SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ ંતા-૧ છે, જ્યારે ગુણીજન ગુણાનુરાગી બનાવે છે. જેમણે વીતરાગ પરમાત્માના આદેશ–ઉપદેશને પરમ શ્રદ્ધાભાવથી સંભાળ્યે છે અને જીવનમાં ઉતાર્યાં છે, આચરી બતાવ્યે છે, તેવા પૂજ્યાને સંઘમાં સ્વીકૃતિ આપી સ`ઘની-શાસનની શાભામાં વૃદ્ધિ થતી રહે છે. (વિદેશીઓને જૈનધર્મ અને જૈત ભ્રમણાનુ` ભારે આકર્ષણ : જૈનચા દ્વારા રચાયેલા સાહિત્યનુ આજે પણ ભારે માટુ' આકષ ણુ વિદેશીઓને છે. ઉપરાંત, જેનેા દ્વારા નિર્માયેલું શિલ્પસ્થાપત્ય પણ આકર્ષણનુ કેન્દ્ર રહ્યું છે. વિદેશીઓને છેલ્લા એ-ત્રણ દાયકામાં જ્ઞાનસંશાધન અને તત્ત્વજ્ઞાનનું ઘેલું લાગ્યુ છે. પૂર્વાચા એ લખેલા વિજ્ઞાનના ઘણા ગ્રંથા તેને ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આ ગ્રંથ કેવળીભાષિત હોવાથી, જ્ઞાનને આધારે લખાયેલા હાવાથી, સત્ય તરફ ખેંચી જતા હોય છે. વિલાસ, વૈભવ અને સમૃદ્ધિના રંગરાગથી કટાળીને આ વિદેશીએ હવે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિને સમજવા મથામણ કરી રહ્યા છે. એમાં યે શ્રમણુસંસ્કૃતિના ઊંડાણમાં ડોકિયું કરવા રસ અને રુચિ જાગૃત થયાં છે. જૈનાચાર્ય તરફ પૂજ્યભાવ વધતા જાય છે. આત્માને આધ્યાત્મિક વિચારો દ્વારા આત્મશાંતિ મળશે જ એવી શ્રદ્ધા તેમાં દૃઢ થતી જાય છે. ૨૩ ડો. હસમુખભાઈ દેશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યુ છે કે, સમગ્ર વિશ્વસાહિત્યના વીસમી સદીના પૂર્વા, જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્જ્વળ થયા હતા; ઈશ્વરના અસ્તિત્વના નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં પ્રવતી રહેલી કેઈ અગમ્ય ચૈતન્યશક્તિના સદા પુરસ્કાર કર્યાં હતા, એવા મહાન સાહિત્યાચાય બર્નાર્ડ શોએ સર્વશક્તિમાનને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ ફરીને મારે જન્મ ધારણ કરવાનુ અને તે મને જૈન બનાવજે.” સાહિત્યક્ષેત્રે જૈનાચાર્યાનુ આદાનપ્રદાન : ** સંસ્કૃત સાહિત્યના ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરવ પ્રા॰ શ્રી એસ. એમ. પડચા સાહેબ એક વિસ્તૃત નોંધમાં લખે છે કે, ગુજરાતના વિવિધ ઐતિહાસિક કાળખામાં પ્રાચીન કાળથી જૈન આચાર્યો અને સૂરીશ્વરાનું સાહિત્યક્ષેત્રે ઘણુ મહત્ત્વનું પ્રદાન રહેલુ છે. પ્રાચીન કાળખ’ડમાં ગિરિનગર ( જૂનાગઢ ), વલભી, જંબુસર, આનંદપુર ( વડનગર ) અને ભૃગુકચ્છ (ભરૂચ ) વગેરે ગુજરાતનાં સાંસ્કૃતિક કેન્દ્રો હતાં. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્યાના ઉપરાંત જૈનાચા અને સૂરિવાએ સાહિત્યસન, વિવેચન અને વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિએ નિર'તર ચલાવી હતી. ઈસવીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ, કે જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર ( પાલીતાણા ) વસાવ્યું તે, આ મહાન આચાય સાહિત્યકાર હતા અને એમણે ઘણી સાહિત્યિક કૃતિઓની રચના કરી હતી. બીજા સૈકાના પૂર્વાધમાં થયેલા મનાતા વભૂતિ નામના ભૃગુકચ્છનિવાસી જૈનાચાર્ય તે સમયના મહાન અને પ્રખ્યાત કવિ હતા એમ · વ્યવહારસૂત્ર'ના ભાષ્યમાંથી જાણવા મળે છે. " Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy