________________
૧૫ર
શાસનપ્રભાવક
–“શું મુનિએ આવીને આ શાસ્ત્રાભ્યાસ કરે છે?” ત્યાં એ વમુનિના શબ્દો જાણીને તેમને ઘણે અંતેષ થે. તેમણે વિચાર્યું કે –“આ શાસનને ધન્ય છે કે જ્યાં આવા બાળમુનિ પંડિત છે.” પછી જ મુનિ ક્ષેભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે “નિસીહિને ઉચાર કર્યો. ગુરુને શબ્દ સાંભળતાં જ મુનિ ઉપકરણોને યથાસ્થાને મૂકીને લજ્જા અને ભય પામતાં ગુરુની સન્મુખ આવ્યા. ગુરુનાં ચરણ પૂછ, પ્રાસુક જળથી પંખાળી, પાદદકને વંદન કર્યું. તેમના આવા વિનયને જોઈ ગુરુએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી વૈયાવૃત્યમાં આ લઘુમુનિની અવજ્ઞા ન થાય” એમ વિચારીને ગુરુએ શિષ્યોને કહ્યું કે –“હવે અમે વિહાર કરીશું.” એ સાંભળી મુનિઓ કહેવા લાગ્યા કે –“અમને વાચના કેણ આપશે?” ત્યારે ગુરુ બેલ્યા–“આ વજમુનિ તમને વાચના આપીને સંતોષ પમાડશે.” મુનિઓએ ગુરુનું આ વચન માન્ય કર્યું. શાસ્ત્રમાં આ સિંહગિરિસૂરિના સુશિષ્યની પ્રશંસા કરવામાં આવે છે કે –
કે અદ્ભુત વિનય કે ગુરુ મહારાજે વમુનિ વાચના આપશે એમ કહ્યું અને બહુમાનપૂર્વક સૌએ એ સ્વીકારી લીધું.” પછી પડિલેહણ કરી મુનિઓ વજમુનિ પાસે આવ્યા એટલે વજામુનિએ તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યો. વિનાપ્રયાસે તેમને શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડ્યું કે મંદબુદ્ધિના પણ સહેલાઈથી સમજી શકે.
કેટલાક દિવસો પછી આચાર્ય મહારાજ પાછા આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછ્યો ત્યારે મુનિઓ સાથે મળીને કહેવા લાગ્યા કે—“આપ પૂજ્યની કૃપાથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડ્યું છે. તે હવે સદાયને માટે વામુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ.” વળી રમૂજમાં કહેવા લાગ્યા કે “આપ બે-ત્રણ દિવસ પછી પધાર્યા હતા તે સારું હતું.” એ સાંભળી ગુરુએ કહ્યું કે—“એ મુનિના અદ્ભુત ગુણગૌરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતે.” અહીં ગુરુના આગમન સુધીમાં વમુનિએ તપસ્યાવિધાનથી સંશુદ્ધિયુક્ત વાચનાપૂર્વક આગમને અભ્યાસ કરી લીધો હતો. પછી ગુરુએ દશપુરમાં જઈ વજમુનિને શેષ શ્રતને અભ્યાસ કરવા માટે અવંતિમાં આદર સહિત શ્રી ભદ્રગુમસૂરિ પાસે મેકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર સ્થિરતા કરી.
આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શિષ્યને પિતાને આવેલા સ્વપ્નની વાત જણાવી કે– “ દુગ્ધથી પૂર્ણ મારું પાત્ર કઈ અતિથિ આવીને પી ગયે, તેથી સમસ્ત દશ પૂર્વને અભ્યાસ કરનાર કેઈ આવશે.” એમ બોલતા હતા ત્યાં વમુનિ તેમની સમક્ષ આવી, વંદન કરીને, બેલ્યા–“હે પૂજ્યવર ! મને મારા ગુરુદેવ આચાર્ય સિંહગિરિસૂરિએ આપની પાસે દશ પૂર્વને અભ્યાસ કરવા મેક છે.” આચાર્ય ભદ્રગુપ્તસૂરિએ પિતાને આવેલા સ્વપ્નની યથાર્થતા જાણી, પ્રસન્નતાપૂર્વક વજમુનિને દશ પૂર્વને અભ્યાસ કરાવ્યું. વામુનિ વિનય અને સેવાભક્તિપૂર્વક દશ પૂર્વેનું જ્ઞાન મેળવી પુનઃ ગુરુદેવ પાસે આવ્યા.
આચાર્ય સિંહગિરિસૂરિએ જ્ઞાનસમ્પન્ન વજમુનિને સર્વ રીતે યોગ્ય જાણી આચાર્ય પદથી અલંકૃત કર્યા. તેમને ગચ્છને ભાર શેંપી, નિશ્ચિત બની, અનશનપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. વજમુનિએ ત્યારથી આચાર્ય વાસ્વામી બની યુગપ્રધાનપદની ધુરા સંભાળી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org