SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૧૫૩ આચાર્ય સ્વામી અનેક ગ્રામ-નગરમાં વિચરતા. તેમની પ્રભાવક ઉપદેશકશૈલી સાંભળી જેને તેમ જ જૈનેતર પણ આકર્ષાતા. ઉપરાંત, તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉત્કૃષ્ટ મૂર્તિ જસ્વામી સૂરિ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં જૈનશાસનને જ્યજયકાર થતો. સૌ કે તેમનું કુદરતી અદ્દભુત રૂપ-લાવણ્ય અને બ્રહ્મચર્યનું તેજ નિહાળી મુગ્ધ બનતા. પાટલિપુત્ર નગરના કરોડપતિ ધનદેવ શ્રેણિવર્યની પુત્રી રૂક્ષ્મણી આચાર્યના રૂપ–લાવણ્યના વારંવાર વખાણ સાંભળી તેમના પર માહિત થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે, “પરણું તે વજસ્વામીને જ, નહિતર આજીવન બ્રહ્મચર્ય પાળીશ.” એક દિવસ આચાર્ય વાસ્વામી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા અને ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતર્યા. તેમણે પહેલા દિવસે તો પોતાનું રૂપ પણ બેડોળ બનાવ્યું હતું. પરંતુ રૂક્ષ્મણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતા પાસે જઈને કહ્યું કેમારા સ્વામી આવ્યા છે.” બીજા દિવસે ધનદેવ શેઠ, પાટલિપુત્રના રાજા અને સમગ્ર નગરજનો આચાર્ય મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા. આચાર્ય સ્વામીનું અદ્ભુત રૂપ, બ્રહ્મચર્યના તેજથી ચમકતું ભાલ સ્થલ અને અમેઘ ઉપદેશ શૈલી જોઈ–સાંભળી રાજા-પ્રજા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રુકમણીના પિતાને પણ થાય છે કે–આ ભવ્ય પુરુષ મારી પુત્રીને યોગ્ય છે. પછી મધ્યાહ્ન સમયે આચાર્ય પાસે આવીને તેણે પ્રાર્થના કરી કે –“તમેને હું મારી નવ્વાણું હજાર સોનામહેરો, આ બાગબગીચાવાળો મહેલ તેમ જ મારું કન્યારત્ન આપું છું; તેને આપ સ્વીકાર કરે.” આ સાંભળી આચાર્ય વજીસ્વામી પહેલાં તે હસી પડ્યા; પણ પછી ગંભીર થઈને બેલ્યા કે—“મહાનુભાવ ! હું તે સાધુ છું, નિષ્પરિગ્રહી છું. અમારે આ સર્વ ત્યાજ્ય હાય.” પછી આચાર્ય સ્વામીએ રુક્ષ્મણને ત્યાગમાર્ગનો મહિમા વિશદ રીતે સમજાવી, તેને પ્રતિબધી, તેને દીક્ષા પ્રદાન કરી. એક વખત વરસાદના અભાવે ભયંકર દુષ્કાળ આવી પડ્યો. પૃથ્વી પર સઘળા જીવોને અધિક ને અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સિદાતા શ્રીસંઘે આવીને શ્રી વજસ્વામીને નિવેદન કર્યું કે “હે ગુરુદેવ! અમારું રક્ષણ કરે.” વાસ્વામીએ તેઓની વાત ધ્યાનમાં લઈ, એક પટ વિસ્તારી, તેના પર શ્રીસંઘને બેસારી, ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયા હતા. તેણે આવીને કહ્યું કે–“હે પ્રભો ! મારે પણ ઉદ્ધાર કરો.” શ્રી વાસ્વામીએ તેને પણ સાથે લઈ લીધે. પછી એક સુખી દેશમાં આવેલી મહાપુરી નગરી કે જ્યાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લેકે વસતા હતા ત્યાં બધા આવી પહેંચ્યા. ત્યાંના સુકાળ અને રાજ્યની સમૃદ્ધિથી શ્રીસંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યું. એવામાં સર્વ પમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ મહાપર્વના દિવસો આવ્યા ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુપને નિષેધ કર્યો, એટલે શ્રી જિનપૂજાની ચિંતામાં આકુળવ્યાકુળ થઈને શ્રીસંઘે શ્રી વાસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી વજાસ્વામી શાસનકાર્ય માટે આકાશમાગે ઊડીને માહેશ્વરીનગરી આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર ગુણજ્ઞ માળી બગીચામાં રહેતા હતા. તે ફૂલસિંહ %. ૨૦ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy