SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક કર્યું. વળી, તમે આ વાત પહેલા જાણી લીધી હતી તે, મારે પુત્ર છે એમ સમજીને તમે તેમને કઈ સેવા કરવા આપેત નહિ; અને તે સેવાધર્મથી વંચિત રહી જાત. આથી આ ભેદ આજ સુધી તમારી પાસે મેં પ્રગટ કર્યો ન હતો.” આચાર્ય શäભવસૂરિની આ વાત જાણી સર્વ સાધુઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આચાર્ય પ્રભવસ્વામીના સ્વર્ગવાસ પછી શ્રતધર શય્યભવસૂરિએ શાસનનું સુકાન સંભાળ્યું. તેમણે વિતરાગ શાસનની ઘણી પ્રભાવના કરી. અધિક પરિચિત અને અતિનિકટ બ્રાહ્મણ સમાજને યજ્ઞનું આધ્યાત્મિક રૂપ સમજાવી જેનધર્મને અનુકૂળ બનાવ્યા અને વિવિધ પ્રકારે જેનશાસનની પ્રભાવના કરી. જીવનના સંધ્યાકાળે આચાર્ય શäભવસૂરિએ પિતાના ઉત્તરાધિકારપદે શ્રી યશભદ્રસૂરિને સ્થાપ્યા હતા. મૃતબલથી આચાર્ય શäભવસૂરિ સિંહની જેમ દુર્ઘર્ષ હતા. પૂર્વજ્ઞાનમાંથી ઉદ્ધાર કરી સૂત્રજ્ઞાનની રચનાનો પ્રારંભ તેમનાથી જ થયો હતે. આચાર્ય શય્યભવસૂરિએ ૨૮ વર્ષની ઉંમરે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. ૩૯ વર્ષની ઉંમરે આચાર્યપદે આરૂઢ થયા. સંયમી જીવનનાં કુલ ૩૪ વર્ષમાં ૨૩ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહી નિપુણતાપૂર્વક જેનશાસનનું સંચાલન કર્યું. તેઓ દર વર્ષની વયે વીરનિર્વાણ સં. ૯૮માં સ્વર્ગવાસી થયા. માત્ર બાવીસ વર્ષની વયે શ્રમણસંઘના નાયક બની શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં યુગપ્રધાનની પરંપરામાં સૌથી વધારે શાસનકાળ ભેગવનાર એવા ચૌદ પૂર્વધારી, ઉત્તમ ચારિત્રસંપન્ન, સુવિહિતાગ્રણિ અને જૈનશાસનના પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્દ યશોભદ્રસૂરિજી મહારાજ શ્રી યશોભદ્રસૂરિ જૈનશાસનના પરમ યશસ્વી આચાર્ય હતા. શ્રતધર આચાર્યોની પરંપરામાં તેમનો ક્રમ ત્રીજે હતો. આચાર્ય શäભવસૂરિના ઉત્તરાધિકારી શ્રુતસંપન્ન શ્રી યશોભદ્રસૂરિએ ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનપદને શોભાવ્યું હતું. દીર્ઘકાળ સુધી સંયમપર્યાયનું પાલન કરી અનેક લેકેને ધર્મનું માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય યશોભદ્રસૂરિના ગુરુ આચાર્ય શય્યભવસૂરિ હતા. આચાર્ય શય્યભવસૂરિએ તેમને દીક્ષાના સંસ્કાર આપ્યા હતા અને આગમ તથા પૂર્વોને પરિપૂર્ણ અભ્યાસ પણ કરાવ્યો હતો. આચાર્ય યશોભદ્રસૂરિના જન્મ બ્રાહ્મણ પરિવારમાં વિ. સં. પૂર્વે ૪૦૯માં થયો હતો. તેમનું ગોત્ર તુંગીયાન હતું. તેઓ કર્મકાંડી પંડિત અને વેદના જાણકાર હતા. એક વખત સંગાનુસાર, તેમને આચાર્ય શય્યભવસૂરિનું પ્રવચન સાંભળવાનો અવસર મળે. મહામંગલકારી અધ્યાત્મતત્વના ઉપદેશ-શ્રવણથી તેમની જીવનધારા બદલાઈ ગઈ. તેમને સાંસારિક ભેગો નીરસ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy