SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતા સ્કલિના નામથી છે. આ બંને એક જ છે, પણ આગમવાચનાકાર સ્ક’દિલથી આ યુગપ્રધાન સ્ક દિલ જુદા છે. શ્રી શ્યામાચાય અને શ્રી ષાંડિલ્યાચાય – બંનેના જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયા હતા. નદીસૂત્ર અનુસાર આચાય શ્યામનું ગાત્ર હારિત અને આચાય ષાંડિલ્યનું ગોત્ર કૌશિક છે. આચાર્ય શ્યામને જન્મ વીરનિર્વાણ સ`. ૨૮૦માં અને આચાર્ય પાંડિલ્યના જન્મ વીરનિર્વાણ સ. ૩૦૬માં દર્શાવવામાં આવે છે. ૧૨૯ શ્રી શ્યામાચાય : સ`સારથી વિરક્ત થઈ શ્યામાચાયે વીરનિર્વાણુ સં. ૩૦૦માં શ્રી ગુણાકરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તેમની વય ૨૦ વષઁની હતી. યુગપ્રધાનાચાય. ગુણસુ ંદરસૂરિ અને વાચનાચાર્ય સ્વાતિના સ્વર્ગવાસ પછી શ્યામમુનિએ વીરનિર્વાણ સ. ૩૩૫માં યુગપ્રધાનાચાર્ય તથા વાચનાચાર્ય એ બંનેય પદવીનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું હતું. શ્રી શ્યામાચાની શ્રુતસાધના વિશિષ્ટ હતી. તેઓ તે સમયના દ્રવ્યાનુયોગના પ્રકાંડ જ્ઞાતા અને જૈનસિદ્ધાંતના વિષયામાં સૂક્ષ્મ વ્યાખ્યાકાર હતા. ઇતિહાસમાં તેમની પ્રસિદ્ધિ નિંગાદના વ્યાખ્યાતા તરીકે થાય છે, જે પ્રસંગ શ્રી સીમ`ધરપ્રભુને કરાયેલા ઇન્દ્રના પ્રશ્ન અને પ્રભુજીએ આપેલા ઉત્તર શાસ્ત્રપ્રસિદ્ધ છે, જે આ રીતે છે: એક વખત સૌધર્મેન્દ્રે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમ`ધરસ્વામી પાસે સૂક્ષ્મ નિગેાદની વિશિષ્ટ વ્યાખ્યા સાંભળી અને પ્રશ્ન કર્યાં કેકે—“ ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેદ સંબંધી આવા પ્રકારની વ્યાખ્યા કરવાવાળા કોઇ મુનિશ્રમણ, ઉપાધ્યાય કે આચાય છે ? ” સૌધમેન્દ્રના પ્રશ્નના ઉત્તર આપતાં શ્રી સીમંધરસ્વામીએ આચાય શ્યામનું નામ બતાવ્યું. સૌધર્મેન્દ્ર ભરતક્ષેત્રમાં વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આચાર્ય શ્યામ પાસે આવ્યા. તેમના જ્ઞાનબળની પરીક્ષા કરવા માટે તેમણે પોતાના હાથ તેમની સામે ધર્યો. હસ્તરેખાના આધારે આચાર્યશ્રી શ્યામે જાણ્યું કે, નવાગંતુક બ્રાહ્મણનું આયુષ્ય પલ્યાપમથી પણ વધારે છે. આથી આચાર્ય શ્રી શ્યામે તેમની સામે ગંભીર ષ્ટિથી જોયું અને કહ્યું કે તમે મનુષ્ય નથી, દેવ છે. '' આ ઉત્તરથી સૌધમેન્દ્રને સતેાષ મળ્યા અને નિગેદનું સ્વરૂપ જાણવા ઇચ્છા કરી. આચાર્ય શ્રી શ્યામે નિગોદનું માંગેાપાંગ વર્ણન કરી ઇન્દ્રને આશ્ચય ચકિત કર્યાં. પોતાના આગમનનું રહસ્ય ખુલ્લું કરતાં સૌધમેન્દ્રે કહ્યું કે, મે... સીમંધરસ્વામી પાસે નિંગાદ સબધી જેવી દેશના સાંભળી તેવુ' જ વિવેચન આપની પાસે સાંભળી અત્યંત પ્રભાવિત થયે! છું. 66 77 દેવાની રૂપસ'પત્તિ જોઇ કાર્ય શિષ્યમુનિ નિયાણું ન બાંધી લે એ હેતુથી ભિક્ષાચર્યામાં ગયેલા મુનિમડળના આગમન પહેલાં જ સૌધમેન્દ્ર શ્યામાચાની પ્રશંસા કરતાં કરતાં જવા લાગ્યા. શ્યામાચાય શિષ્યાને સિદ્ધાંતા પ્રત્યે અધિક આસ્થાશીલ કરવા માટેની દૃષ્ટિથી એલ્યા, “ સૌધમે ન્દ્ર ! કોઈ પણ સાંકેતિક ચિહ્ન વિના શ્રમણા દેવાગમનની વાત કેવી રીતે જાણશે ? ” આચાર્ય દેવની અનુજ્ઞા મેળવી સૌધર્મેન્દ્રે ઉપાશ્રયનુ દ્વાર પૂર્વાંમાંથી પશ્ચિમાભિમુખ કયું. શ્રી શ્યામાચાના શિષ્યા ગોચરી લઈને પાછા ફર્યાં ત્યારે તેઓ ઇન્દ્રના આગમનથી માંડીને દ્વારના સ્થાનાન્તર . ૧૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy