SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પટ્ટપરપરાના ક્રમ પ્રમાણે આચાય શ્રી ભદ્રબાહુરવામી ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્માની શ્રમણ પરપરામાં સાતમા પટ્ટધર હતા. શાસનપ્રભાવક ( શ્રી ભદ્રબાહુ પ્રાચીન ' ગાત્રના હતા. તેમને જન્મ વીરનિર્વાણ સ. ૯૪ માં થયે હતા. તેમેની શરીરસ'પત્તિ ઉત્તમ હતી. તેમની ભુજાઓ લાંખી, સુંદર અને સુદૃઢ હતી. લક્ષણશાસ્ત્ર મુજબ લાંખી ભુજાએ ઉત્તમ પુરુષોને હોય છે. શ્રી ભદ્રબાહુએ આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ પાસે વીરનિર્વાણ સ. ૧૩૯ માં દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુની પાસે ૧૭ વર્ષ રહી તેમણે આગમાનુ. ગભીર અધ્યયન કર્યું હતું. પૂર્વનું સંપૂર્ણ" શ્રુતગ્રહણ કર્યુ હતુ. આચાર્ય યશોભદ્રસૂરિ પછી ધર્માંસ'ધનુ' સ ́ચાલન શ્રી સ'ભૂતિવિજય પાસે આવ્યું હતું. આચાય સંસ્મૃતિવિજયના શાસનકાળ ૮ વર્ષના હતા. આચાય સભૂતિવિજયના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. આચાર્ય ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂલિભદ્ર કરતાં સયમપર્યાયમાં મેટા હોવાને કારણે શ્રી ભદ્રબાહુ સ્વામીનું અનુભવજ્ઞાન અધિક પરિપક્વ હતુ, એટલુ જ નહિ, તેમની પાસે આગમજ્ઞાન અને પૂશ્રુતનુ' જ્ઞાન અધિક હતું. ચૌદ પૂર્વનું સાથ જ્ઞાન મેળવી તે ચૌદ પૂર્વના જ્ઞાતા અન્યા હતા. તે વખતે શ્રી સ્થૂલિભદ્ર ૧૧ અગશાસ્ત્રના ધારક હતા. તેમને દષ્ટિવાદ ( ૧૨ મા અંગ )નુ અધ્યયન સ`પૂર્ણ ખાકી હતુ.. તે વખતે તેએ પૂર્વના જ્ઞાતા ન હતા. ગુરુ-શિષ્યની પરંપરાના આધારે આચાય. સ`ભૂતિવિજય પછી શ્રી સ્થૂલિભદ્રના ક્રમ આવે; પણ યથાયેાગ્ય એવા મહાજ્ઞાની આચાર્ય શ્રી ભદ્રબાહુરવામીને વીરનિર્વાણ સ. ૧૫૬ માં શ્રમણનાયકપદનુ ઉત્તરદાયિત્વ સોંપાયુ . અને જિનશાસન આચાર્ય ભદ્રાડ જેવા સામર્થ્યવાન, શ્રુતસપન્ન અને અનુભવસ’પન્ન વ્યક્તિત્વને પામીને કૃતાર્થ બન્યું. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીના ચાર મુખ્ય શિષ્યાને ઉલ્લેખ છે : (૧) સ્થવિર ગાદાસ, (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) ભત્તદત્ત અને (૪) સેામદત્ત. પરિશિષ્ટ પ મુજબ દૃઢ આચારના સબલ ઉદાહરણ રૂપ તેમને બીજા ચાર શિષ્ય પણ હતા. તે ચારેયે આચાય શ્રી ભદ્રબાહુ પાસે રાજગૃહીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચારે મુનિઓએ શ્રતની સાધના કરી; અને વિશેષ સાધનામાં પોતાનું જીવન જોડી દીધું. નિરહંકારી, પ્રિયભાષી, મિતભાષી, ધર્માં પ્રવચનતત્પર અને દયાના ભંડાર એ મુનિએએ આચાય શ્રી ભદ્રબાહુસ્વામીની અનુજ્ઞા લઈ ને એકવિહારની કઠિન ચર્યા અભિગ્રહપૂર્વક સ્વીકારી પ્રતિમા તપની સાધના કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં ચારેય મુનિ એક વાર રાજગૃહીના વૈભારગિરિ ઉપર આવ્યા. તે ગોચરી માટે રાજગૃહીમાં ગયા. પાછા ફરતાં દિવસના ત્રીજો પ્રહર થઈ ગયા. દિવસના ત્રીજા પ્રહર પછી ભિક્ષાટન અને ગમનાગમન ન કરવાની સાધુચર્યા મુજબ એક મુનિ ગુફાના દ્વાર પર, ખીજા ઉદ્યાનમાં, ત્રીજા ઉદ્યાનની બહાર અને ચેાથા બાહ્ય ભૂભાગમાં રોકાઇ ગયા. હિમઋતુને સમય હતેા. રાત્રિ ગાઢ બની. ઠંડીના તર'ગેા મુનિઓના શરીરને કપાવી રહ્યા. કષ્ટ સહન કરતાં ચારે મુનિ શાંતપણે ઊભા રહ્યા. અત્યંત ઠંડીના કારણે ગુફાના દ્વાર પાસે ઊભેલા મુને રાત્રિના પ્રથમ પ્રહરમાં, ઉદ્યાનમાં રહેલા મુનિ ખીજા પ્રહરમાં, ઉદ્યાનની બહાર રહેલા ત્રીન પ્રહરમાં, અને નગરની બાહ્યભૂમિમાં રહેલા મુનિ રાત્રિના ચતુર્થ પ્રહરમાં કાલધર્મ પામ્યા. પાતાની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy