SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત સમગ્ર જૈનેને સન્માન્ય અને સાધ્વાચાર માટે આદર્શરૂપ એવા “દશવૈકાલિકસૂત્ર'ના રચયિતા, વૈદિક દશનના ધુરંધર, હસ્તરેખાના પ્રખર જાણકાર, ચૌદ પૂર્વના પારગામી આચાર્યપ્રવરશ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજ ____“सेज्जमव गणधरं जिनपडिमाईसणेण पडिबुद्धं । मणगपियरं दसकायस्स निजगं વંદે | ક – શ્રી જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબધ પામેલા મનકના પિતા અને દશવૈકાલિક સૂત્રના રચયિતા શય્યભવ ગણધરને વંદના કરું છું.' દશવૈકાલિક નિયુક્તિકાર (ગાથા : ૧૪) ના આ શબ્દો જેના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વના છે. એવા આ સૂત્રના રચયિતા આચાર્ય શય્યભવસૂરિજીનું વ્યક્તિત્વ અસાધારણ હતું. તેમનામાં અનેક અસાધારણ ગુણ હતા. તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પાટ પરંપરામાં ચોથા પટ્ટધર હતા. આચાર્ય શäભવસૂરિના ગુરુ આર્ય પ્રભવસ્વામી હતા. પ્રભવસ્વામી પ્રથમ શ્રતધર યુગપ્રધાન હતા. પંડિત શય્યભવ ભટ્ટને શ્રી પ્રભવસ્વામીથી જ જૈનધર્મને બોધ પ્રાપ્ત થયું હતું. તે પછી શય્યભવ ભટ્ટ જેના મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે આગમશ્રત અને પૂર્વશ્રતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય શય્યભવસૂરિને જન્મ બ્રાહ્મણ પરિવારમાં વીર નિર્વાણ સં. ૩૬ માં થયે હતા. તેમનું ગેત્ર વન્સ હતું. રાજગૃહી તેમની જન્મભૂમિ હતી. તેમના પુત્રનું નામ મનક હતું. શય્યભવ ગૃહસ્થજીવનમાં જ સમર્થ વિદ્વાન હતા; યજ્ઞ આદિ અનુષ્ઠાનેનું આયોજન કરનારાઓમાં મુખ્ય હતા. વેદ-વેદાંગ-દર્શન સંબંધી તેમનું જ્ઞાન અગાધ હતું. આર્ય પ્રભવસ્વામીને શ્રી શય્યભવ જેવા મહાન યાજ્ઞિક બ્રાહ્મણની પ્રાપ્તિ વિશેષ પ્રયત્નથી થઈ હતી. આચાર્યની સૌથી મોટી જવાબદારી પિતાની પાટે આચાર્યપદે કેની સ્થાપના કરવી તેની હોય છે. આવી મોટી જવાબદારીની ચિંતા શ્રી સુધર્માસ્વામી કે શ્રી જે બૂસ્વામીને કરવી પડી ન હતી. કારણ કે શ્રી સુધર્માસ્વામી સમક્ષ શ્રી જબૂસ્વામી અને શ્રી જબૂસ્વામીની સમક્ષ શ્રી પ્રભવસ્વામી જેવી ગ્ય વ્યક્તિઓ હતી. આચાર્ય શ્રી પ્રભવસ્વામી ૯૪ મા વર્ષે આચાર્યપદે આવ્યા હતા, જે તેમના જીવનને સંધ્યાકાળ હતું, અને પોતાની પાટે કેને સ્થાપવા એ પ્રશ્ન હતે. એક વખત રાત્રિના પાછલા ભાગમાં આચાર્ય પ્રભવસ્વામીએ વિચાર્યું કે, મારા પછી આ ગણને ભાર કેણ વહન કરશે? પિતાના ઉત્તરાધિકારી માટે શોધ કરતાં કરતાં, ઝવેરી હીરે પાખે તેમ, આર્ય પ્રભવસ્વામીનું ધ્યાન યનિષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન શય્યભવ પર કેન્દ્રિત થયું. તેઓ શ્રીસંઘનું નેતૃત્વ સંભાળી શકે તેવા શક્તિસમ્પન્ન હતા. પણ તેમના મનમાં જેનદર્શનની વાત ઉતારવી સરળ ન હતી. જો કે શ્રી પ્રભવસ્વાવી સમર્થ આચાર્ય હતા; ચર્ચા–વાદ દ્વારા પ્રતિપક્ષી શય્યભવને જૈન ધર્મ પ્રત્યે પ્રભાવિત કરી શકે તેમ હતા. પરંતુ શય્યભવને પિતાની પાસે લાવવાનું કામ પણ કપરું હતું. છેવટે આ માટે સ્થવિર, દક્ષ અને ઉપદેશકુશળ બે મુનિઓને તૈયાર કર્યા. આચાર્ય પ્રભવસ્વામીની આજ્ઞાથી એ મુનિઓ વિદ્વાન શäભવ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy