SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૧૫૧ નાદ સાથે જયજયરવ પ્રગટ થયે. આથી રાજાએ પ્રસન્ન થઈ શ્રીસંઘની પ્રશંસા કરી. પછી શ્રાવકસમુદાયથી પરિવરાયેલા શ્રમણે પણ પિતાના સ્થાને આવ્યા. વજ આઠ વર્ષને થતાં તેને આચાર્ય સિંહગિરિસૂરિએ દીક્ષા આપી. બાલમુનિ વજ પહેલેથી જ સંસ્કાર, જ્ઞાન અને વૈરાગ્યભાવસંપન્ન હતા. દીક્ષા લઈ સંયમ, જ્ઞાન, ત્યાગ તપમાં વિશેષ દક્ષ બન્યા. પૂર્વની જેમ તેમની બાળ સાધુ જીવનમાં પણ અનેક કસોટી થઈ અને દરેક પ્રસંગે તેમાં પાર ઊતરીને સાધુજીવનને ઉજજવળ અને ઉન્નત બનાવતા રહ્યા. આ બાજુ સુનંદાએ વિચાર કર્યો કે–“મારા ભ્રાતા, પતિ અને પુત્ર મુનિ થયા, તે હવે મારે પણ સંયમનું શરણ લેવું જોઈએ.” આથી તેણે પણ દીક્ષા અંગીકાર કરી. એક વાર આચાર્ય સિંહગિરિસૂરિ શિષ્ય પરિવાર સાથે વિહાર કરતાં અવંતિ નગરના ઉદ્યાનમાં પધાર્યા. અહીં બાલમુનિ વજીની પરીક્ષા કરવા તેમના પૂર્વ ભવના દેવમિત્રે જંભક આદિ વૈકિય મેઘમાળા કરી. આની મયૂરના કેકારે અને સારસના મધુર સ્વરે ગુંજી ઊઠયા. oળખળ કરતા જળપ્રવાહથી પ્લાવિત બનેલી ભૂમિ જાણે જળમય ભાસવા લાગી. આવા સમયે અપકાયના જીની પણ વિરાધના ન થાય તે માટે ગુરુ મહારાજે શિષ્ય પરિવાર સાથે એક વિશાળ ગિરિગુફામાં નિવાસ કર્યો. મેઘ ઘણુ સમય સુધી વિરામ ન પામતાં મુનિ મહારાજે ઉપવાસ કરી જ્ઞાન ધ્યાનમાં લીન રહ્યા. ઘણા સમય પછી મેઘ વિરામ પામતાં સૂર્ય દષ્ટિમાન બન્યા. બાલમુનિ વજા આદિના ઉગ્ર તપથી સંતુષ્ટ થયેલા દે શ્રાવકનાં રૂપ લઈને ત્યાં આવ્યા અને પારણું માટે વિનંતિ કરી. બાલમુનિ ગુરુ-આજ્ઞા લઈ ગોચરી વહેવા ગયા. માર્ગમાં તેમણે જે જે જોયું તેનાથી વિસ્મય પામ્યા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરતાં, તેનાથી સર્વ વિરુદ્ધ જ જુએ છે. દ્રવ્યથી કેળાને પાક જોવામાં આવ્યું, ક્ષેત્રથી માલવ દેશ જે, કાળથી ગ્રીષ્મ ઋતુ હતી અને ભાવથી વિચાર કરતાં તે શ્રાવકે અનિમિષ નેત્રેવાળા હતા! તેમના પગ ભૂમિને સ્પર્શતા ન હતા એટલે કે તેઓ મનુષ્ય ન હતા; દેવ હતા! અને દેવ દ્વારા પ્રાપ્ત આહાર દેવપિંડ ગણાય તેથી તે કપે નહીં. આથી આ શ્રાવકને વહેરવા આવવાની બાલમુનિ વજી ના જણાવી વાસ્તવિકતા જણાવી. આ સાંભળી દે ખૂબ પ્રસન્ન થયા અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ વજી મુનિને વંદન કરી વૈક્રિયલબ્ધિ અર્પણ કરી. બીજી વાર એ જ દે કસોટી કરવા જેઠ મહિનામાં પુનઃ આવ્યા. બાલમુનિ વજને ઘેબર વહેરવા માટે વિનંતિ કરી, ત્યારે પણ વજમુનિ જ્ઞાનોપયોગથી દેને ઓળખી જાય છે અને આહાર વહેતા નથી. દેએ પણ ખૂબ પ્રસન્ન થઈને બાલમુનિ વજાને “આકાશગામિની” વિદ્યા અર્પણ કરી. એક વખત ગુરુ મહારાજ ઈંડિલભૂમિએ ગયા હતા અને બીજા ગીતાર્થ મુનિએ ગોચરી વહેરવા ગયા હતા. એટલે વજમુનિ બાલ્યભાવથી બધા મુનિઓનાં વીટિયા નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશેલા એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપની શરૂ કરે છે. એવામાં ગુરુ મહારાજ શ્રી સિંહગિરિ ઉપાશ્રય નજીક આવ્યા. મેઘ જેવા ગંભીર વજમુનિના શબ્દો તેમના સાંભળવામાં આવ્યા, જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે– Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy