SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા-૧ ચતુર્વિધ સંધની એકતામાં શ્રેષ્ઠિઓનું યોગદાન : કાળબળે જ્યારે જ્યારે સાધુસમુદૃાયાની એકતા તૂટી કે સપજોખમાયે ત્યારે ત્યારે સત્યના આગ્રહી બનીને શ્રાવકોએ પણ પોતાની મેાટી જવાબદારીએ અદા કરી છે. દૂરની વાત જવા દઇએ તે, પૂ. શ્રી હીરવિજયસૂરિજી પછીના ઇતિહાસ તપાસીએ તેા, એવા શ્રેષ્ઠિઓ માટી સખ્યામાં મળી આવશે, જેમણે એકતા વધારવા અગ્રગણ્ય ભાગ ભજવ્યો હોય. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને તેમના પિરવારે આ દિશામાં ઘણી જ સારી સેવા બજાવી છે. શ્રેષ્ઠીશ્રી ઢીપચંદભાઇ ગાડી એ પણ એલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખપદે રહીને ઘણી ઉમદા સેવા બજાવી છે. યતિપરંપરાનું પ્રાબલ્ય અને તે પછીના કાળની આલેાચના : ભગવાન મહાવીરના નિર્વાણ બાદ થાડાં વર્ષો પછી ચૈત્યવાસના કાળ આવ્યેા. પછી પુનઃ ઉગ્ર સયમીઓના પુણ્યપ્રકાશ ફેલાયા. પણ ચૈત્યવાસનાં મૂળ સાબૂત રહ્યાં. એમાંથી જ યતિસ`સ્થા પેદા થઈ. એમની પાસે પ્રારંભકાળે સાંયમશુદ્ધિનું બળ હતું, તેથી મન્ત્રત ંત્રાદિ પ્રભાવે તેએ શાસનપ્રભાવના કરી શકયા. સમયનાં વહેણ સાથે એમનામાં પણ સયશિથિલતા પ્રવેશતાં જ આખરે યતિસંસ્થા મૂળમાંથી ઊખડી ગઈ. આજે યિતએ સસ્થારૂપે ઓછા જોવા મળે છે; પણ એમના જેવી જ આચારિવચારની શિથિલતા આજે પુનઃ ઉદ્ભવી રહ્યાનાં ચિહ્નો કચાંક કચાંક જોવા મળે છે. આ અંગે સંઘના અગ્રણીઓએ સમયસર સજાગ બની જવાની જરૂર છે. કાળે પડખુ` બદલ્યું છે, જમાનાની દૂષિત હવા માનવજાતને એવા ભરડા લઈ રહી છે કે સĆઘનાયકાએ જાગૃતિ બતાવ્યા વગર પાલવે તેમ નથી. આજે ઊંચે ગગને લહેરાતા જૈન ધમ અને શાસનના કીર્તિ ધ્વજ સદાયે ગૌરવભેર લહેરાતા રહે એમાં જ જેનેાની આબાદી છે. ઉપર જણાવ્યું તેમ, શ્રાવક અને સાધુઓ વચ્ચેના આ પુરુષાએ પેાતાની સાધના એક સમયે ચરમ સીમાએ પહોંચાડેલી; પણ ઉત્તર સાધકે અને ઉત્તરાધિકારીઓની અક્ષમ્ય ક્ષતિઓને કારણે દેદીપ્યમાન જણાતી એ શક્તિએ ભંડારાઈ ગઈ, કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ અને ત્યાર બાદ ક્રિયાદ્ધાર થયેા. २७ જિનેન્દ્ર ભક્તિમહાત્સવામાં જૈનાચાર્યની દેારવણી : જિનભક્તિ મહાત્સવ–ઉપધાન, એળી, ઉજમણાં, સંઘયાત્રા આદિ– અનુષ્ઠાનામાં મેટા જનસમૂહને એકત્રિત થવાની તક મળે છે. તેથી જૈનાચાર્ય આ માટેના ઉપદેશ આપવાપૂર્ણાંક આમાં નિશ્રા પ્રદાન કરતા હોય છે. આ સિવાય વિહારયાત્રાની પૂર્વકાલીન મર્યાદાએ આજે જોવા મળતી નથી. ચાતુર્માસ બાદ વિહાર કરવા, યોગ્ય ક્ષેત્ર અને ત્યાં માસકલ્પ એટલે મહિના રોકાવુ, વળી બીજા ક્ષેત્રમાં માસકલ્પ – આ રીતે ચાતુર્માસ સિવાયના આઠ મહિનાના વિહાર અને નવમા મહિને ચાતુર્માસ માટે સ્થિરતા – આ પદ્ધતિ નવકલ્પી વિહાર તરીકે પ્રસિદ્ધ હતી. આ પરપરા આજે ઘેાડાઘણા અંશે ચાલુ થાય તે સાચા અર્થમાં સ્વ-પર ઉપકારક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy