SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક - પ્રાચીન વિદ્યાધામ વલભીમાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં ઈ. સ. ૩૦૦ના અરસામાં તૈયાર થયેલી જૈનધૃતપરંપરા તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિનો ખ્યાલ આપનારી બની રહે છે. આ ઉપરાંત, “નંદીસૂત્રના કર્તા દેવગિણિ ક્ષમાશ્રમણ, મહાન જૈન તર્કવાદી કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર તેમ જ મહાન તાકિક અને તત્ત્વજ્ઞ મલવાદી અને એમની કૃતિઓ ગુજરાતના આ પ્રાચીન કાળખંડની ઉત્તમ સાહિત્યિક સમૃદ્ધિને પૂરતો ખ્યાલ આપે છે. - મૈત્રકકાળ (લગભગ ઈ. સ. ૪૭૧ થી ૭૮૮) અને અનુમૈત્રકકાળ (ઈ. સ. ૭૮૮ થી ૯૪૨)માં સાંસ્કૃતિક વિદ્યાધામ વલભીમાં જૈન સૂરીશ્વએ સાહિત્યિક અને સર્જનાત્મક પ્રવૃત્તિને ઘણું આપ્લાવિત કરી હતી. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, કે જેમને હેમચંદ્રાચાર્યે શ્રેષ્ઠ વ્યાખ્યાનકાર તરીકે નવાજ્યા હતા. એ ઉપરાંત, કટાર્યવાહિગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન ગણિ, ચૂર્ણિવ્યાખ્યાકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમા સૈકાના જિનભટ્ટસૂરિ, જિનહ્મસૂરિ, હરિભદ્રસૂરિ, બપભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દસમા સૈકાના પાર્શ્વમુનિ, આચાર્ય સિદ્ધષિ હરિણાચાર્ય વગેરે વિદ્વાને મુખ્ય છે. મૈત્રકકાલના એક પ્રસિદ્ધ મહાકાવ્ય “હરિવંશપુરાણ”, જે ઈ. સ. ૭૮૩-૮૪માં વઢવાણમાં રચાયું હતું, એના કર્તા જિનસેનસૂરિ પુન્નાટસંઘના દિગબર સાધુ હતા. એમાં હરિવંશમાં જન્મેલા વસુદેવ, બલરામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિ (નેમિનાથ) જેવા નાયકનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે. અનુમૈત્રિકકાળમાં શીલાચાર્યજીએ રચેલાં “ચઉપન્નમહાપુરિસચરિય’નું જૈનસાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન છે. એમાં આવેલું ‘વિબુધાનંદ” નામનું નાટક પ્રાકૃ–સોલંકીકાળનું એક માત્ર જ્ઞાત રૂપક છે. | ગુજરાતના ઇતિહાસને સુવર્ણકાળ કહી શકાય એવા સોલંકીયુગમાં તે જૈનાચાર્યો અને સૂરિવને હાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યો સિદ્ધરાજ જયસિંહને અધિક પ્રેમ સંપાદન કરીને સાહિત્યકૃતિઓ ઉપરાંત કેશ, વ્યાકરણ, અલંકાર આદિ શામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એમનું ૨૦ સર્ગનું “ દ્વયાશ્રય” મહાકાવ્ય પ્રસિદ્ધ છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન” અને “કાવ્યાનુશાસન' એમના અનુક્રમે વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથ પ્રસિદ્ધ છે. એમના પટ્ટશિષ્ય રામચંદ્રસૂરિ પ્રબંધશત-કર્તા –સો કૃતિઓના કર્તા તરીકે પ્રસિદ્ધ થયા છે. એમનાં અગિયાર રૂપકે પૈકી “નલવિલાસ”, “નિર્ભયભીમવ્યાયોગ” પ્રકરણ-રૂપકે “કૌમુદીમિત્રાણંદ” અને “મલ્લિકામકરંદ' જૈન રામકથાને આધારે રચાયેલું રઘુવિલાસ', હરિશ્ચંદ્રને વૃત્તાન્ત આલેખતું “સત્યહરિશ્ચંદ્ર' વગેરે પ્રસિદ્ધ છે. એમનો ગુણચંદ્રસૂરિની સાથેનો નાટ્યશાસ્ત્રીય ગ્રંથ “નાટયદર્પણ” પણ પ્રસિદ્ધ છે. જેન સૂરિઓએ મહાપુરુષનાં જીવન આલેખતાં ચરિતકાવ્ય, પૌરાણિક કાવ્યો અને તેત્રકાવ્ય રચવામાં મૂલ્યવાન પ્રદાન કરેલું છે. ઉદયપ્રભસૂરિરચિત “ધર્માલ્યુદય” કે “સંઘપતિચરિત” વસ્તુપાલને લગતાં મહાકાવ્યમાં સહુથી મોટું છે. એમાં વિશેષતઃ ધર્મકથાઓનું આલેખન છે. અમરચંદ્રસૂરિનું “બાલભારત” અને “પહ્માનંદ” મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy