SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શાસનપ્રભાવક ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. આખરે આચાર્ય કાલકસૂરિનું ક્ષાત્રતેજ પ્રજવલી ઊયું. તેમને લાગી આવ્યું કે, “છતે સામર્થ્ય શું દુષ્કૃત્યની ઉપેક્ષા કરવી? જે ધર્મનું ધર્માચરણનું અવમાન કરતે હેય, અહિત કરે છે તેવા ધર્મભ્રષ્ટને સઘળી શક્તિથી અટકાવવું જ જોઈએ. અને હું એવા ધર્મભ્રષ્ટ ગર્દભિલ્લને રાજભ્રષ્ટ ન કરું તે, હુ પ્રતિજ્ઞા લઉં છું કે, સંઘની પ્રત્યેનીક, શાસનઘાતક અને સંયમવિનાશક વ્યક્તિની જે ગતિ થાય તેવી ગતિ મને પ્રાપ્ત થાઓ.” ગભિલ્લ રાજા પિતાની સૈન્યશક્તિથી અને વિદ્યાશક્તિથી ખૂબ સમ્પન્ન હતો, તે આચાર્ય કાલકસૂરિ સારી રીતે જાણતા હતા. આથી જ તેઓ સ્થળ-કાળને ઊંડા અને ગંભીર વિચાર કરી, જાણી જોઈને શૂન્યમનસ્કપણે નગરમાં ફરવા લાગ્યા અને જ્યાં ત્યાં અસંબદ્ધ પ્રલાપ કરતાં કહેવા લાગ્યાઃ “ગદંભિલ્લ રાજા હોય તે પણ શું ? દેશ સમૃદ્ધ હોય તે પણ શું ? નગરી સુરક્ષિત હોય તે પણ શું? નગરજને સુંદર વસ્ત્રો પહેરે તે પણ શું? હું ભિક્ષા માટે ભટકું તે પણ શું? હું શૂન્ય ધર્મસ્થાનમાં નિવાસ કરું તે પણ શું? ” આચાર્ય કાલકસૂરિના આ પ્રલાપીએ સર્વ પ્રજાજનોને ભ્રાંતિમાં નાખી દીધા. રાજા ગદ ભિલ્લને લાગ્યું કે, આચાર્ય કાલકસૂરિ તેમની બહેનના કારણે મૂઢ બની બકવાટ કરે છે. આચાર્ય કાલકસૂરિ પિતાને કરવા યોગ્ય ભૂમિકા નિર્માણ કરી, કેટલાક સમય પછી ત્યાંથી ચાલી નીકળ્યા. બહેન સરસ્વતીને ગભિલ્લના પંજામાંથી મુક્ત કરાવવા તેને જીતવો જરૂરી હતું. તે માટે કે રાજસત્તાને સહગ મેળવવું જરૂરી હતો. આસપાસના રાજાઓ પર નજર નાખતાં કેઈ એ રાજા ન જાણ્યું કે જે ગર્દભિલ્લ સામે યુદ્ધ કરે ને તેને હરાવી શકે. દિવસના દિવસે ફરી ઘણા રાજાઓને સમજાવી જોયા, મનાવી જોયા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. છેવટે આચાર્ય કાલકસૂરિ નિરુપાયે સિંધુને કિનારે થઈ હિન્દ બહાર ઈરાન પહોંચ્યા. ઈરાનમાં શક શહેનશાહના નાના નાના શાહી સામંત (માંડલિક રાજાઓ) સાથે આચાર્ય કાલકસૂરિએ પિતાના વિદ્યાબળે ગાઢ મિત્રતા સ્થાપી. એક દિવસ ૯૬ શક સામતે રાજભયથી ઘેરાઈ ગયા. આચાર્ય કાલકને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા ને જણાવ્યું કે તે દરેકને બચવું હોય તે હિન્દુસ્તાન આવવું પડશે. મતથી બચવા સૌ કબૂલ થયા. સમય આવ્યે આચાર્ય કાલકસૂરિ સાથે સૌ તિપિતાને કાલે લઈ સિધુ નદી પાર કરીને સૌરાષ્ટ્રના કિનારે આવી પહોંચ્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું. અહીં વર્ષાઋતુને લીધે કેટલોક સમય રોકાવું પડ્યું. પછી વિશાળ શક સૈન્ય સાથે આચાર્ય કાલક પ્રયાણ કરી લાટપ્રદેશની રાજધાની ભૃગુકચ્છ (ભરૂચ) આવ્યા. ત્યાંના શાસક બલમિત્રભાનુમિત્રને પણ સેના સાથે લઈ, માલવદેશની સીમાએ પડાવ નાખે. ગર્દભિલ્લ રાજાને ગર્દભીવિદ્યા સાધ્ય હતી. તે વિદ્યાના બળે અવાજ કાઢી સાડા ત્રણ ગાઉના અંતર સુધીના શત્રુસૈન્યને બેશુદ્ધ કરી શકતા હતા. આચાર્ય કાલકસૂરિ આ વાત જાણતા હતા. તેથી તેઓએ ૧૦૮ લક્ષ્યવેધી બાણાવલીઓને એગ્ય સ્થાને ગોઠવી દીધા અને સૈન્યને ઉજ્જયિની પર હલ્લે કરવા જણાવ્યું. ગÉભિલ્લ રાજાને જાણ થતાં ગર્દભીવિદ્યા સાધીને કિલ્લા ઉપર જઈ ઊભે અને અવાજ કાઢવા જ્યાં મુખ ખોલ્યું ત્યાં જ ૧૦૮ બાણેથી તેનું મુખ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy