SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવા ૧૦૧ સફ્ળ થઈ શકીશ નિહ. તમારી તપયોગ ભ્રષ્ટ થશે. દુબલ સ્ક'ધ ઉપર ઉપાડેલા અતિ ભાર ગાત્રભંગનું નિમિત્ત બને છે.'' આચાય સભૂતિવિજય આટલું કહી મૌન રહ્યા. અભિમાનથી ભરેલા, ઇર્ષાથી બળેલા સિંહગુફાવાસી મુનિ ગુરુનાં વચનાની અવગણના કરી ગણિકા કોશાની ચિત્રશાળા તરફ ગયા. નિર'તર પ્રયાણ કરી કેશાભવન પાસે પહોંચ્યા. કોશા ગણિકા પાસે ચિત્રશાળામાં રહી ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માંગી. કેશા બુદ્ધિમતી હતી. તે સમજી ગઈ કે, તપસ્વી મુનિનું આગમન સ્થૂલિભદ્રની સ્પર્ધાના કારણે થયું છે. તે વ્યવહારકુશળ પણ હતી. તેણે ઊભા થઈ વિધિપૂર્વક વંદન કર્યું. મુનિને ચાતુર્માસ કરવા માટે પોતાની ચિત્રશાળામાં જગ્યા આપી. સિંહગુફાવાસી મુનિ પેાતાને ઉચ્ચતમ જિતેન્દ્રિય માની રહ્યા હતા તેટલા તે ન હતા. તેમનુ મનેાખલ મુનિ સ્થૂલિભદ્ર જેવુ' દૃઢ ન હતું. ષટ્સ ભાજનના પિરણામે તેમનામાં તીવ્ર વાસના પેદા થઈ. કમલનયની ગણિકા કેશાનું અનુપમ રૂપ જોઇ તેમનુ મન એક જ દિવસમાં વ્યાકુળ અન્યું. ધર્મોપદેશને સ્થાને મુનિએ કશાની પાસે કામની પ્રાથના કરી. મુનિ સ્થૂલિભદ્ર પાસેથી સારી રીતે ધમ પામેલી કેશા પૂર્ણ સજાગ–સાવધાન હતી. રાજાના આદેશથી આવેલા પુરુષ સિવાય બીજા કોઈ પુરુષ સાથે કામસંબંધને તેણે ત્યાગ કર્યા હતા. મુનિને સન્માગે વાળવાની દૃષ્ટિથી તેણે કહ્યું કે, “મુનિ ! હું ગણિકા . ગણિકા તેની થાય છે, જે ઘણુ દ્રવ્ય આપી શકે. તમારી પાસે મને આપી શકાય તેવું શું છે ? ’’ (6 66 મુનિએ કહ્યું કે, “ મારી જેવા અકિચન વ્યક્તિ પાસેથી ધનની આશા રાખવી વ્યર્થ છે. તમે પ્રસન્ન થઈ મારી યાચના પૂર્ણ કરો. ” ત્યારે કોશાએ યુક્તિપૂર્વક કહ્યું કે, “ મુનિ ! નેપાલ દેશને રાજા પ્રથમ આવેલ યાચકને લક્ષ મુદ્રાના મૂલ્યવાળી રત્નક બલ આપે છે. તે રત્નકંબલ લાવી આપે તે આ વિષયમાં કાંઇક વિચાર કરીશ. ’’ (4 કામાસક્ત વ્યક્તિ હિતાહિતના વિચાર કરી શકતી નથી. મુનિ પેાતાની સાધુત્વની મર્યાદા ભૂલી, ચાતુર્માંસકાળમાં જ ત્યાંથી નીકળી સેંકડા કાસ દૂર આવેલા નેપાલ દેશમાં પહોંચ્યા. અત્યંત મુશ્કેલીથી રત્નક'બલ પ્રાપ્ત કરી પાછા ફર્યા. રસ્તામાં ઘણી આપત્તિઓને સામનેા કર્યાં. મામાં ચારનું એક નિવાસસ્થાન હતું. તેની પાસે પહોંચ્યા કે તરત જ શકુનસૂચક પક્ષી એલ્યુ કે, “ આયાતિ મમ્। લાખ મુદ્રાઓનુ દ્રવ્ય આવે છે. ” પક્ષીભાષાના જાણકાર ચારના અધિપતિએ વૃક્ષ પર ચઢેલા ચારને પૂછ્યું કે, “ માર્ગ પર કોઈ આવતું દેખાય છે?'' નજર ફેરવીએ ચારે કહ્યું કે, “ એક ભિક્ષુક આવે છે. તે સિવાય બીજુ કાઈ દષ્ટિગોચર થતું નથી. ’ આ જાણી ચોરીના અધિપતિએ આદેશ કર્યો કે, “ તે નજીક આવે ત્યારે તેને લૂંટી લેજે. ચારે તેમ કર્યુ, પણુ ભિક્ષુ પાસેથી કાંઈ પ્રાપ્ત થયું નહિ. ચાર પાસેથી છુટકારો મેળવી મુનિ જ્યાં આગળ જાય છે ત્યાં પક્ષી ફરીથી એલ્યુ કે, “ તf પ્રયાતિ । આ લાખ ાય છે. ’” પક્ષીના સંકેતથી ચારે અને ચારેના અધિતિ તે મુનિને ઘેરી વળ્યા, અને પૂછ્યું કે, “ ભિક્ષુક ! સાચું કહે. તમારી પાસે શું છે? ” આ સાંભળી મુનેિનું શરીર કપવા લાગ્યું; તે ખેલ્યા કે, “ મારી આ વાંસની લાંબી લાકડીમાં રત્નકંબલ નાંખેલી છે. મગધની ગણિકાને પ્રસન્ન કરવા 27 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy