SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શાસનપ્રભાવકે ગ્રંથભંડારમાં બધી મળીને વીસ લાખ જેટલી હસ્તપ્રત હવાને પૂરતે સંભવ છે. પાલીતાણાના આગમ મંદિર, સાહિત્ય મંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથ છે. વડોદરા, ખંભાત, લીંબડી, ઈ, ઈડર, જેસલમેર, પાટણ, વીરમગામ, જામનગર વગેરેના ગ્રંથભંડારેને વિશેષ સમૃદ્ધ-સુરક્ષિત કરવા જોઈએ. આ ભંડારે આત્માનાં સાચાં વિશ્રામસ્થાને છે, અમૃતનું પાન કરાવનાર પર છે. જૈન શાસ્ત્રભંડારમાં દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડાર પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશકીતિ જેન ગ્રંથભંડાર તેમ જ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકતિજી મહારાજ (મુળવિધિ) શ્રવણ બેલગોડા, ઉપરાંત વારાણસી અને જયપુરના ગ્રંથાગારે વિશેષ ઉલલેખનીય છે. અપ્રકાશિત એવાં પુસ્તકની હસ્તપ્રતે પણ લાખોની સંખ્યામાં વિદ્યમાન છે. હસ્તપ્રતેની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલી છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા લાગે છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકરે ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેકકન કોલેજ પાસે પણ છે. મુંબઈની માધવબાગ પાસેની લાલબાગ જૈન પાઠશાળા પાસે પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી હુકમ મુનિને ભંડાર અને જેન આનંદ પુસ્તકાલય, ડભેઈમાં મુનિશ્રી જબૂવિજયજીને ભંડાર, છાણીમાં મુનિશ્રી પુણ્યવિજ્યજીના બે મોટા ભંડાર, વડોદરામાં પ્રાવ્ય વિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હંસવિજયજીના જ્ઞાનભંડારમાં સારો એ સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિ. નાથજીને ભંડાર તથા શ્રી વિજયનેમિસૂરિજીને જ્ઞાનભંડાર, અમદાવાદના ડેલાના ભંડારમાં, પાલડીમાં જેને પ્રાચ્ય વિદ્યામંદિરમાં, ગુજરાત વિધાનસભામાં વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતને સંગ્રહ છે. કચ્છ-કેટડામાં પણ સંગ્રહ છે. નાહટાને બીકાનેરને સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારે ઉલ્લેખનીય છે. રાજસ્થાનમાં જોધપુરના મહારાજાને સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા બિહારમાં નાલંદા, દરભંગા આદિ સ્થળમાં પણ સારા પ્રમાણમાં હસ્તપ્રતા સંગ્રહ છે. પટણા યુનિવર્સિટી, બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી, નંદિયા અને શાંતિનિકેતનમાં પણ સારા એવા સંગ્રહો છે. પંજાબમાં હોંશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં, કાશમીરમાં જમ્મુમાં પણ હસ્તપ્રતેને સારે એ સંગ્રહ છે. ) ભગવાન મહાવીરના શાસનની સંઘવ્યવસ્થા : ભગવાન મહાવીરની શાસનવ્યવસ્થામાં આગમશા સર્વોપરી સ્થાન ધરાવે છે. એ એ પછીનું સ્થાન પૂજ્યપાદ આચાર્યદેવનું છે. પછી સાધુમહારાજે અને પછી મહાજનસંસ્થાઓને ક્રમ આવે છે. સંઘની સ્થાપનામાં ત્યાગી અને વ્રતધારી શ્રાવક-શ્રાવિકા અને સાધુ-સાધ્વી, એમ ચારને સ્થાન અપાયું છે. સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણિ વગેરેને સમાવેશ થયેલ છે. આમાં વ્યક્તિપૂજાને કેઈ સ્થાન નથી. વ્યક્તિ દષ્ટિરાગ તરફ ખેંચી જાય Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy