SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવતી ૧૨૫ હતી. પ્રભાવકચરિત્ર' મુજબ, આચાર્ય શ્યામાચાય પહેલાં કાલકાચા) આચાય ગુણસુંદર ( મેઘગણિ ) સૂરિના શિષ્ય હતા. આય અલિસ્સહને આચાર્ય કાળ યુગપ્રધાનાચાય ગુણસુંદરસૂરિની પહેલાંના છે. આય અલિસ્સહુના આચાય કાળ વીરનિર્વાણુ સં. ૨૪૫ છે અને ગુણસુંદરસૂરિના યુગપ્રધાનાચાર્ય ના સમય વીરનિર્વાણુ સં. ૨૯૧થી શરૂ થયેલા માનવામાં આવે છે. આ લિસ્સના સ્વર્ગવાસ વીરનિર્વાણુ સં. ૩૨૯ લગભગ મનાય છે અને આચાર્ય ગુણસુંદરસૂરિના સ્વર્ગવાસ વીરનિર્વાણુ સ. ૩૩૫ બતાવવામાં આવેલ છે. એ આધારે આચાર્ય ગુણસુંદરસૂરિનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આથી બંને આચાયૅના સમય વીનિર્વાણુ ત્રીજી અને ચાથી શતાબ્દી હાવાનું સિદ્ધ થાય છે. - સૂરિમંત્રના કાટિ અપથી ‘ કાટિકગચ્છ ’ને પ્રવર્તાવનારા, બીજી આગમવાચનાના નિધાદાતા તથા કલિંગ ચક્રવર્તી ભિક્ષુરાયનાં યશસ્વી શાસનપ્રભાવક કાર્યોમાં અગ્રેસર આચાર્ય શ્રી સુસ્થિતસૂરિજી મહારાજ આચાર્ય શ્રી સુપ્રતિબદ્ધસૂરિજી મહારાજ આય સુહસ્તિસૂરિના શાસનકાળમાં ગણધરવશ, વાચકવશ અને યુગપ્રધાનાચાય ની ત્રણ શ્રમણપરંપરા શરૂ થઇ. ગણધરવંશની પરંપરામાં આર્ય સુહસ્તિસૂરિના સ્વર્ગવાસ પછી આચા સુસ્થિત અને આચાય સુપ્રતિબદ્ધ ગણાચાય પદ પર બિરાજ્યા. તપની વિશિષ્ટ સાધનાથી તે અને આચાર્ચીએ જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના કરી. કેટિકગચ્છની ઉત્પત્તિ તેમના શાસનકાળમાં થઇ. આથી શ્રી સુધર્માસ્વામીથી ચાલ્યા આવતા નિગ્રંથ ગચ્છ ત્યારથી કટિકગચ્છ નામે પ્રવતવા લાગ્યા. તથા આય સુસ્થિત અને સુપ્રતિષદ્ધના ગુરુ આય સુહસ્તિસૂરિ હતા. આચાય સુહસ્તિસૂરિ દેશ પૂર્વધર હતા. આચાર્યશ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધે વિવિધ પ્રકારે શ્રુતજ્ઞાન મેળવ્યું. આ સુહસ્તિ ચૌદ પૂ`ધર આચાર્ય શ્રી સ્થૂલિભદ્રના શિષ્ય હતા. આ મહાગિરિ આય સુહસ્તિના વડીલ ગુરુબંધુ હતા. આચાર્ય સ્થૂલિભદ્રના દીક્ષાગુરુ આચાય સભૂતિવિજયસૂરિ હતા. સુસ્થિર અને સુપ્રતિબદ્ધ કાર્કદીના રાજકુમાર હતા. તેમનુ ગાત્ર વ્યાઘ્રાપત્ય હતુ. સુસ્થિતને જન્મ વીરનિર્વાણ સ. ૨૪૩માં થયા હતા. સુપ્રતિબદ્ધ તેમના સગા ભાઈ તેમ જ લઘુ ગુરુબંધુ હતા. સુસ્થિત ૩૧ વર્ષાં સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. પછી શ્રુતસ'પન્ન આ શ્રી સુહસ્તિસૂરિ પાસે તેમણે વીનિર્વાણુ સં. ૨૭૪માં દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી ૧૭ વર્ષ સુધી ગુરુ પાસે રહીને તેમણે જ્ઞાનસાધનામાં એકાગ્ર બની ઉત્કૃષ્ઠ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યુ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy