SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત જબૂએ કહ્યું, “પ્રભવ ! વિષયભેગેથી પ્રાપ્ત થતું સુખ દુઃખને દેનારું છે. સરસવના કણ સરખું વિષયસુખ મધુબિન્દુની જેમ ક્ષણિક આનંદદાયક છે.” આમ કહી મધુબિન્દુનું દષ્ટાંત કહ્યું, “ધનસંગ્રહની ઇચ્છાવાળે કે મનુષ્ય જંગલમાં જઈ રહ્યો છે. તેની પાછળ મદન્મત હાથી દોડતે આવે છે. તેનાથી બચવા માટે બીજે કઈ ઉપાય નહિ જેવાથી વૃક્ષની ડાળનું અવલંબન લઈ ઊંડા કૂવામાં લટકી રહ્યો છે. કૂવામાં ચાર વિકરાળ કાળા સર્ષ કૂંફાડા મારી રહ્યા છે. વચમાં એક વિશાળકાય અજગર મેઢું ખુલ્લું રાખી પડે છે. મદોન્મત્ત હાથી વૃક્ષના થડને હલાવી રહ્યો છે. આલંબનભૂત શાખાને સફેદ અને કાળા બે ઉંદર કાપી રહ્યા છે. વૃક્ષની ઉપરની શાખામાં મધમાખીઓથી ભરેલે મધપૂડો છે. મધમાખો તેના દંશ મારે છે. મધપૂડામાંથી મધનાં ટીપાં તેના મુખ પર પડે છે. મત તેના મસ્તક પર ઝઝૂમી રહ્યું છે. તેવામાં ઉપર એક વિદ્યાધરનું વિમાન નીકળ્યું. શાખા પકડીને લટકતાં તે દુઃખી મનુષ્યને જોઈને તે દયાળુ વિદ્યારે કહ્યું કે—હે મનુષ્ય! તું મારી સાથે આવ. તને આનંદદાયક સ્થાન પર લઈ જાઉં. વિદ્યાધરના વારંવાર કહેવા છતાં મધનાં ટીપાના સ્વાદમાં જ આસક્ત બને તે તરત જ જવા માટે તૈયાર ન થયે અને મધના એક એક ટીપાની રાહ જોતે પ્રાણને ગુમાવે છે.” ત્યારે આટલું કહ્યા પછી આ દષ્ટાંતને ઉપનય પણ સમજાવે છે: આ સંસાર જગલ છે. વિષયભી મનુષ્ય રસલુખ્ય મુસાફર છે. કૂ માનવજન્મ છે. હાથી તે મૃત્યુ છે. ચાર સપ સમાન ચાર કષાય છે. અજગર સમાન નરકાદિ દુર્ગતિનાં ખુલ્લાં દ્વાર છે. આયુષ્યરૂપી શાખા ઉપર મનુષ્ય લટકી રહ્યો છે. ઉંદરની સમાન કૃષ્ણપક્ષ શુક્લપક્ષ છે, જે આયુષ્યરૂપી શાખાને કાપી રહ્યા છે. મધમાખ સમી વ્યાધિઓ મનુષ્યને પીડા કરી રહી છે. ઇન્દ્રિયજન્ય સુખ મધુબિંદુની જેમ ક્ષણિક સુખ આપે છે. વિદ્યાધર સમાન સંતપુરુષ બોધ આપી રહ્યા છે, એ બોધને અવગણીને વિષયસુખમાં લંપટ બને તે એમાં જ ચૂંટી રહીને સર્વનાશને પામે છે, જ્યારે તેમની વાણીથી વિવેકી પુરુષ લક્રમી અને ભેગસુખમાં લુબ્ધ બની સંયમમય સુરક્ષિત સ્થાનની ક્ષણભર પણ ઉપેક્ષા કરતા નથી. પ્રભવ ! પિતા-પુત્ર આદિ સંબંધ અનેકવાર થયા છે. જન્મ-જન્માન્તરમાં અનેક વાર પિતા પુત્ર બને છે, પુત્ર પિતા બને છે. આ પરિવર્તનશીલ સંસારમાં માતા-પિતા, પુત્રપુત્રી, પતિ-પત્ની વગેરેના સંબંધ શાશ્વત નથી, આ અનાદિ સંસારમાં કોને કોની સાથે કઈ જાતના સંબંધ નથી થયા ? આથી આ મરે, આ પારકે – એવી કલ્પના વ્યાપ્ત છે. આ સંબંધેથી આત્મકલ્યાણને પ્રશસ્ત માર્ગ મળતું નથી.” પછી પહેશ્વરદત્ત ગોપયુવક, કેડીને માટે સર્વસ્વ ગુમાવી દેનાર વણિક વગેરેનાં ઉદાહરણ સંભળાવી તથા કુબેરદત્ત અને કુબેરદત્તાના દૃષ્ટાંતમાંથી એક ભવમાં અઢાર સંબંધ સમજાવી જંબૂએ ચૌરાધિપતિ પ્રભાવને મહાનુબંધ શિથિલ કરી દીધું. જંબૂના અમૃતમય ઉપદેશથી પ્રભવના હૃદયમાં જ્ઞાનદીપક પ્રકાશિત થયે. તેને પોતે કરેલાં પાપ બદલ પસ્તાવો થયે. તે વિચારવા લાગ્યું કે, ક્યાં આ શ્રેષ્ઠિકુમાર જંબૂ કે જે પ્રાપ્ત થયેલા વિશાળ ભેગોને ત્યાગ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy