SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાર્ય કહેવાયા. ગણાચાર્યને સંબંધ પિતાપિતાના ગણ સાથે હોય છે, વાચનાચાર્ય ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ હોય છે. જેન– જેનેતર સર્વ લોકે તેમનાથી લાભ પામે છે. આર્ય સુહસ્તિસૂરિને શિષ્યસમુદાય આર્ય મહાગિરિ કરતાં વિશાળ હતો. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય ૧૨ શિષ્યને ઉલ્લેખ છે : (૧) આર્ય રોહણ, (૨) યશોભદ્ર, (૩) મેઘગણિ (ગુણસુંદરસૂરિ), (૪) કામધિંગણિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબદ્ધ, (૭) રક્ષિત, (૮) રેહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મગણ અને (૧૨) સમગણી. તેમાં સ્થવિર આર્ય રહણથી ઉહેગણુ, યશભદ્રથી ઉડુવાડિયગણ, કામર્ધિગણિથી વેશવાડિયગણ, સ્તુસ્થિત–સુપ્રતિબદ્ધથી કેટિગણું, ત્રષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારણગણને વિકાસ થયે. આર્ય સુહસ્તિસૂરિ દેશ પૂર્વ ધર, ધર્મધુરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મને ઘણે પ્રસાર થયે હતો. આર્ય સુહસ્તિ ૨૩ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા. તેમના ૭૭ વર્ષના ચારિત્રપર્યાયમાં ૪૬ વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેઓની પૂર્વેના યુગપ્રધાનેમાં તેમને ચારિત્રપર્યાય સૌથી વધુ–૭૭ વર્ષને હતે. આર્ય મહાગિરિની જેમ તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આર્ય સુહસ્તિસૂરિ વીરનિર્વાણ સં. ર૯૧માં ઉજજૈનમાં રવર્ગવાસ પામ્યા. ઉપકેશગચ્છીય, ઓસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એસિયાંનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે ૧,૮૦,૦૦૦ નવા જેને બન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશગણધર પિતાના સંશનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પિતાના શિષ્યો સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણસંઘ “પાર્થાપત્ય” તરીકે પ્રસિદ્ધિ પામે. વળી, તે “ઉપકેશગચ્છથી પણ ઓળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમણપરંપરામાં વીરનિર્વાણની પ્રથમ સદીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વનામ મણિરત્ન કિંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાધરના રાજા હતા. એક દિવસ ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયંપ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પોતાના પુત્રને રાજ્ય સપી, ૫૦૦ વિદ્યાધરો સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણ સં. પર માં આચાર્યપદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy