SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૫૫ પર્વત પર ગયા અને ત્યાં અનશનપૂર્ણાંક બધા સાધુએ અને આચાય વસ્વામી સ્વર્ગવાસ પામ્યા. આ ઘટના બન્યા પછી સૌધમેન્દ્રદેવે અહીં આવી રથ વડે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. આથી આ ગિરિરાજ ત્યારથી થાવતગિરિ નામે પ્રસિદ્ધ થયા. આચાય વસ્વામીના સ્વર્ગવાસ પછી દશમું પ, ચેાથું સંસ્થાન અને ચાથું હનન વિચ્છેદ પામ્યું હતું. (· પ્રભાવકચરિત્ર ’ને આધારે. ) [ શ્રી વાસ્વામીના સ્વાસ સંબંધમાં ‘ પ્રભાવકચરિત્ર 'માં કોઇ ઉલ્લેખ નથી. પણ યુગપ્રધાન પટ્ટાવલીમાં એ બધી વાતાના ખુલાસા કરેલા છે. શ્રી વજીસ્વામી પ્રથમ ઉદયના ૧૮મા યુગપ્રધાન હતા. એમનું આયુષ્ય ૮૮ વનું હતું, જેમાંનાં ૮ વર્ષે ગૃહપર્યાયમાં, ૪૪ વ સામાન્ય શ્રમણુપર્યાયમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાનપર્યાયમાં વ્યતીત થયાં હતાં. તેમના જન્મ વીરનિર્વાણુ સં.૪૯૬માં, સ. ૫૦૪માં દીક્ષા, સ. ૫૪૮માં યુગપ્રધાનપદ અને સ’. ૫૮૪ (વિ. સ’. ૧૧૪ )માં આ અંતિમ દશ પૂર્વધર આચાય ના સ્વર્ગવાસ થયા હતા.—પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. ] . જેમના દ્વારા ચાર અનુયાગામાં વિભાજિત આગમા અદ્યાપિ ત પ્રવર્તી રહ્યાં છે એવા યુગપ્રભાવક આચાર્ય શ્રી આરક્ષિતસૂરિજી મહારાજ અવંતિ ( માળવા ) દેશમાં દશપુર નામે નગર હતું. તેમાં વિશિષ્ટ બુદ્ધિવાળા સામદેવ નામે પુરહિત રહેતા હતા. તેને રુદ્રોમા નામે પ્રિયા હતી. તેને બે પુત્રા થયા. તેમાં પહેલા આરક્ષિત અને બીજો ફલ્ગુરક્ષિત હતા. પુરોહિતે બંનેને અંગસહિત વેદા ભણાવ્યા. આરક્ષિત પોતે વિદ્વાન થયા અને વિશેષ અભ્યાસ માટે પાટલિપુત્ર ગયા. ત્યાં દિવ્યબળની સ્ફુરણાથી અલ્પકાળમાં ગુપ્ત વેદોપનિષદના પણ અભ્યાસ કર્યા; અને ઉપાધ્યાયની અનુજ્ઞા લઈ પેાતાને નગર પાછા ફર્યાં. રાજ્યના પુરહિતે આય રક્ષિતની પ્રકાંડ વિદ્વત્તાનું રાજ્યને નિવેદન કરતાં રાજા પોતે હાથી પર ચડી તેની સામે આવ્યેા. અને રાજાએ મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યા. અનુક્રમે તે પેાતાના આવાસમાં આવ્યેા. તેની માતા રુદ્રસામા જીવાજીવાદિક નવ તત્ત્વના વિસ્તારને જાણનારી શ્રાવિકા હતી. તે સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતાં પોતાના પુત્રને જોઇ ને પણ, સામાયિક-ભ ંગને લીધે, આશિષથી વધાભ્યે નહિ. આથી અત્યંત ખેદ પામી આ રક્ષિત વિચારવા લાગ્યા કે અભ્યાસ કરેલ સહુ શાસ્રા મારે મન તુચ્છ જેવાં છે કે જેથી મારી માતા તે સંતેાષ ન પામી !” એમ ધારીને એ કહેવા લાગ્યા કે હે માતા ! તમે ઉદ્વિગ્ન કેમ તેખા છે ? સ`તુષ્ટ કેમ નથી ? ” ત્યારે માતા એટલી કે દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ' ત્યારે આ રક્ષિતે કહ્યું—તે હવે વિલંબ 66 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy