SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શમણુભગવંતો-૧ ૨૫ મહાભારતને સાર છે, “પદ્માનંદ”માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત આલેખ્યું છે. દેવપ્રભસૂરિએ રચેલું ૧૮ સર્ગનું “પાંડવચરિત”, “નાયાધમ્મકહા” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં પ્રાપ્ત થતી જેન-પરંપરા પ્રમાણેની પાંડવચરિતકથાનું આલેખન કરતું મહાકાવ્ય છે. આ ઉપરાંત સૂરાચાર્યે રચેલું “કાષભનેમિ-કાવ્ય” કે “નેમિ-નાયદ્વિસંધાન કાવ્ય', હેમચંદ્રસૂરિનું “નામેય-નેમિ', અભયદેવસૂરિનું “યંતવિજય', જિનપ્રભસૂરિનું શ્રેણિકચરિત” પણ પૌરાણિક પ્રકારમાં મૂકી શકાય એવાં કાવ્યો છે. ' ચરિતકામાં રાષભદેવ અને નેમિનાથ ઉપરાંત અન્ય તીર્થંકરનાં ય ચરિત નિરૂપતાં મહાકાવ્યમાં માણિક્યચંદ્રસૂરિની બે રચનાઓ–(૧) શાંતિનાથચરિત (આઠ સર્ગ) અને (૨) પાર્શ્વનાથચરિત (નવ સર્ગ), ઉદયપ્રભસૂરિનું “નેમિનાથ ચરિત”, સર્વાનંદનું “ચંદ્રપ્રભચરિત', મુનિદેવસૂરિનું “શાંતિનાથચરિત', વિજયચંદ્રસૂરિનું “મુનિસુવ્રતસ્વામચરિત', બેંધપાત્ર છે. આ ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃતમાં બીજા પણ સંખ્યાબંધ ચરિતકાળે આ કાળમાં લખાયેલાં મળી આવે છે– જેમ કે, રત્નસૂરિનું ‘અમર સ્વામચરિત', જિનપાલનું “સનકુમારચરિત', માનતુંગસૂરિનું શ્રેયાંસતિ ', હેમચંદ્રાચાર્યનું “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત” વગેરે પ્રસિદ્ધ છે. નાટયરચનાના ક્ષેત્રે રામચંદ્રસૂરિના મૂલ્યવાન પ્રદાન ઉપરાંત ઈ. સ. ૧૧૫૧ની આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિનું “ચંદ્રલેખા વિજયપાલ” પ્રકરણ કુમારપાળ અને અરાજના સંઘર્ષને પાંચ અંકમાં નિરૂપે છે. આ જ સૂરિના એક બીજા મટા, પણ અનુપલબ્ધ રૂપક “માનમુદ્રાભંજન”ને ઉલેખ પ્રાપ્ત થાય છે. એમની ત્રીજી નાટિકા “વિલાસવતી” અપૂર્ણ પ્રાપ્ત થાય છે. રામચંદ્રમુનિએ રચેલા છ અંકના “પ્રબુદ્ધ હિણેયમાં અઠંગ ચેર હિણેયના ધર્મ પરિવર્તનની કથાનું આલેખન છે. બાલચંદ્રસૂરિનું “કરુણાવજયુધ” એકાંકી જૈનધર્મના અહિંસાપ્રધાન ધર્મનું ગૌરવ કરવા રચાયું છે. નરેન્દ્રપ્રભસૂરિએ ૧૫૦૦ શ્લેકપ્રમાણનું એક કાકુસ્થકેલિ' નાટક રચ્યું હતું, પણ આ નાટક હાલ ઉપલબ્ધ નથી. જયંતસિંહસૂરિએ “હમ્મીરમદમર્દન” નામના ઐતિહાસિક નાટકમાં, પાંચ અંકમાં વસ્તુપાલ અને વરધવલે ગુજરાત પરના મુસ્લિમ આક્રમણને જે પરાક્રમથી મારી હઠાવ્યું એનું નિરૂપણ કર્યું છે. મેઘપ્રભસૂરિનું “ધર્માલ્યુદય” ગુજરાતનું એક નોંધપાત્ર છાયારૂપક છે, જેમાં દશાર્ણભદ્રના જીવનચરિત્રનું આલેખન છે. બીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું તીર્થંકર નેમિનાથના જીવનને લગતું “શમામૃતમ ” પણ છાયારૂપક છે. જૈન સૂરિવનું સ્તોત્રસાહિત્યના ક્ષેત્રે પણ અપૂર્વ પ્રદાન છે. સોલંકીકાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથની રચનામાં પ્રભાચાર્યનું “પ્રભાવક ચરિત', મેરુદંગાચાર્યનું “પ્રબંધચિંતામણિ' આદિ પણ પ્રસિદ્ધ છે. સોલંકીકાળ પછીનાં કાવ્યમાં દેવવિલાસગણિનાં “હીર સૌભાગ્યમ', પ્રતિષ્ઠામનાં “સેમસૌભાગ્યમ' વગેરે પ્રસિદ્ધ છે. ) આત્મલક્ષી ચારિત્રચૂડામણિ શ્રમણો : આમ તે સાધુ માત્રનું મુખ્ય ધ્યેય આત્મલક્ષિતા જ હોય છે, છતાં, જેમની આત્મલક્ષિતા છે. ૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy