SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શાસનપ્રભાવક આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિને શિષ્યગણ જુદો જુદો હતે પણ બંને વિહાર સાથે કરતા હતા. આચાર્ય સુહસ્તિના શિષ્યગણનું ઉત્તરદાયિત્વ તેમના સ્વર્ગવાસ પછી વીરનિર્વાણ સં. ૨૯૧માં આ સુસ્થિતસૂરિએ સંભાળ્યું. તે સમયે તેમની વય ૪૮ વર્ષની હતી. તેઓના સહેદર સુપ્રતિબદ્ધસૂરિ તેમના અનન્ય સહયેગી હતા. તેઓ વાચના આપતા હતા. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા : ૧. ઇદ્રદિન, ૨. પ્રિયગ્રંથ, ૩. વિદ્યાધર ગેપાલ ૪. વાષિદત્ત અને પ અર્હદત્ત. ભુવનેશ્વર પાસેના કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં પૂર્વે જ શ્રેણિકના સમકાલીન કલિંગનરેશ સુચનરાયે શ્રમણને ધ્યાન કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમ જ શ્રી સુધર્માસ્વામીના હાથે સુવર્ણની શ્રી વૃષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને એ જ સુચન રાજાની એક માત્ર પુત્રી અને રાજ્યને પ્રાપ્ત કરનાર મહારાજા ચેડાના પુત્ર પરમ જૈનધર્મી કલિંગાધિપતિ શોભનયે આ શત્રુંજયાવતાર રૂપ કુમારગિરિ તીર્થની યાત્રા કરી હતી, અને તેમની આઠમી પેઢીએ ક્ષેમરાજ રાજા સાથે મગધસમ્રાટ અશેકે મહાભયંકર “કલિંગનું યુદ્ધ ” કર્યું હતું તે ક્ષેમરાજના પુત્ર વૃદ્ધરાજે આ તીર્થરૂપ કુમારગિરિ અને કુમાર ગિરિ ઉપર જૈન શ્રમણોને ચાતુર્માસ રહેવા માટે ૧૧ ગુફાઓ બનાવી હતી, અને તેમના પુત્ર, જે જૈન શ્રમણોના અનન્ય ભક્ત હેવાથી “ભિખુરાય” નામથી ઓળખાતા હતા અને મહામેઘવાહન તથા ખારવેલાધિપતિ નામે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેમના દ્વારા આ કુમારગિરિ ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયું હતું. અને તેમાં શ્રી ઋષભદેવની પુનઃ પ્રાપ્ત સુવર્ણ પ્રતિમાની તેમ જ નવી બંધાવેલ ગુફાઓમાં પણ અનેક મેટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા આ જ આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિની સાંનિધ્યતામાં થઈ હતી. આ બંને આચાર્યભગવંતોએ આ જ કુમારગિરિ પર્વત ઉપર ઉગ્ર તપશ્ચર્યા કરીને કોડવાર સૂરિમંત્રના જાપ કર્યા હતા અને ત્યારથી આ બંને આચાર્યોની પ્રસિદ્ધિ “કેટિકગણ ના બિરુદથી થવા પામી હતી. અર્થાત એ સમયે નિગ્રંથગચ્છનું બીજું નામ કેટિગચ્છ પડ્યું હતું. આગળ જતાં તેની વિવિધ શાખાઓ અને કુળ આ વિગતે પ્રસિદ્ધ થયાં હતાં–શાખાઓ: ૧. મજિઝમા, ૨. વિદ્યાધરી, ઉનાગરી અને વજ (વઈરી) કુળ : ૧. બંભલિજજ, ૨. વલ્વલિજજ, ૩. વાણિજ્ય અને ૪. પણુવાહણય. આચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિના સમયમાં જેન શ્રમણ સંઘનું મોટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. પૂવે વીરનિર્વાણ સં. ૧૬૦ (લગભગ)માં પાટલીપુત્ર-પટણામાં શ્રી સ્કૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી, અને આગામે સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિઓનું અસંગ જીવન એટલે કાયમ સમૂહરૂપે રહી શકાય નહીં અને એકધારું પઠન-પાઠન ચાલી શકે નહીં-ઇત્યાદિ કારણે કંઠસ્થ જિનાગમની રક્ષામાં અનેક અંતરાયે આવી ઊભા રહેતા, પરિણામે જિનાગને મુખપાઠ રાખનારા મુનિવરેની સંખ્યા ઘટતી ગઈ. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી નાની સરખી આગમવાચના કરાવી હતી. અને તેનાથી જે તે ક્ષેત્રમાં મુનિવર દ્વારા આગાભ્યાસ ચાલતા રહ્યા. પરંતુ ત્યાર પછી થોડાં Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy