SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શાસનપ્રભાવક સ્વામી સંભૂતિવિજયના લઘુ ગુરુબંધુ હતા. બંને આચાર્યોએ શ્રી યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. આચાર્ય સંભૂતિવિજયને જન્મ વીરનિર્વાણ સં. ૬૬ માં બ્રાહ્મણકુળમાં થયે હતો. તેમનું ગોત્ર મોટર હતું. તેઓ વેદ-પુરાણના ઊંડા અભ્યાસી હતા. આચાર્ય શ્રી યશોભદ્રસૂરિના ઉપદેશથી તેમને જે સંસ્કાર પ્રાપ્ત થયા અને પરમ વૈરાગ્યથી ૪૨ વર્ષની વયે વીરનિર્વાણ સં. ૧૦૮ માં મુનિદીક્ષા ગ્રહણ કરી સંભૂતિવિજય બન્યા. તેમ જ શ્રમણાચારની શિક્ષા પ્રાપ્ત કરી. આગમનું ગંભીરતાપૂર્વક અધ્યયન કર્યું અને ચૌદ પર્વોનું પણ સંપૂર્ણ પણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આચાર્ય યશોભદ્રસૂરિ પછી વિરનિર્વાણ સં. ૧૪૮માં તેઓ યુગપ્રભાવકપદે પ્રતિષ્ઠિત થયા. સાધુઓની શોભા આચાર્ય છે અને આચાર્યની શોભા સાધુઓ છે. જે સંઘમાં તપસ્વી શ્રતસંપન્ન મુનિઓ હોય છે તે સંઘ તેજસ્વી થાય છે, અને સંઘનાયક આચાર્ય પણ ધર્મશાસનની પ્રભાવનાનું કાર્ય કરવામાં વધારે સમર્થ બને છે. આચાર્ય શ્રી સંભૂતિવિજયના પરિવારમાં શ્રેષ્ઠ શ્રમણ સંપદા હતી. વિદ્યાસંપન્ન અને ઘોર અભિગ્રહધારી મુનિએ તેમના શિષ્ય પરિવારમાં ઘણા હતા. શ્રુતસંપન્ન શ્રી ભદ્રબાહુસ્વામી તેમના લઘુ ગુરુબંધુ હતા. એક વાર ચાર વિશિષ્ટ તપસ્વી મુનિઓ આચાર્ય સંભૂતિવિજય પાસે આવ્યા. તેમાંના એકે સિંહગુફામાં, બીજાએ સર્ષના બીલ પાસે, ત્રીજાએ કુવાની પાળ ઉપર તાપૂર્વક ચાતુર્માસ કરવાને અભિગ્રહ ધારણ કર્યો અને પિતાના લક્ષ્ય તરફ પ્રયાણ કર્યું. જ્યારે ચેથા મુનિ સ્થૂલિભદ્રજીએ તે ચાતુર્માસ ઉપકારષ્ટિથી પૂર્વપરિચિત ગણિકા કેશાની ચિત્રશાળામાં ગુરુની અનુજ્ઞા મેળવી કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે ચારે મુનિએ આચાર્ય શ્રી સંભૂતિવિજયની પાસે આવ્યા. પ્રથમ ત્રણ મુનિઓનું સન્માન “દુષ્કર ક્રિયાના સાધક” એમ સંબોધન કરી કર્યું. અને ચોથા, કેશા ગણિકાને પ્રતિબોધ કરી આવેલા શ્રમણ ધૂલિભદ્રના આગમન સમયે આચાર્ય સંભૂતિવિજ્ય સ્વયં સાત-આઠ પગલાં સામે ગયા અને “મહાદુષ્કરકિયાના સાધક” એમ સંબોધન કરી તેમનું વિશેષ સન્માન કર્યું. સ્વર્ગ સરખી ચિત્રશાળામાં સુખપૂર્વક ચાતુર્માસ કરનાર શ્રી સ્થૂલિભદ્રજીને “મહાદુષ્કરક્રિયાના સાધક ” એવું આદરસૂચક સંબોધન સાંભળી પ્રથમ ત્રણે ઘોર અભિગ્રહધારી મુનિઓનાં મનમાં પ્રતિસ્પર્ધાને પ્રબળ ભાવ જાગૃત થશે. તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે, મંત્રીપુત્ર હોવાને લીધે આચાર્ય સંભૂતિવિજયે ષટ્રસભેજી છતાં મુનિ યૂલિભદ્રને આટલું સન્માન આપ્યું છે. માત્સર્યભાવથી વ્યાપ્ત એ સાધુઓએ લગભગ આઠ માસ વ્યતીત કર્યા. પછી સિંહગુફાવાસના અભિગ્રહવાળા મુનિએ આચાર્ય સંભૂતિવિજય પાસે આવીને પ્રાર્થના કરી કે, “ગુરુદેવ! હું આગામી ચાતુર્માસ ગણિકા કશાની ચિત્રશાળામાં કરવાને છું છું.” આચાર્ય સંભૂતવિજયે કહ્યું : “વત્સ! આ મહાન દુષ્કર અભિગ્રહ ધારણ ન કરે. મેરુપર્વતની જેવા સ્થિર સ્થૂલિભદ્ર જ આવા પ્રકારના અભિગ્રહનો નિર્વાહ કરી શકે.” આ સાંભળી મુનિએ કહ્યું કે, “મારા માટે આ અભિગ્રહ દુષ્કર નથી. આપ જેને દુષ્કર દુષ્કર કહી રહ્યા છે તે માર્ગ મારા પૂર્વેના અભિગ્રહથી સરળ છે.” આચાર્ય સંભૂતિવિજયે મધુર સ્વરે ફરી સમજાવતાં કહ્યું કે, “આ અભિગ્રહમાં તું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy