SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવા ૧૦૫ સાધુચર્યામાં દઢ રહી ચારે મુનિઓએ મરણાંત કષ્ટ સહન કરી સાધુ-આચારને અનન્ય આદર્શ ઉપસ્થિત કર્યાં. ( વીરનિર્વાણુની બીજી શતાબ્દીના મધ્યકાળમાં પડેલા બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળમાં શ્રી જૈનશાસનને અનેક આપત્તિએ આવી. ઉચિત ભિક્ષાના અભાવમાં અનેક શ્રુતસ’પન્ન મુનિએ કાળને શરણુ બન્યા. પૂર્વધરામાં ચૌદ પૂર્વના જ્ઞાની શ્રી ભદ્રબાહુ સિવાય કોઈ ન રહ્યા. તે વખતે શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળની પહાડીઓમાં મહાપ્રાણધ્યાનની સાધના કરી રહ્યા હતા. આથી સંઘને શ્રુતરક્ષાની ઘણી ચિંતા થઈ. આગમનિધિની સુરક્ષા માટે સાધુ સમુદાય નેપાળ પહોંચ્યા. સાધુઓએ હાથ જોડી શ્રી ભદ્રબાહુસ્વામીને પ્રાથના કરી કે, “સંઘનુ નિવેદન છે કે આપ ત્યાં પધારી મુનિઓને ષ્ટિવાદની જ્ઞાનરાશિને લાભ આપો. ” શ્રી ભદ્રબાહુસ્વામીએ પોતાની સાધનામાં વિક્ષેપ સમજી તે વાતના અસ્વીકાર કર્યાં. તેમના આ નિરાશાજનક ઉત્તરથી સાધુએ પાછા ફર્યાં અને સઘને આ વાત જણાવી. સંઘને આથી Àાભ થયા. દૃષ્ટિવાદની વાચનાનો સંભવ આચાય શ્રી ભદ્રબાહુસ્વામી સિવાય ખીજા કોઈ પાસે ન હતેા. સંઘ દ્વારા વિશેષ સૂચન લઈ સાધુ સમુદાય ફરી નેપાળ ગયા અને આચાય ભદ્રબાહુને વિનમ્ર સ્વરે કહ્યું કે સોંઘના એક પ્રશ્ન છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેમને માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે? ’ 66 પૂર્વ શ્રુતસંપન્ન–શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પણ આ પ્રશ્ન ઉપર શાસ્ત્રીય વિધાનનું ચિંતન કરતાં ગભીર બની ગયા. શ્રુતકેવલી કારે પણ મિથ્યા ભાષણ કરતા નથી. આચાર્ય ભદ્રબાહુ ચથા નિરૂપણ કરશે એવે! સર્વને વિશ્વાસ હતા, ને તેમ જ થયું. આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કહ્યું કે જે શ્રમણસ'ઘના આદેશને સ્વીકારતા નથી તે સંઘબાહ્ય કરવા ચેાગ્ય છે. ” શ્રી ભદ્રબાહુસ્વામીના ઉત્તર સાંભળી મુનિએ કહ્યું કે આપે પણ સંઘની વાતના અસ્વીકાર કર્યાં છે. આથી આપ પણ એ દંડને યાગ્ય નથી ? ” ત્યારે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “હું હમણાં મહાપ્રાણધ્યાનની સાધનામાં પ્રવૃત્ત છું. આ ધ્યાનની સાધનાથી ૧૪ પૂર્વનું સંપૂર્ણ શ્રુત એક મુહૂત માત્રમાં પરાવર્તન કરી શકાય છે. એથી ત્યાં આવવા માટે હું અસમર્થ છું. તેમ છતાં હું સંઘની આજ્ઞાને સન્માનું છું; અને શ્રુતના લેપ ન થાય તે માટે શ્રીસંઘ તેજસ્વી મુનિઓને અહીં મેકલે. હું તેમને પ્રતિનિ આગમની સાત વાચના આપીશ. ’ ) સાધુઓએ ‘ સારું’ એમ સતોષપૂર્વક કહી શ્રી ભદ્રબાહુસ્વામીની વાતનો સ્વીકાર કર્યો અને તેમને વંદન કરીને ત્યાંથી પાછા ફર્યા. સઘને તેમની સાથે થયેલી વાતચીત સંભળાવી. આથી સૌ શ્રમણગણ પ્રસન્ન થયેા. મહાબુદ્ધિશાળી અને ઉદ્યમવંત શ્રી સ્થૂલિભદ્ર આદિ ૫૦૦ મુનિએ શ્રીસ ંઘના આદેશથી આચાર્ય શ્રી ભદ્રબાહુ પાસે દૃષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા પહોંચ્યા. આચાર્ય શ્રી ભદ્રબાહુ તેમને હ ંમેશાં સાત-સાત વાચના આપતા હતા. એક વાચના ભિક્ષાચર્યાથી આવતી વખતે, ત્રણ વાચના ત્રિકાળ વેળાએ અને ત્રણ વાચના પ્રતિક્રમણ બાદ રાત્રિકાળમાં આપતા હતા. તેમ છતાં વાચના આપવાને ક્રમ મંદ ગતિથી ચાલી રહ્યો હોય, એવુ' આવેલા શ્ર. ૧૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy