SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંત ૧૩૩ માટે નદી પાસે રસ્તે માગ્યો. નદીના બંને કાંઠા તે જ વખતે સમેટાઈને એક થઈ ગયા. શ્રાવકે સહિત આચાર્ય સમિત સામે કિનારે પહોંચ્યા. આચાર્યશ્રીની આ શક્તિ જોઈને સર્વ આશ્ચર્ય પામ્યા. આચાર્ય સમિત પાસે પ્રતિબોધ પામી સર્વ તાપસેએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આથી જૈનધર્મને મહિમા વધે. તાપસી બ્રહ્મઢીપનિવાસી હોવાથી તેમની શાખા જેનશાસનમાં બ્રહ્મક્રીપિકા તરીકે પ્રસિદ્ધ થઈ. પિંડનિર્યુક્તિ મુજબ આ પ૦૦ તાપસના મુખ્ય કુલપતિ દેવશર્મા હતા. આચાર્ય ઇન્દ્રદિન, આચાર્ય આર્યદિન અને આર્ય સિહગિરિજી–એ ત્રણેના સંબંધી વિશેષ સમયસંકેત મળતા નથી. આચાર્ય સુસ્થિત અને આચાર્ય સુપ્રતિબદ્ધ પછી ત્રણે અનુક્રમે ગણાચાર્ય થયા હતા. આર્ય સિંહગિરિજી આર્ય વજાસ્વામીના ગુરુ હતા. આઠ વર્ષની વયે તેમને આર્ય સિંહગિરિએ દીક્ષા આપી હતી. આયં વાસ્વામી વીરનિર્વાણ સં. ૫૪૮માં આચાર્ય પદે સ્થાપન થયા હતા. આચાર્ય ઇન્દ્રદિન, આચાર્ય આર્યદિન્ન અને આર્ય સિંહગિરિ—એ ત્રણે આચાર્ય આર્ય વજાસ્વામીના પૂર્વવર્તી અને વીરનિર્વાણની ચોથી શતાબ્દીમાં થયેલા આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધથી ઉત્તરવતી હોવાને કારણે આ ત્રણે આચાર્યોને સમય વીરનિર્વાણની ચેથી શતાબ્દીના ઉત્તરાંશથી છઠ્ઠી શતાબ્દીના પૂર્વાશ સુધી સંભવે છે. જિનશાસનની પરંપરાને શોભાવનારા અને ચોગરદમ યશકીર્તિ પ્રાપ્ત કરનાર આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજ, શાસનના ધ્વજધારી આચાર્યશ્રી મંગૂસૂરિજી મહારાજ, પ્રખર ધર્મપ્રભાવક આચાર્ય શ્રી ધર્મસૂરિજી મહારાજ તથા જ્યોતિષવિદ્યાના પરમ જ્ઞાતા આ.શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ શ્રી જિનશાસનની પરંપરામાં આચાર્ય સમુદ્ર, આચાર્ય મંગૂ અને આચાર્ય ભદ્રગુપ્ત – એ ત્રણે વિશેષે પ્રસિદ્ધ થયા છે. આચાર્યશ્રી સમુદ્રસૂરિએ વાચનાચાર્યની પરંપરાને શોભાવી હતી. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિ યુગપ્રધાનપદ પર વિરાજિત હતા. હિમવંત સ્થવિરાવલી અને નંદીસૂત્ર સ્થવિરાવલીની વાચક ગુરુપરંપરા મુજબ આચાર્ય શાંડિલ્યના ઉત્તરવર્તી ક્રમે આચાર્ય સમુદ્ર અને આચાર્ય મંગૂ હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલી અનુસાર આચાર્ય રેવતીમિત્ર પછી આચાર્ય ધર્મસૂરિ અને તેમના પછી આચાર્ય ભદ્રગુપ્ત યુગપ્રધાનાચાર્ય થયા. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આચાર્ય સમુદ્ર અને આચાર્ય મંગૂની સુંદર પ્રશંસા કરવામાં આવી છે. આચાર્ય સમુદ્રના ગુણાનુવાદને લેક આ પ્રમાણે છે : Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy