SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શાસનપ્રભાવક માટે નેપાલના રાજા પાશેથી યાચના કરીને લાવ્યેા છે. ચારેએ મુનિની કાયરતા જોઈ હાસ્ય કર્યું; અને દયાપાત્ર સમજી રત્નકખલ લીધા વિના તેમને છોડી દીધા. ¢ સિંહગુફાવાસી મુનિ બાકીના માર્ગ નિવિઘ્ને પસાર કરી ચિત્રશાળા પાસે પહોંચ્યા. તેમનું વાસનાયુક્ત મન પ્રસન્નતાથી નાચી રહ્યું. ગણિકા શાનાં ચરણામાં રત્નકંબલની મૂલ્યવાન ભેટ મૂકી તેની કૃપા મેળવવા મુનિ આતુરતાથી ઊભા રહ્યા. રત્નક બલ જોઈ ને કશાની મુખમુદ્રા ગભીર બની ગઈ. મુનિનું શરીર હાડકાને ચાંટેલી ચામડીવાળું અને ફાટી ગયેલ ચી’થરાં જેવા વસ્ત્રવાળું હાડપિંજર સરખું થઈ ગયું હતુ.. કોશાએ તેમને એધ પમાડવા એ રત્નકઅલ પોતાના પગોથી લૂછી, ગટરમાં ફેોંકી દીધું. મુનિ ચાંકી જઈ ને એટલી ઊઠ્યા, “ હું શખ સમાન કંઠવાળી ! અતિ કઠિન શ્રમ દ્વારા પ્રાપ્ત કરેલી આ મહામૂલ્યવાન રત્નકંબલના તારા જેવી સમજદાર સ્ત્રી દ્વારા કેવા પ્રકારના ઉપયોગ કરાઈ રહ્યો છે ? ” મુનિને આશ્ચર્ય ચકિત જોઈ અને આ સમય યોગ્ય જાણી, સંયમજીવનની મહત્તા સમજાવતાં કાશા એલી કે, મહિષ ! આ સાધારણ કબલને માટે આટલી ચિંતા ? સંયમરત્ન રૂપી કબલને ગુમાવી આપ આનાથી પણ મેટી ભૂલ નથી કરી રહ્યા શુ ? ” ગણિકા કશાની આ વેધક વાણી સાંભળી સિંહગુફાવાસી મુનિનાં મનમાં ભ સાથે સવેગદીપ પ્રજવલિત થયા. સંયમજીવનની સ્મૃતિ પાછી આવી ગઈ. તેમનુ હૃદય પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી બળવા લાગ્યુ. તેમણે કૃતજ્ઞ સ્વરેમાં ગણિકાને કહ્યું, “હે સુત્રતા! તમે મને એધ આપ્યા; સ'સારથી બચાવ્યેા. હું આચાય સભૂતિવિજય પાસે જઈ ને આલોચનાપૂર્ણાંક શુદ્ધ અનીશ. ” ત્યારે ગણિકા કેશાએ વિનયભાવે કહ્યું કે, “ બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર કરવા માટે મેં આપને આ બધુ કષ્ટ આપ્યું હતું. મારાથી આ અશાતના આપને બેધ આપવા માટે જ થઇ હતી. મારા આવા પ્રકારના વ્યવહાર માટે મને ક્ષમા કરો; અને આપ કલ્યાણમા નુ' અનુસરણ કરે. ’’ સિંહગુફાવાસી મુનિ ગણિકા કોશાના ઘરેથી વિદાય લઈ આચાય સભૂતિવિજય પાસે પહેાંચ્યા. કરેલા દોષની આલેચના લઇ સંયમમાર્ગીમાં પુનઃ સ્થિર થયા; અને કિઠન તપસાધનાનું આચરણ કરવા લાગ્યા. તેમનું માનસ શ્રમણ સ્થૂલિભદ્રજીના અનંત મનોબળને ધન્યવાદ આપી રહ્યું. આચાર્ય શ્રી સંભૂ વિજયના શિષ્યપરિવાર વિશાળ હતા. શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં તેમના મુખ્ય બાર શિષ્યાના ઉલ્લેખ છે, તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) નંદભદ્ર, (૨) ઉપન’દભદ્ર, (૩) વિષ્યભદ્ર, (૪) યશાભદ્ર, (૫) સુમણિભદ્ર, (૬) મણિભદ્ર, (૭) પુણ્યભદ્ર, (૮) સ્થૂલિભદ્ર, (૯) ઉત્તુભદ્ર, (૧૦) જમૂ, (૧૧) દીર્ઘ`ભદ્ર અને (૧૨) પંડુભદ્ર. આચાય સભૂતિવિજયના શ્રમણીગણુ પણ પ્રભાવક હતેા. યક્ષા, યક્ષદિન્તા, સેણા, વેણા, રણા–એ સાત મહાઅમાત્ય શકડાલની પ્રતિભાસંપન્ન પુત્રીઓએ આચાય સ`ભૂતિવિજયસૂરિજીના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષા શ્રી સ્થૂલિભદ્ર પછી થઈ હતી. મહાઅમાત્ય શકડાલ પછી રાજા નંદના મહાઅમાત્યપદને શેાભાવનાર બુદ્ધિવાન શ્રીયકે પણ પાતાની યક્ષા વગેરે સાત બહેના સાથે આચાય સભૂતિવિજય પાસે દીક્ષા લીધી હતી. યક્ષા આદિ બહેનો સાથેના ભાઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy