SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત બીજા દિવસે સવારે રાજપરિવાર સાથે નંદ રાજા ગંગાતટે આવ્યું. હજારે નગરજનો પણ આ વિસ્મયજનક દશ્ય જોવા આવ્યાં હતાં. વરરુચિએ ઘણું જ ઉલ્લાસપૂર્વક ગંગાની સ્તુતિ કરી. બન્ને પગ યંત્ર ઉપર દબાવ્યા. ગંગાનું પાણી એક હાથ ઉપર આવ્યું ને નીચે પડ્યું, પણ તેમાંથી વરચિને એક પણ સુવર્ણમુદ્રા મળી નહિ. આ ઘટનાથી તે અત્યંત લજિજત થયે. શકાલ મંત્રીએ આગળ આવીને કહ્યું કે_“બ્રાહ્મણપુત્ર ! તમારી ૧૦૮ સુવર્ણ મુદ્રાની રાશિ આ રહી, જે તમે રાત્રે જાતે યંત્રની અંદર ગંગામાં મૂકી ગયા હતા. દુનિયાની આંખોમાં કેટલાક સમય ધૂળ નાંખી શકાય છે, હંમેશ માટે નહિ.” ગંગાદાનને ગુપ્તભેદ ખૂલી જવાથી નાગરિક જજેમાં વિદ્વાન વરચિની ભયંકર અપકીતિ થઈ શકપાલ મંત્રી દ્વારા વરરુચિને બીજી વાર પરાજય થયો. આથી વરરુચિના મનમાં તેને બદલે લેવાની આગ પ્રજવલિત થઈ ક્યારેક નાને શત્રુ પણ મહાવિનાશનું કારણ બને છે. વિદ્વાન વરરુચિ શકહાલના વિનાશને ઉપાય શોધવા લાગે. શકપાલ મંત્રી પિતાના પુત્ર શ્રીયકના વિવાહ વખતે રાજા નંદનું પિતાના આંગણામાં વિશેષ સન્માન કરવા ઇચ્છતે હતે. તે માટે રાજસન્માનને એગ્ય અલંકારો, શસ્ત્રાસ્ત્રો આદિ ગુપ્તપણે તૈયાર કરાવતો હતો. શુભ ભાવનાથી કરવામાં આવતા મંત્રી શકટાલને આ પ્રયત્ન વરચિની વૈરભાવનાને સાકાર કરવામાં પ્રબલ નિમિત્ત બન્ય. શકવાલની દાસી પાસેથી વિદ્વાન વરરુચિને આ ભેદ જાણવા મળ્યો. તેણે વિચાર કર્યો કે, શકહાલને બદલે લેવાને આ ઉત્તમ અવસર છે. તેણે બાળકને લાડુ આપી ઉત્સાહિત કર્યા અને સ્થાને સ્થાને નીચેને શેક બાળકે પાસે બોલાવવા લાગ્ય: “[ટુ ઢોક વિચાળારૂ વં શાયાહુ રે સા નટુ ના મળજુ કરિયો કિ વેરૂ –શકડાલ જે કામ કરી રહ્યા છે તે લોક જાણતા નથી. રાજા નંદને મારીને શકડાલ શ્રીયકને રાજસિંહાસન પર બેસાડશે.” બાળકને વરચિએ આ શ્લોક કંઠસ્થ કરાવ્યો અને લાડને લેભે બાળકે એ લેક દરેક સ્થાને બોલવા લાગ્યાં. સ્ત્રીઓને પણ વારંવાર ઉચ્ચારાતા આ લેકને સાંભળી આ લેક કંઠસ્થ થઈ ગયે. કેટલીક વખત બહુ કહેવાયેલી ખોટી વાત પણ સાચી હોય તેમ લાગે છે. આ ઘટનામાં પણ તેમ બન્યું. બાળક અને સ્ત્રીઓનાં મુખેથી ગવાતા આ લેકના વિનિઓ રાજા નંદના કાન સુધી પહોંચ્યા. તેના મનમાં વિચારોનું ઘમસાણ ચાલ્યું. મગધેશ્વરે વિચાર્યું કે, પકડાલ ક્યારેય એવું કરી શકે નહિ. પણ બીજી જ ક્ષણે રાજાના વિચારો બદલાયા; તે વિચારવા લાગ્યું કે, માયાની મરીચિકા પિતાનું રૂપ બતાવી મનુષ્યને ભાન ભુલાવે છે. મંત્રી હોય કે રાજકુમાર હેય, કેઈને અત્યધિક વિશ્વાસ કરે ગ્ય નથી. જ્યારે બુદ્ધિ તેને પ્રેરણા આપી રહી હતી કે, એક વખત આ વાતની તપાસ કરવી જોઈએ. રાજા નંદને આદેશ મળવાથી ગુપ્તચર મંત્રીના ઘરે પહોંચ્યું અને પિતાના લક્ષિત ભેદની જાણકારી મેળવી પાછો ફર્યો. રાજા નંદને તેણે જે આંખે જોયું તે કહ્યું. મહાઅમાત્ય માટે મોતની ઘંટડી વાગવા લાગી. જે મંત્રી ઉપર રાજાને પૂર્ણ વિશ્વાસ હતે તે જ મંત્રી રાજાને શંકાસ્પદ છે. શકહાલ સત્ય માર્ગે ચાલતું હોવા છતાં તેમના તરફનું વલણ બદલાયું. મંત્રીના ઘરે તૈયાર થતી યુદ્ધને વેગ્ય સામગ્રીએ નંદરાજાના મનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy