SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શાસનપ્રભાવક કરી રહ્યો છે અને ક્યાં હું કે જે માંસના ટુકડા પર કૂતર તૂટી પડે તેમ ધન ઉપર તૂટી પડ્યો છું ! આ મહાગીનાં નેત્રમાં મૈત્રીને પ્રવાહ સતત વહી રહ્યો છે, જ્યારે હું મહાપાપી છું. સંયમ અને પરૂપી અગ્નિમાં સ્નાન કર્યા સિવાય મારી વિશુદ્ધિ થવી અશક્ય છે. જંબૂની જ્ઞાનધારામાં પ્રભવના હદય ઉપર યુગોથી પડેલી મલિનતા ઘેવાઈ ગઈ. જે અષભદત્તની ધનરાશિ લૂંટવા આવેલ તે જબૂનાં ચરણોમાં જઈ પડ્યો. પિતાના અપરાધની ક્ષમા માગી, પિતાના સાથીઓને મુક્ત કરી દેવા તેમની પાસે નિવેદન કર્યું. પરંતુ તે ત્યારે આશ્ચર્યમાં ડૂબી ગયે, જ્યારે જંબૂના આદેશ મુજબ પિતાના સાથીઓ પાસે પહોંચ્યા ત્યારે તેને કેઈ સાથી બંધાયેલ ન હતું! કેઈના પગ ભૂમિ પર ચેટેલા ન હતા. પિતાના સાથીએના હાથપગ પહેલાં કેમ સ્થભિત થઈ ગયા હતા, તેનું વૈજ્ઞાનિક સમાધાન તેને મળી ગયું. જેને તે તથા તેના સાથીઓ દેવ-માયાને પ્રગ તથા ખંભિની વિદ્યાને પ્રભાવ માનતા હતા તે બીજું કાંઈ નહિ, પણ જબૂની પવિત્ર અધ્યાત્મશક્તિને પ્રભાવ હતે. અણુશક્તિના પ્રયોગથી આંદલિત વાતાવરણની જેમ જ બૂની સબળ જ્ઞાનધારાના સ્પશે ચારસમૂહના મનમાં એક વિચિત્ર કાંતિ પેદા થઈ. પ્રભવને પિતાના સાથીઓના હાથપગ ખંભિત થયેલા દેખાતા હતા તે વાસ્તવિક રીતે તે અધ્યાત્મતરંગોને પ્રભાવ હતા. જંબૂના ઉપદેશથી તેમનાં મન પાપકર્મથી પૂર્ણપણે વિમુખ બની ગયાં હતાં. પ્રભવ સંયમમાગે પ્રયાણ કરવા તત્પર બન્યા. પિતાના અધિપતિને આ પ્રશસ્ત નિર્ણય સાંભળી સમગ્ર ચેરેના સમૂહમાં પણ એ જ ભાવ પ્રકા. દીપથી દીપકો પ્રકાશ્યા, મનનાં પાપ નષ્ટ થયાં. પ્રભવે પોતાના સાથીઓ સાથે જબૂની પાછળ પાછળ જ વિ. સં. પૂર્વે ૪૭૦ માં આર્ય સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. “પરિશિષ્ટ પર્વ” મુજબ પ્રભવની દીક્ષા આર્ય જંબુસ્વામીની દીક્ષા પછી બીજે દિવસે થઈ હતી. તેના આધારે દીક્ષામાં આર્ય જબૂ કરતાં મેટા હતા. દીક્ષા સમયે જે બૂની વય ૧૬ વર્ષની હતી અને પ્રભવની વય ૩૦ વર્ષની હતી. - આર્ય બૂસ્વામીના નિર્વાણ પછી વિ. સં. પૂર્વે ૪૦૯ માં પ્રભવસ્વામીએ શ્રમણસંઘના નાયકપદનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું. આર્ય પ્રભવસ્વામી સમર્થ શ્રતધર હતા ચૌદપૂર્વના જ્ઞાતા હતા અને શ્રમણ સંઘના નાયક-યુગપ્રધાન હતા. પિતાના ઉત્તરાધિકારી માટે ચિંતિત આ યુગપ્રધાને, ઝવેરી હીરાની પરબ કરી જાણે તેમ, યથાયોગ્ય એવા ભટ્ટ શય્યભવને પ્રતિબધી પિતાના શિષ્ય બનાવ્યા. સમગ્ર શ્રતના જ્ઞાતા બનાવી, સમયે તેમને શાસનની ધુરા સેંપી, વિ. સં. પૂર્વે ૩૯૫ માં, ૧૧ વર્ષ યુગપ્રધાનપદ શોભાવી, ૧૦૫ વર્ષનું દીર્ઘ આયુષ્ય ઉજજવલ કરી, સ્વર્ગવાસ પામ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy