SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રમણભગવંતો નીકળે. પિતા-પુત્રનું ચંપાનગરીમાં અચાનક મિલન થયું. બાળકની મુખમુદ્રા પિતાની મુખાકૃતિને મળતી જેઈ આચાર્ય શäભવસૂરિને અજ્ઞાત સ્નેહ જાગૃત થયો. તેમણે બાળકનું નામ-ગામ આદિ પૂછયું. મનકે પિતાને પરિચય આપી અને પૂછનાર મુનિ જ હેઈ, પૂછયું : “મારા પિતા શષ્યભવ મુનિ કયાં છે? તમે તેમને જાણે છે ?” બાળકના મુખથી સર્વ વૃત્તાંત અને પિતાનું નામ સાંભળી આચાર્ય શäભવે પિતાના પુત્રને ઓળખી લીધે. પણ પિતાને આચાર્ય શય્યભવના નિકટના મિત્ર તરીકે ઓળખાવી તેને સાથે લીધું. આચાર્ય શäભવસૂરિએ પછી તેને પ્રેરણાભર્યો આત્મબોધ આપતાં મનક પ્રભાવિત થયે; અને આઠ વર્ષની કુમળી વયમાં જ તેણે મુનિદીક્ષા ગ્રહણ કરી. આચાર્ય શય્યભવસૂરિ હસ્તરેખાના જાણકાર હતા. બાળકને હાથ જોતાં જાણ્યું કે, બાળકનું આયુષ્ય માત્ર છ મહિના જ બાકી રહ્યું છે. અને સર્વ શાસ્ત્રનું અધ્યયન કરવું તેને માટે શક્ય નથી. આથી પશ્ચિમો તાપૂર્વી શ્રુતસાર સમુદ્રના ચતુરાપૂર્વધાઃ પુનઃ જેના હેતુના . અર્થાત્ સંપૂર્ણ દશપૂવી તેમ જ ચૌદપૂર્વ પૂર્વેમાંથી શ્રતના સારને કેઈ વિશેષ કારણે ઉધૃત કરે છે.” (પરિશિષ્ટ પર્વ, સગ–૩) આચાર્ય શäભવ ચૌદપૂર્વના જ્ઞાતા હતા. તેમણે મુનિ પુત્ર મનકનું અલ્પાયુ જાણી તેને સર્વ શાનું અધ્યયન આપવા “દશવૈકાલિક સૂત્રને ઉદ્ધાર કર્યો. આ સૂત્રમાં મુનિજીવનની આચારસંહિતાનું નિરૂપણ છે. તેમાં દશ અધ્યયને છે. એ અધ્યયનમાં આદર્શ મુનિજીવન કેવું ઉચકેટિનું હોય અને તે અજરામર પદદાયક કેવી રીતે થાય છે તેનું સુંદર સ્વરૂપદર્શન કરાવ્યું છે. આ સૂત્ર નૂતન મુનિ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે. શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ મુજબ આ સૂત્રનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં અધ્યયને નવમ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલાં છે. દશવૈકાલિક સૂત્ર સાથે સંયુક્ત રઈવક્કા અને વિવિત્તચર્યા નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓને અભ્યાસ સંયમમાં અસ્થિર મુનિઓને સ્થિર કરવા માટે આલંબનભૂત છે. આ બંને ચૂલિકાઓ સૂત્રમાં સાથે પાછળથી જોડવામાં આવેલ હોય તેમ લાગે છે. કારણ, આચાર્ય શય્યભવસ્વામીએ તે દશવૈકાલિકના દશ અધ્યયનેને જ ઉદ્ધાર કરેલ છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થ અનુસાર, દીક્ષાગ્રહણ સમયે મનકની ઉમર આઠ વર્ષની હતી. આથી મનકની દીક્ષાનો સમય વીરનિર્વાણ સં. ૭૨ ને સંભવે છે. આચાર્ય પ્રભવસ્વામીને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૭૫ માં થયું હતું. એટલે મનકની દીક્ષા તેમ જ દશવૈકાલિકસૂત્રની રચના વખતે તેમની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. આચાર્ય શäભવસૂરિ મૃતધર હતા, વીતરાગ (કેવલી) ન હતા. તે કારણે પુત્ર-સ્નેહ ઊભરાઈ આવ્યું. મુનિ મનકના સ્વર્ગવાસથી તેમની આંખોમાં આંસુ આવ્યાં. આથી શિષ્ય યશભદ્ર વગેરે મુનિઓએ તેમની ખિન્નતાનું કારણ પૂછયું. શ્રી શય્યભવસૂરિએ જણાવ્યું કે, “એ મારે સંસારીપણે પુત્ર હતા. પુત્રમોહે મન વિહ્વળ શ્ર. ૧૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy