SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ગયા. સુકેમલ મુનિનાં ચરણમાંથી ટપકતાં રક્તબિન્દુથી ખરડાયેલા માર્ગના રજકણોની વાસથી ક્ષુધા માંસભક્ષિણી શિયાલણી બચ્ચાઓ સાથે ત્યાં આવી. તે લેહીથી ખરડાયેલાં મુનિનાં ચરણે ચાંટતાં ચાટતાં, મુનિના શરીરનું પણ ભક્ષણ કરવા લાગી. ચામડીનું આવરણ તૂટવા લાગ્યું. માંસ, મેદ અને મજજાના સ્વાદથી લુબ્ધ શિયાલણ પીઠનાં હાડકાં, પડખાનાં હાડકાં અને મસ્તકની પરીને પણ ચાટવા લાગી. તેનાં બચ્ચાંઓએ પણ ભેગાં મળીને પહેલા પહેરમાં મુનિના પગ, બીજા પહેરમાં જંઘા, ત્રીજા પહોરમાં પેટ અને ચેથા પહેરમાં ઉપરના ભાગના માંસનું ભક્ષણ કર્યું. ફક્ત તેના અસ્તિત્વને જણાવનાર હાડપિંજર માત્ર બાકી રહ્યું. ભેદજ્ઞાનની ઉત્તરોત્તર ચડતી ભાવનાની શ્રેણીઓ અવન્તિસુકુમાલ મુનિને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા. અત્યંત વૈર્યપૂર્વક વેદનાને સહન કરીને મુનિ અવન્તિસુકમાલ કાળધર્મ પામી નલિની ગુલ્મ વિમાનમાં પહોંચી ગયા. દેવતાઓએ આવી તેમને મૃત્યુમહત્સવ ઊજવ્યું. આ બાજુ અવન્તિસુકુમાલની પત્ની એ આર્ય સુહસ્તિસૂરિની પર્ષદામાં તેમને નહીં જેવાથી પૂછ્યું કે, “ભગવન્! મારા પતિ કયાં છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનેપગથી જાણી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પુત્રવધૂ દ્વારા પિતાના પુત્રનો સ્વર્ગવાસ સાંભળી ભદ્રામાતા પાગલની જેમ દેડતાં સ્મશાનભૂમિમાં પહોંચ્યાં. ત્યાં પુત્રનું હાડપિંજર જોઈ અત્યંત વિલાપ કરતાં કહેવા લાગ્યાં કે, “હે પુત્ર! તમે સંસારને છેડ્યો. માની મમતા તથા પત્નીઓને મેહપાશને તેથી તેમ જ પ્રત્રજિત બની એક અહોરાત્રિની સાધના કરી પ્રાણને પણ ત્યાગ કર્યો? શું આ રાત્રિ જ તમારા માટે કલ્યાણકારિણી બની? પરિવારથી નિર્મોહી બની શું ધર્મ ગુરુથી પણ નિર્મોહી બની ગયા? મુનિ અવસ્થામાં એક વાર મારા આંગણામાં આવી ઘરની પવિત્રતા પણ કેમ ન કરી ?” પુત્રના અગ્નિસંસ્કારની સાથે ભદ્રાના મનમાં જ્ઞાનનું તેજ ફેલાયું. ભદ્રાની પુત્રવધૂઓને પણ વૈરાગ્ય થયે. એક ગર્ભવતી વધૂને મૂકી સમગ્ર પરિવારે આર્ય સુહસ્તિસૂરિ પાસે દીક્ષા લીધી. અવંતિસુકમાલના પુત્ર પિતાની સ્મૃતિમાં તેમના દેહાવસાનના સ્થાન પર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથજીનું જૈનમંદિર બંધાવ્યું, જે આજે મહાકાલના નામથી પ્રસિદ્ધ છે. આર્ય સુહસ્તિસૂરિના શાસનકાળ પછી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા શરૂ થઈ. તેઓ અને પૂર્વેના યુગપ્રધાન આચાર્યો ગણનાયક અને વાચનાચાર્ય પણ હતા. તેઓ ગણની તથા સંઘની સાર-સંભાળ લેતા તેમ જ શિષ્યને આગમવાચનાપૂર્વક પઠન-પાઠન પણ કરાવતા. પછીના આચાર્યોમાં કાળબળે આ સામર્થ્ય ન રહ્યું. આથી ચારિત્રરક્ષાનું કાર્ય અને શ્રુતજ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું – જ્યારે યુગપ્રધાનાચાર્યની પરંપરા એક પછી એક ચાલુ રહી. એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનનાં લક્ષણ પ્રગટે અને તે ત્યારથી યુગપ્રધાન બને. આમ, ગણાચાર્ય, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય–એવી ત્રણ શ્રમણપરંપરા ત્યાર પછી શરૂ થઈ. તેમાં ગણનું ઉત્તરદાયિત્વ સંભાળનાર ગણાચાર્ય, આગમવાચના આપનાર વાચનાચાર્ય તેમ જ પ્રભાવિત્પાદક સર્વજનહિતકારી અધ્યાત્મપ્રવૃત્તિઓ દ્વારા યુગચેતનાનો દિશાબોધ છે. ૧૬ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy