SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શાસનપ્રભાવક વધુ પ્રમાણ ધરાવતી હોય તેવા વંદનીય સાધકોમાં શ્રી આનંદઘનજી, શ્રી ચિદાનંદજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી કપૂરવિજયજી આદિને ગણાવી શકાય. છેલ્લે છેલ્લે થયેલા આવા સાધકેમાં શ્રી કમલસૂરિજી, પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી ગણિ, પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી આદિ નામે જરૂર ગણાવી શકાય. ભક્તિ અને મુક્તિ આપનારાં પ્રાતઃસ્મરણીય નામો : જેનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારા કેટલાંક પવિત્ર નામે જગપ્રસિદ્ધ છે, જેમનાં જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. આ આત્માઓએ અજોડ ભક્તિ કરીને પિતાના અને પરના આત્માની ઉન્નતિ અર્થે સેંકડો સંકટ વેઠીને સત્યમાર્ગને પ્રકાશ પાથર્યો : મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ, સ્થૂલિભદ્રજી, પુણ્યભૂમિ રાજગૃહી સાથે સંકળાયેલાં અમર નામે મેતાર્યમુનિ, શાલિભદ્રજી, નદિષેણ, જબૂસ્વામી, સ્વયંભવસૂરિ– આ બધા જ્ઞાની પુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સરજી આપી. ઐતિહાસિક નગરી ઉજજૈન સાથે સંકળાયેલ આચાર્ય શ્રી માનતુંગસૂરિજી, શોભનમુનિ, સિદ્ધસેન દિવાકરજી વગેરે નામનું આજે પણ ઘેર ઘેર સ્મરણ થાય છે. આરાધકો અને યુગમૂર્તિ પંડિત : જૈનદર્શનમાં અને સાહિત્યમાં અસંખ્ય સાક્ષરનું જે ગદાન મળ્યું છે તેમાં કર્મવેગી અને યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથનું નિર્માણ કર્યું. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજી, આગમગ્રંથેના સંપાદક અને સંશોધક આગમવિશારદ પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજ, કચ્છની ભૂમિ પર રહીને મુનિશ્રી જંબૂવિજયજી, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી અને પં. શ્રી રત્નાચંદ્રવિજયજીએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. શ્રમણ સંઘમાં આવા અસંખ્ય પંડિત થયા છે. શ્રમણોને અપાતી વિવિધ પદવીઓ અને કર્તવ્ય : શ્રમણને ગુણ–ગ્યતા–પ્રભાવકતા-શિષ્યાદિ પરિવાર ઇત્યાદિને આધારે પદપ્રદાન કરવામાં આવે છે. જ્ઞાન, સંયમ અને કાર્યની યોગ્યતા મુજબ જ પદવી અપાય છે. નવપદમાં ગણવેલ ઉપાધ્યાય અને આચાર્યપદનો પરિચય તેની જવાબદારી સહિત છે. અગ્યને પદપ્રદાન જેમ દોષ છે, એમ ગ્યને પદનું અપ્રદાન પણ ગચ્છનાયકને માટે દેષ ગણાય. સૌ પ્રથમ ગણિપદ, પછી પંન્યાસપદ, ને પછી ઉપાધ્યાય કે આચાર્યપદ અપાતું હોય છે. આચાર્ય પદની જવાબદારી ખૂબ જ વધી જાય છે. આચારે પાળવા–પળાવવા ઉપરાંત અડીખમ રહીને શાસન રક્ષા કરવી એ આચાર્યની મહાન જવાબદારી છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy