SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૨૩ જિનમદિર શ્રી રત્નપ્રભસૂરિના ઉપદેશથી આસિયાંમાં એક શેઠ દ્વારા બંધાઈ રહેલ પૂર્ણ થવા આવતાં એક ઘટના બની. એ શેઠની ગાય હુ ંમેશાં લૂણુદ્રહી પહાડી પર દૂધ ઝરી આવતી. આ વાતની સૂરિમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે એ જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી, અને તેની પ્રતિષ્ઠા વીરનિર્વાણુ સં. છના મહા સુદ પાંચમના શુભ દિવસે કરવાના નિર્ણય લેવાયે.. કરટાનગરમાં પણ આ જ દિવસે શ્રી મહાવીરસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા નિર્ધારિત કરવામાં આવી હતી. ‘કલ્પદ્રુમકલિકા–વૃત્તિ ’ અને ૮ રત્નપ્રભાચા પૂર્જા ’માં એવા ઉલ્લેખ મળે છે કે, શ્રી રત્નપ્રભસૂરિએ આ એક જ દિવસે અને એક જ મુહૂર્તીમાં, એ રૂપ ધરીને, એસિયાં અને કારંટાતીમાં શ્રી મહાવીરસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મીની મહાન પ્રભાવના થઈ હતી અને હજારા લેાકેાએ જૈનધર્મ સ્વીકાર્યાં હતા. વળી, એ જ સમયે વીરનિર્વાણુ સ. ૭૦ માં શ્રી રત્નપ્રભસૂરિએ એસિયાંનગરમાં સવાલ વશની સ્થાપના કરી હતી. આસિયાંમાંથી સ્થાનાંતર કરી ગયેલા જૈને આજે પણ એસવાલ જેને તરીકે ઓળખાય છે. તેમ જ એસિયાં અને કોરટા તીમાં આજે પણ શ્રી મહાવીરસ્વામીનાં પ્રાચીન જિનાલયેા વિદ્યમાન છે. શ્રી રત્નપ્રભસૂરિ એક વખત ઉપકેશનગર પધાર્યા હતા. આ ઉકેશનગર ભિન્નમાલ પાસે શ્રીપૂ જ રાજાના પુત્ર સુરસુંદરે અને ચંદ્રમંત્રીના પુત્ર ઉડે, કોઈ કારણાસર ઘર ત્યાગી, વસાવ્યું હતું. આચાર્ય શ્રી પધાર્યા ત્યારે ત્યાં જૈનેનાં કાઈ ઘર ન હોવાથી તેમને ઘણું કષ્ટ પડ્યુ. ઉપવાસ ઉપર ઉપવાસેા કરવા પડચા. છતાંય તેમણે ૩૫ સાધુએ સાથે ત્યાં ચાતુર્માસ કરવાના નિર્ણય કર્યો અને ખીન્ન શિષ્યાને કારંટા તરફ વિહાર કરાવ્યેા. ઉપકેશનગરમાં એક દિવસ મ`ત્રીપુત્રને સાપ કરડડ્યો, પણ તેને આચાર્ય શ્રીનાં ચરણાદકથી જીવતદાન મળતાં, મંત્રી તેમ જ રાન્ત – સૌ જૈનધમી બન્યા. તે એસિયાંના હોવાથી, તેએ પણ આસવાલ જેને તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કોર'ટગચ્છના સ્થાપક શ્રી કનકપ્રભસૂરિની આચાર્ય પદવી શ્રી રત્નપ્રભસૂરિના હસ્તે થઈ હતી. તેએ શ્રી રત્નપ્રભસૂરિના લઘુ ગુરુબંધુ હતા. શ્રી રત્નપ્રભસૂરિ વીરનિર્વાણ સં. ૮૪માં કાળધર્મ પામ્યા. ગણાચા તેમ જ વાચનાચાનાં બંને પદાને શેાભાવનારા શ્રુતસંપન્ન આચાર્ય શ્રી બલિસ્સહસૂરિ મહારાજ તથા વીરશાસનની ધમધુરાને વહન કરનાર અગિયારમા યુગપ્રધાન આચાર્ય શ્રી ગુણસુંદરરિ મહારાજ સ્થવિર અલિસ્સહ અને શ્રી ગુણસુદરસૂરિ – એ બંને પોતાના યુગના સમર્થ પ્રભાવશાળી આચાર્ય હતા. આચાર્ય બલિસ્સહે ગણુાચાય અને વાચનાચાય એ બંને પદે કુશળતાપૂર્ણાંક સભાળ્યાં હતાં. શ્રી ગુણસંદરસૂરિ યુગપ્રધાનપદે પ્રતિષ્ઠિત થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy