SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક બ્રાહ્મણના યજ્ઞવાટકમાં ગયા. તેમણે દ્વાર પર ઊભા રહી “ધર્મલાભ” કહો. ત્યાં તેઓનું અપમાન થયું. તેઓને ચાલ્યા જવાનું કહેવામાં આવતાં, એ બોલ્યાઃ “અહો ! કષ્ટની વાત છે કે તત્ત્વ જાણી શકતા નથી.” તત્ત્વ નહિ સમજવાની વાત સાંભળી વિદ્વાન શય્યભવને વિચાર આવ્યું કે, શાંત તપસ્વી સાધુ અસત્ય બોલે નહિ. પછી તુરત તેઓ હાથમાં તલવાર લઈ અધ્યાપકની પાસે ગયા, અને તત્ત્વનું સ્વરૂપ પૂછ્યું. અધ્યાપકે જણાવ્યું કે, “સ્વર્ગ અને મેક્ષ આપનાર વેદ એ જ પરમતત્વ છે.” શય્યભવે આ સાંભળી કહ્યું કે, “રાગદ્વેષરહિત નિર્મામ નિષ્પરિગ્રહી શાંત મુનિએ અસત્ય ભાષણ ન કરે. તેથી યથાવસ્થિત તત્વનું પ્રતિપાદન કરે; નહિતર આ તલવારથી તમારો શિરચ્છેદ કરીશ.” ચમકતી તલવાર જોઈ અધ્યાપક કમ્પાયમાન થઈ કહેવા લાગ્યા કે, “આ યજ્ઞસ્તંભની નીચે જેનોના જિનેશ્વર શ્રી શાંતિનાથની રત્નમય પ્રતિમા સ્થાપેલી છે તે જ યથાર્થ તત્ત્વ છે. એના પ્રતાપે જ આ બધી જાહેરજલાલી છે.” તરત જ શäભવે યજ્ઞસ્તંભને ઉખાડી નાખી એ જિનપ્રતિમાનાં દર્શન કર્યા. તેના નિમિત્તે તે પ્રતિબોધ પામ્યા. વિદ્રાન શય્યભવ સાચા જિજ્ઞાસુ હતા. યજ્ઞસામગ્રી અધ્યાપકને સેંપી, પરમ તત્વની શોધમાં નીકળી પડ્યા. ફરતાં ફરતાં તેઓ આચાર્ય પ્રભવસ્વામી પાસે પહોંચ્યા. પ્રભવસ્વામીએ તેમને યજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અધ્યાત્મની ભૂમિકા પર જીવનદર્શનનું તત્ત્વ સમજાવ્યું. આચાર્ય પ્રભવસ્વામીની સચેટ વાણીથી બોધ પામી શય્યભવે વીરનિર્વાણ સં. ૨૪ માં શ્રમણ સંઘમાં પ્રવેશ કર્યો. મુનિજીવન સ્વીકાર્યું ત્યારે તેમની વય ૨૮ વર્ષની હતી. તેઓ વૈદિક દર્શનના સમર્થ વિદ્વાન તે હતા જ; દીક્ષા બાદ ગુરુદેવ પાસે તેમણે ક્રમે ક્રમે ૧૪ પૂર્વનું વિશદ જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું; અને શ્રધરની પરંપરામાં તેઓ બીજા શ્રતકેવલી બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ શ્રતસંપન્ન શ્રી શય્યભવને વિ. સં. પૂર્વે ૩૯૭માં આચાર્યપદે સ્થાપ્યા. આચાર્ય શય્યભવસૂરિએ દીક્ષા લીધી તે સમયે તેમની પત્ની ગર્ભવતી હતી. બ્રાહ્મણવર્ગમાં ચર્ચા થવા લાગી કે વિદ્વાન શય્યભવ ભટ્ટ અત્યંત નિષ્ફર છે, જે પિતાની યુવાન પત્નીને ત્યાગ કરી સાધુ બની ગયો છે. સ્ત્રીને માટે પતિના અભાવમાં પુત્ર આલંબનભૂત હોય છે, તે પુત્ર પણ તેને નથી. અબળા ભટ્ટપત્ની કઈ રીતે પિતાના જીવન નિર્વાહ કરશે? સ્ત્રીઓ તેને પૂછતી હતી કે, “બહેન! ગર્ભની સંભાવના છે?” તે સંકેચપૂર્વક બેલી કે, માળ (કના)- કાંઈક છે.” ભટ્ટપત્નીને આ ટૂંકા ઉત્તરથી પરિવારના માણસોને સંતોષ થયે. કાળક્રમે ભટ્ટપત્નીએ પુત્રને જન્મ આપ્યું. પુત્રનું નામ મનક રાખવામાં આવ્યું. ભટ્ટપત્નીએ પુત્ર મનકનું અત્યંત નેહ પૂર્વક લાલનપાલન કર્યું. આઠ વર્ષને થયે ત્યારે બાલ મનકે એક દિવસ પિતાની માતાને પૂછયું કે, “મારા પિતાનું નામ શું નામ શું છે?” ભટ્ટપત્નીએ બીજાં બાળકથી ચીડવાયેલા પિતાના પુત્રને આ પ્રશ્નના ઉત્તરમાં સમગ્ર પૂર્વવૃત્તાંત કહ્યો અને વધુમાં જણાવ્યું કે, “તારા પિતા જૈન મુનિ બની ગયા છે.” બાલ મનકને પિતાના પિતાનાં દર્શન કરવાની પ્રબળ ઈચ્છા જાગી. તે માતાની અનુજ્ઞા લઈ પિતાની શોધમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy