SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧૩૭ પુરાઈ ગયું અને શક સામંત તથા લાટના વિરાટ સેન્ય સામે ઉજજયિનીની સેના પરાસ્ત થતાં ગભિલ્લ રાજાને પરાજય થયો. બહેન સરસ્વતીને મુક્ત કરાવી આચાર્ય કાલકસૂરિએ ફરીથી પ્રાયશ્ચિત્તપૂર્વક તેમને દીક્ષા આપી. આચાર્ય પોતે પણ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં સમતાભાવ લાવી વિશુદ્ધ થયા. યુદ્ધના અંતે અવન્તિ પર શક સામંતનું શાસન સ્થપાયું. કેટલાક સમય પછી આ વિદેશી સત્તાને હરાવી રાજા બલમિત્રભાનુમિત્ર અવનિપતિ બન્યા. જ્યારે “બૃહક૯૫ ભાષ્યચૂર્ણિ'ના આધારે રાજા બલમિત્ર અને ભાનુમિત્રએ વિજય મેળવી, બલમિત્રે રાજ્ય સંભાળ્યું અને નાના ભાઈ ભાનુમિત્રને યુવરાજ બનાવ્યો. આ બલમિત્ર એ જ વિક્રમ સંવત-પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય હતા અને તે બંને ભાઈઓ આચાર્ય કાલકસૂરિના ભાણેજ હતા. આચાર્ય કાલકસૂરિ પ્રભાવશાળી વ્યક્તિત્વ વડે પૂર્વવત્ સંઘનું નેતૃત્વ સંભાળવા લાગ્યા. નિશીથચૂર્ણ મુજબ એક વખત આચાર્ય કાલકે અવન્તિમાં ચાતુર્માસ કર્યું હતું. અવન્તિ પર એ સમયે બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. બલમિત્ર અને ભાનુમિત્રની બહેનનું નામ ભાનુશ્રી હતું. ભાનુશ્રીના પુત્રનું નામ બલભાનું હતું. પરમ વૈરાગ્ય પામીને બલભાનુએ આચાર્ય કાલક પાસે દીક્ષા લીધી. તેથી બલમિત્ર અને ભાનુમિત્ર રેષે ભરાયા. તેમણે પ્રતિકૂળ પરિષહો ઉત્પન્ન કરી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવા માટે વિવશ કરી દીધા. પ્રભાવક ચરિત્ર મુજબ, આચાર્ય કાલકનું ચાતુર્માસ ભરૂચમાં હતું. બલમિત્રની બહેન ભાનુશ્રી અને ભાણેજ ભાનુમિત્રને ઉલેખ પ્રભાવક ચરિત્રમાં છે. એ ગ્રંથ મુજબ ચાતુર્માસમાં આચાર્ય કાલકસૂરિના વિહારનું નિમિત્ત રાજપુરોહિત હતા. ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને આચાર્ય કાલક ઉપર અગાધ શ્રદ્ધા હતી. પરંતુ આચાર્યને મળતું રાજસન્માન જોઈ ભરૂચને રાજપુરોહિત ઈર્ષા કર્તા હતા. એક દિવસ શાસ્ત્રાર્થમાં આચાર્ય કાલકથી પરાભવ પામી, રાજપુરોહિતે આચાર્યને કાઢી મૂકવાની લેજના વિચારી. તેણે બલમિત્ર અને ભાનુમિત્રને જણાવ્યું કે, “રાજ! મહાપુણ્યશાળી આચાર્ય કાલકનાં ચરણ આપણું માટે વંદનીય છે. માર્ગ પર અંક્તિ તેમનાં ચરણચિહ્નો પર નગરજનાં પગ પડવાથી અથવા તેમનું ઉલ્લંઘન કરવાથી ગુરુજનની અશાતના થાય છે. આ અશાતના રાજ્ય માટે વિદાકારક છે. આથી દેશમાં અમંગલ થવાને સંભવ છે.” બંને ભાઈએનાં સરળ હૃદયમાં નિકટવર્તી રાજપુરોહિતની વાત ઊતરી ગઈ. પરંતુ વર્ષાકાળમાં આચાર્ય કાલકને કાઢી મૂકવામાં ઘણી નિંદા થવાને ભય હતે. એ અપવાદથી બચવા રાજાના આદેશથી રાજપુરેહિતે ઘરે ઘરે આધાકર્મોષનિષ્પન્ન ભારે ભેજન આચાર્ય કાલકને આપવાની ઘોષણા કરી. નગરનાં લેકેએ તેમ કર્યું. એષણીય આહારપ્રાપ્તિના અભાવમાં રાજ્ય-વ્યવસ્થા તરફથી અનુકૂળ ઉપસર્ગ થયેલ જાણું આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરે પડ્યો. ત્યાંથી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુર પધાર્યા. પ્રતિષ્ઠાનપુરના શાસક શાતવાહન (શાલિન વાહન) રાજા જૈનધર્મના વિશેષ અનુરાગી હતા. નગરજને સહિત સાતવાહન રાજાએ આચાર્ય કાલકસૂરિનું ભવ્ય સન્માન કર્યું. પર્યુષણ પર્વના દિવસે નજીક આવ્યા. ભાદરવા સુદિ પાંચમના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવાનું હતું. પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભાદરવા સુદિ પાંચમનો છે. ૧૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy