SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧૨૭ વર્ષો જતાં રાજ્યાશ્રયમાં મેટે પલટે આવતાં સમગ્ર જૈનધર્મ માટે ભય ઊભું થયું. પાટલીપુત્ર વગેરેમાં જેન શ્રમણ પર કાળો કેર વર્તાતાં તેઓ કલિંગ તરફ વિહાર કરવા લાગ્યા. આથી પઠન-પાઠન બંધ થયું. આ સમયે કલિંગના રાજા ભિકખુરાય પરમ જૈનધમી હતા. તેમણે પ્રથમ આ વિકટ પરિસ્થિતિ દૂર કરી, પછી કુમારગિરિ પર આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ આદિ શ્રમણસંઘને આમંત્રી શ્રમણસંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી. આ સમયે કલિંગમાં શ્રમણોનું વિશેષ આગમન થવાથી આ આગમવાચનામાં શ્રમણગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતે. “હિમવંત સ્થવિરાવલી” મુજબ આ પ્રસંગે જિનકલ્પીની તુલના કરનાર આચાર્ય મહગિરિના શિ–પ્રશિષ્ય આચાર્ય બલિસહસૂરિ, દેવાચાર્ય આચાર્ય ધર્મસેન વગેરે ૨૦૦ શ્રમણ, આચાર્ય સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણ, આર્યા પિઈણ વગેરે ૩૦૦ સાધ્વીજીઓ તેમ જ ૭૦૦ શ્રાવિકાઓ એકત્ર થયાં હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વોના શાસ્ત્રપાઠને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આચાર્ય બલિસ્સહસૂરિએ આ વાચના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાની રચના કરી હતી. યુગપ્રધાન આર્ય સુહસ્તિસૂરિના ૧૨ મુખ્ય શિષ્યમાં આચાર્ય સુસ્થિતસૂરિ એક હતા. આર્ય રહણ વગેરે પિતાના ૧૧ ગુરુબંધુ મુનિઓમાં ચાર આચાર્ય સુસ્થિતથી મેટા હતા અને ૭ નાના હતા. તે મુનિઓથી કેટલાંક ગણો, શાખાઓ અને કુળો નીકળ્યાં હતાં. આચાર્ય સુસ્થિતને ગૃહસ્થજીવનનો કાળ લગભગ ૩૧ વર્ષને હતો. તેમણે ૬૫ વર્ષના સંયમપર્યાયમાં ૪૮ વર્ષ સુધી શ્રમણસંઘનું નેતૃત્વ કર્યું હતું. ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી, તેઓ કુમારગિરિ પર્વત ઉપર વિરનિર્વાણ સં. ૩૩લ્માં સ્વર્ગવાસી થયા હતા. તેઓશ્રીના જીવન સાથે અનેક રીતે જોડાયેલ આ તીર્થરૂપ કુમારગિરિ પર્વત આજ વર્તમાનમાં બંડગિરિ અને ઉદયગિરિ નામે પ્રસિદ્ધ છે અને ત્યાંની જેમ ગુફાઓ આજે પણ જૈનધર્મના ગૌરવભર્યા પ્રાચીન ઇતિહાસને ખ્યાલ આપે છે. આગમશાસ્ત્રના પઠન-પાઠન દ્વારા જિનવાણુને વહેતી રાખનારા વાચનાચાર્ય આચાર્યશ્રી સ્વાતિસૂરિજી મહારાજ આચાર્ય બલિસહની જેમ આચાર્ય સ્વાતિસૂરિ પણ જૈન શ્રમણપરંપરામાં વાચનાચાર્યપદે હતા. એ સમયે યુગપ્રધાન પરંપરામાં વાચનાચાર્ય પરંપરા અને ગણાચાર્ય પરંપરા ભિન્ન ભિન્ન રૂપે પ્રવર્તતી હતી. યુગપ્રધાન પરંપરાનું ઉત્તરદાયિત્વ આચાર્ય ગુણસુંદરસૂરિ કરી રહ્યા હતા. વાચનાચાર્ય બલિસ્સહ પછી વાચનાચાર્ય સ્વાતિસૂરિના કાળને પ્રારંભ થાય છે. ત્યાં સુધીમાં ગુણસુંદરસૂરિને યુગપ્રધાનપદ સંભાળતાં લગભગ ૩૯ વર્ષ થઈ ગયાં હતાં. નંદીસૂત્ર સ્થવિરાવલી મુજબ આ આચાર્ય સ્વાતિસૂરિ વાચનાચાર્ય બલિસહના ઉત્તરાધિકારી હતા. બલિસ્સહ દશ પૂર્વધર = Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy