતાં જ જિનમંદિરમાં ચાલ્યા ! જિનમદિરે જિનેશ્વર ભગવંતની પુજા કરીને બધા શ્રાવકો ઘણા આનંદ પામ્યા અને પર્યુષણા મહાપના દિવસોમાં શ્રી ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યે. આ ચમત્કાર જોઈ રાજા પણ સંતુષ્ટ થઇ ગુરુમહારાજ પાસે આવ્યા. આચાય વસ્વામીએ તેને પ્રતિબાધ પમાડી જૈનધર્મી બનાવ્યે. એક વખત ઉત્તર ભારતમાં બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડતાં, આચાર્ય શ્રી વાસ્વામી શિષ્યપરિવારસહુ દક્ષિણ ભારત તરફ વિહાર કરી ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યાં. તે વખતે શ્લેષ્મરેગને દૂર કરવા વહોરીને સૂંઠને એક કટકો લાવ્યા હતા. અને વાપરતાં બાકી વધેલા તે કટકે પોતાના કાન પર મૂકી દીધા હતા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણમાં અહે। કાય'ના પાઠ કરતાં મુહપત્તીથી કાનના પડિલેહણમાં નીચે પડયો. તે જોતાં તેમણે વિચાર કર્યાં કે—“ અરે, મને વિસ્મૃતિના ઉદય થયા છે. તેથી હવે મારુ આયુષ્ય ક્ષીણ થયું જણાય છે. હવે પૂના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ આવશે. ’ આમ, આચાર્ય વાસ્વામીએ પાતાના અંતિમ કાળ નજીક જાણી, અને આવનારા દિવસે પણ દુષ્કર જાણી, આચાર્યાં વસેનસૂરિને સઘળી સંઘવ્યવસ્થા ભળાવી ખાસ કહ્યું કે... હે ગુરુબંધુ ! હવેના દિવસે ખૂબ જ કપરા આવનાર છે. પણ તમને જે દિવસે સાનૈયાની કિંમતવાળા ચાખામાં ઝેર મેળવેલા આહાર મળે તેને બીજે જ દિવસે સુકાળ થશે, તે યાદ રાખજો. "" આચાર્ય વાસ્વામી પછી ત્યાંથી વિહાર કરી ગયા. દુષ્કાળને લીધે ભિક્ષા પ્રાપ્ત ન થતાં તેએએ સાથેના સર્વ સાધુઓને વિદ્યાપિંડથી આહાર કરાવી કહ્યું કે આ રીતે બાર વર્ષ સુધી વિદ્યાપિ’ડથી જ આહાર કરવા પડશે, માટે અનશન ચેાગ્ય છે. ’’ આથી આચાર્ય વાસ્વામી સાથે દરેક સાધુઅનશન કરવા તૈયાર થયા. એમાં એક બાલમુનિ પણ હતા. આચાર્યશ્રીએ તેને અનશન કરવાની ના પાડી, તે પણ તે સાથે જ ગયા. એક દિવસ આ બાલમુનિને નિદ્રામાં મૂકી સૌ આગળ ગયા. બાલમુનિ ત્યાં જ એકલા રહી અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. આ ખબર મળતાં આચાર્ય વાસ્વામીએ ખીજા સાધુએ સમક્ષ આ બાલમુનિની દૃઢતા, ધીરતા અને વીરતાની અનુમેાદના કરી. ત્યારબાદ બધા શ્રમણાએ એક પર્વત પર જઈને અનશન કર્યુ. ત્યાં એક દેવે આવીને બધાયને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યાં. આથી આચાર્ય શ્રી સવ સાધુઓને લઈ ખીજા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy