SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શાસનપ્રભાવક દિવસ લૌકિક ઇન્દ્રપર્વ તરીકે ઊજવાતું હતું, અને તેના મહોત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ આચાર્ય કાલસૂરિને વિનંતી કરી કે, “ભાદરવા સુદિ પાંચમ લૌકિક પર્વ–મહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભાદરવા સુદિ પાંચમને બદલે ચોથને દિવસે કરે; જેથી હું તેની બરાબર આરાધના કરી શકું.” આચાર્ય કાલકસૂરિ તેમ કરવા સમ્મત થયા. એટલે આચાર્ય મહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદિ ચોથને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભાદરવા સુદિ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવું– અને ત્યારથી સંવત્સરી મહાપર્વની આરાધના, આચાર્ય કાલકસૂરિને એ નિર્ણય એકરૂપે સૌ કોઈને માન્ય બની, ભાદરવા સુદિ ચોથના દિવસે ઊજવાતી આવી છે, જે પરંપરા આજ લગભગ ૧૧૦૦ વર્ષથી પ્રવર્તી રહી છે, અને તે તેમના અદ્વિતીય પ્રતાપ અને પ્રભાવને ચરિતાર્થ કરે છે. આચાર્ય કાલકસૂરિ તેમની વૃદ્ધાવસ્થાએ અવંતિ પધાર્યા ત્યારની આ વાત છે. વાર્ધકચની ચિંતા કર્યા વગર તેઓ પિતાના શિષ્ય સમુદાયને આગમવાચના આપી રહ્યા હતા. આચાર્ય કાલકસૂરિ જે ઉત્સાહ તેમના શિષ્ય સમુદાયમાં ન હતા. શિષ્ય આગમવાચના ગ્રહણ કરવામાં ઉદાસીન હતા. પિતાના શિષ્યોના પ્રમાદભાવથી આચાર્ય ખેદ પામ્યા. તેઓને શિક્ષા કરવા માટે આચાર્ય કાલકસૂરિએ શિથી અલગ થવાની વાત વિચારી. આચાર્યશ્રીએ ગંભીરપણે વિચાર કર્યો કે—અવિનીત અને પ્રમાદી શિષ્યો કષ્ટદાયક થાય છે. તેમની સાથે રહેવાથી દુર્ગતિનું બંધન થાય છે. આથી શિષ્યોને મોહ છોડી બીજે ચાલ્યા જવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. આમ વિચાર કરીને તેમણે શય્યાતરની પાસે જઈને કહ્યું કે –“હું મારા અવિનીત અને પ્રમાદી શિષ્યસમુદાયને જણાવ્યા વિના મારા પ્રશિષ્ય સાગરની પાસે સ્વર્ણભૂમિ તરફ જાઉં છું. વિચાર છું કે–શિષ્યો દ્વારા અનુગ ગ્રહણ ન કરાય તે માટે તેમની વચ્ચે રહેવાને કેઈ ઉપયોગ નથી. ઊલટું, એ શિષ્યની ઉછુંખલતા કર્મબંધનને હેતુ છે. બની શકે કે મારા ચાલ્યા જવાથી તેઓને પિતાની ભૂલ સમજાય અને તેઓને ભૂલ સમજાય તે જ મારા ચાલ્યા જવાની વાત, શિષ્યવર્ગ અત્યંત આગ્રહપૂર્વક પૂછે તો જ, અને તે પણ તેમને રોહરહિત સ્વરમાં જ બતાવવી.” શય્યાતરને આ પ્રમાણે સૂચના આપી, શિષ્યોને કહ્યા વગર આચાર્ય કાલકસૂરિએ એકલા વિહાર કર્યો. વચ્ચેની ભૂમિ વસ્તીને દૂર કરી અત્યંત દૂર સ્વર્ણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે પહોંચ્યા. આગમવાચનરત પ્રશિષ્ય સાગરે તેમને સામાન્ય વૃદ્ધ સાધુ સમજી, તેમનું અભ્યસ્થાદિપૂર્વક કેઈ સ્વાગત ન કર્યું. અર્ધપૌરૂષી (અર્ધવાચના)ના સમયે પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલકસૂરિને સંકેત કરી પૂછયું કે, “હે મુનિ! મારું કથન આપને સમજાય છે?” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે, “હા.” સાગરમુનિ ગર્વ સહિત બોલ્યા, “વૃદ્ધ! સાવધાન થઈને સાંભળે.” આચાર્ય કાલકસૂરિ ગંભીર મુદ્રામાં બેઠા હતા. મુનિ સાગર અનુગ આપવામાં પ્રવૃત્ત થયા. આ બાજુ આચાર્ય કાલકસૂરિના શિષ્યોએ પ્રાતઃકાળે જોયું કે, આચાર્ય કાલકસૂરિ તેમની વચ્ચે નથી. તેમણે ચારે તરફ તપાસ કરી પણ તેઓ ન મળ્યા. શય્યાતર પાસે જઈને પૂછ્યું, આચાર્યદેવ ક્યાં છે?” મુખમુદ્રાને વક બનાવી શય્યાતરે કહ્યું, “તમારા આચાર્યો તમને કાંઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy